Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે 100G4 ખનિજ બ્લોકોની હરાજી કરી, ખનન ક્ષેત્રમાં રોજગારના અવસર પ્રાપ્ત થશે: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી

કેન્દ્ર સરકારે પહેલ કરી કે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોને ખનનના માધ્યમથી ઔદ્યોગિક વિકાસ, રાજગારનું સર્જન થશે જેનાથી સૌનો વિકાસ થશે

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે 100G4 ખનિજ બ્લોકોની હરાજી કરી, ખનન ક્ષેત્રમાં રોજગારના અવસર પ્રાપ્ત થશે: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી
Geological Survey of India auctioned 100G4 mineral blocks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:34 PM

કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારતને મજબૂતી આપવા ખાણની હરાજી કરી રહ્યું છે.. જેના માટે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે 100G4 ખનિજ બ્લોકોની હરાજી કરી છે.. આ ઇવેન્ટ આજે દિલ્લીમાં થઇ. જે અવસર પર કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી હાજર રહ્યાં. SMDR સંશોધન અધિનિયમ 2015 પૂર્વેક્ષણ લાઇસન્સ અને ખનન પટ્ટાના સંદર્ભમાં ખનિજ સબસિડીની આપૂર્તિમાં પારદર્શકતાની પ્રસ્તાવના છે.

આ જ પ્રયાસ હેઠળ કેન્દ્ર સરકારે માર્ચ 2021માં ખાણ તેમજ ખનિજ વિકાસ નિયંત્રણ અધિનિયમમાં સંશોધન કર્યું. જેના દ્વારા ખનન ક્ષેત્રમાં રોજગારના અવસર પ્રાપ્ત થશે. રાજ્યો માટે ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે સાથે વિકાસમાં પણ વધારો થશે.. દેશમાં ખનિજની આપૂર્તિ વધી રહી છે કેમ કે GSI રાજ્ય સરકારોને હરાજી માટે 100 ખાણનો રિપોર્ટ રજુ કરે છે.. આ નિલામીથી રાજ્ય સરકારને રાજસ્વ મળશે. સાથે જ કેન્દ્ર સરકારે પહેલ કરી કે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોને ખનનના માધ્યમથી ઔદ્યોગિક વિકાસ, રાજગારનું સર્જન થશે જેનાથી સૌનો વિકાસ થશે.

Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
Vastu Tips: આ જગ્યા પર ચોખા પર કપૂર નાખીને પ્રગટાવો, લક્ષ્મીજી થશે પ્રસન્ન
ઉનાળામાં નસકોરી ફુટે તો શું કરવું?

કેન્દ્રીય કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે ખાણ મંત્રાલય દેશના ખાણ ક્ષેત્રમાં મૂર્ત સુધારા લાવવા માટે ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન), એમએમડીઆર કાયદામાં વધુ સુધારા કરવા વિચારી રહ્યું છે. તેમણે ખાણ ક્ષેત્રને દેશના જીડીપીમાં આ ક્ષેત્રનું યોગદાન 2.5 ટકા સુધી વધારવા વિનંતી કરી. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ) ના 100 જી 4 ખનીજ બ્લોક્સના અહેવાલો વિવિધ રાજ્ય સરકારોને સોંપવા માટે આજે ખાણ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા મંત્રી જોશીએ જણાવ્યું હતું કે ખાણ મંત્રાલય ખાનગી માટે માન્યતા પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. 

મંત્રીએ જે રાજ્યોને માઇનિંગ બ્લોક રિપોર્ટ મળ્યા છે તેઓને હરાજીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કોઈ પણ વિલંબ વગર અહેવાલો પર કાર્યવાહી કરવા હાકલ કરી હતી. તેમણે ખાણ મંત્રાલયને વધુ નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો રાજ્યોને. રાજ્ય સરકારોનો સક્રિય અભિગમ ખાણકામમાં મૂર્ત સુધારા લાવી શકે છે તે જણાવતા મંત્રીએ કેન્દ્ર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. શ્રી જોશીએ ધ્યાન દોર્યું કે ચોથા ક્રમનો સૌથી મોટો કોલસો અનામત હોવા છતાં, ભારત હજુ પણ થર્મલ કોલસાની આયાત કરી રહ્યું છે અને આપણી ખનીજ ક્ષમતા ઓસ્ટ્રેલિયા જેવા અન્ય ખનિજ સમૃદ્ધ દેશોથી ઓછી નથી. 

મંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત તેમજ ભારત માટે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે ખાણકામ મહત્વનું છે. પાછલા દાયકાઓ દરમિયાન આ ક્ષેત્ર વિવાદોમાં ઘેરાયેલું હતું અને રાજકીય ઉદાસીનતા દ્વારા દબાયેલું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે ખાણ ક્ષેત્રને ઉત્સાહિત કરવા અને દેશમાં ખનિજ સંશોધનને વેગ આપવા માટે ઘણી પરિવર્તનશીલ પહેલ કરી છે. 

આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા ખાણ, કોલસા અને રેલવે રાજ્ય મંત્રી શ્રી રાવસાહેબ પટેલ દાનવેએ જણાવ્યું હતું કે રાજ્યો દ્વારા ખાણકામ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવાની જરૂર છે જેથી એનર્જી અને પરિવહન જેવા અન્ય ક્ષેત્રોને પણ યોગ્ય પૂરવઠો મળે. આજે માઇનિંગ બ્લોક રિપોર્ટ મળેલા ચૌદ રાજ્યોમાંથી, મધ્ય પ્રદેશને મહત્તમ 21 રિપોર્ટ મળ્યા, ત્યારબાદ કર્ણાટક અને આંધ્રપ્રદેશ, નવ નવ રિપોર્ટ બિહાર, કર્ણાટક અને મધ્યપ્રદેશના પ્રધાનો કે જેમણે સમારોહમાં હાજરી આપી હતી તેઓએ કેન્દ્ર તરફથી તમામ સહાય માટે તેમની ખુશી વ્યક્ત કરી હતી. ખાણ મંત્રાલયના સચિવ શ્રી આલોક ટંડન, ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) ના મહાનિર્દેશક શ્રી રાજેન્દ્રસિંહ  સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સમારોહમાં હાજરી આપી હતી.

લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
g clip-path="url(#clip0_868_265)">