Godrej Family Tree: જાણો કેવી રીતે ચંદ્રયાન 1 સુધી પહોંચવા માટે તાળાઓ બનાવીને શરૂ થઈ ગોદરેજ પરિવારની બિઝનેસ સફર

|

May 01, 2024 | 11:44 AM

ગોદરેજ ગ્રુપ 124 વર્ષ જૂનું બિઝનેસ ગ્રુપ છે. લોક બનાવવાનું આ જૂથ અને દેશનું પ્રથમ વનસ્પતિ સાબુ ઉત્પાદક વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંનું એક છે. બિઝનેસ ગ્રુપ હવે ગોદરેજ પરિવારની ચોથી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે.

Godrej Family Tree: જાણો કેવી રીતે ચંદ્રયાન 1 સુધી પહોંચવા માટે તાળાઓ બનાવીને શરૂ થઈ ગોદરેજ પરિવારની બિઝનેસ સફર

Follow us on

Godrej family Tree : અરદેશર ગોદરેજ નામના એક યુવાન પારસીએ વિવિધ વ્યવસાયોમાં હાથ અજમાવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. એક દિવસ તેણે છાપામાં વાંચ્યું કે મુંબઈમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. તેણે તાળાઓ બનાવવાનું વિચાર્યું અને 1897માં એક કંપની બનાવી. ધીમે ધીમે ગોદરેજના એક નહીં પરંતુ અનેક સેક્ટરમાં ઘણી કંપનીઓ અસ્તિત્વમાં આવી. ગોદરેજ કંપનીએ 2008માં ચંદ્રયાન 1 માટે લોન્ચ વ્હીકલ અને ચંદ્ર ઓર્બિટર બનાવ્યું હતું.

ગોદરેજ ગ્રુપની સ્થાપના અરદેશર ગોદરેજ અને તેમના નાના ભાઈ પીરોજશા ગોદરેજ દ્વારા 1897માં કરવામાં આવી હતી. અરદેશીરે અખબારમાં વાંચ્યું હતું કે મુંબઈમાં ચોરીના કેસ વધી રહ્યા છે. પછી તેણે તાળા વેચવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : Anurag Thakur Family Tree : ક્રિકેટમાંથી રાજનીતિમાં પગ મૂકનાર અનુરાગ ઠાકુરના લોહીમાં રાજનીતિ છે, જાણો કોણ છે પરિવારમાં

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

 

ગોદરેજ ગ્રુપના સ્થાપક નિઃસંતાન હતા

અરદેશરને કોઈ સંતાન નહોતું જ્યારે પીરોજશાને ચાર પુત્રો હતા. શોરાબ, ડોસા, બુર્જોર અને નવલ. શોરાબ નિઃસંતાન હતો. ડોસાના પુત્ર રિશાદે કંપનીઓ ચલાવવામાં રસ દાખવ્યો ન હતો. જો કે, તેણે કંપનીમાં શેરહોલ્ડર રહ્યા. વાઈલ્ડલાઈફ અને ફોટોગ્રાફીના શોખીન રિશાદને પણ કોઈ સંતાન નહોતું. બુર્જરના બાળકો આદિ ગોદરેજ અને નાદિર ગોદરેજ છે. બંને ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ગોદરેજ એગ્રોવેટનું ધ્યાન રાખે છે. નેવલના બાળકો જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ કૃષ્ણા છે.

શું કરી રહ્યા છે બાળકો

આદિના ત્રણ બાળકો તાન્યા, નિસાબા અને પીરોજશા બિઝનેસમાં પોતાનો ભાગ ભજવી રહ્યા છે. એ જ રીતે નાદિરને ત્રણ બાળકો છે. સૌથી મોટો પુત્ર બુર્જીસ ગોદરેજ એગ્રોવેટ ચલાવે છે જ્યારે બીજો પુત્ર શોરાબ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે.

જમશેદ ગોદરેજનો પુત્ર નવરોજ ગોદરેજ એન્ડ બોયસમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે,પરિવારના મોટાભાગના સભ્યો ગ્રુપ કંપનીઓના બોર્ડમાં છે. તેમની તમામ ગ્રુપ કંપનીઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિસ્સો પણ છે. ગોદરેજ પરિવાર (આદિ, જમશેદ, નાદિર, સ્મિતા અને રિશાદ) ગોદરેજ એન્ડ બોયસમાં 9 થી 10 ટકા હિસ્સો ધરાવે છે,

તાળાઓથી લઈ ચંદ્રયાન સુધીની સફર

  • 1897 અરદેશીર, એક યુવાન પારસી વકીલ, થોડા ધંધામાં નિષ્ફળ ગયા પછી લોકસ્મિથની કંપની સ્થાપી હતી.
  • 1918 ગોદરેજ એ પ્રાણીની ચરબીથી મુક્ત વિશ્વનો પ્રથમ વનસ્પતિ તેલ સાબુ બનાવ્યો.
  • 1923 અલમિરાહના ઉત્પાદન સાથે ફર્નિચરના વ્યવસાયમાં પ્રવેશ કર્યો.
  • 1951 કંપનીને આઝાદી પછીની પ્રથમ લોકસભા ચૂંટણી માટે 17 લાખ મતપેટીઓ બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો.
  • 1952 સ્વતંત્રતા દિવસે સિન્થોલ સાબુ લોન્ચ કર્યો.
  • 1958 રેફ્રિજરેટર્સ બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની.
  • 1974 માં લિક્વિડ હેર કલર પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું.
  • 1990માં રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ કર્યો.
  • 1991માં કૃષિ વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો.
  • 1994 ગુડ નાઈટ બ્રાન્ડ હેઠળ મચ્છર મારનાર દવાઓના ઉત્પાદક ટ્રાન્સલેક્ટા ખરીદી.
  • 2008 ચંદ્રયાન 1 માટે લોન્ચ વ્હીકલ અને લુનર ઓર્બિટર બનાવ્યું

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 am, Tue, 27 June 23

Next Article