AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી

અમદાવાદની એક પેઢીનું નામ હિંડનબર્ગના રિપોર્ટમાં આવતા અદાણી ટોટલ ગેસ ઓડિટરે રાજીનામું આપ્યું. આ અંગે ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 7:24 AM
Share

અદાણી ગ્રૂપ વિશે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મની નિમણૂક પર સવાલો ઉભા થયા છે. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ છોડી દીધી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે M/s. Shah Dhandharia & Co. LLP એ રિઝાઇન આપ્યું છે.

અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની

હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટોટલ ગેસના સ્વતંત્ર ઓડિટર શાહ ધાંધરિયા એક નાની કંપની છે. તેની કોઈ વેબસાઈટ નથી. તેના માત્ર ચાર ભાગીદારો અને 11 કર્મચારીઓ છે. એક રેકોર્ડ મુજબ, તેણે 2021 માં દર મહિને 32,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની છે જેનું માર્કેટ કેપ રૂ. 64 કરોડની આસપાસ છે.

માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું

અદાણી ટોટલ ગેસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ M/s. Shah Dhandharia & Co. LLPએ રાજીનામું આપ્યું છે. આ 2 મેથી લાગુ થઈ ગયું છે. કંપનીએ ઓડિટરના રાજીનામાનો પત્ર પણ જોડ્યો છે. ઓડિટર કહે છે કે તેને 26 જુલાઈ, 2022ના રોજ પાંચ વર્ષની બીજી મુદત આપવામાં આવી હતી અને તેણે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું છે. તે કહે છે કે તે અન્ય અસાઇનમેન્ટમાં વ્યસ્ત છે, તેથી તેણે રાજીનામું આપ્યું છે. મહત્વનુ છે કે તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે અદાણી એન્ટરપ્રાઇઝને પણ રીઝાઇન આપશે કે નહીં. અદાણી એન્ટરપ્રાઈઝ 4 મેના રોજ તેના નાણાકીય પરિણામો પર વિચાર કરશે.

આ પણ વાંચો : અહીં સૂર્ય દિવસમાં 16 વખત ઉગે છે, ઠંડી એવી છે કે લોહી જામી જાય છે અને ગરમી એવી કે ચામડી બળી જાય

આ બાબતે પીઆઈએલ કરાઇ હતી દાખલ

24 જાન્યુઆરીના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવ વધારવામાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેના કારણે અદાણી ગ્રૂપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ઘટાડો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે આ માટે 2 મે સુધીનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ તેને વધુ છ મહિના લંબાવવા વિનંતી કરી છે. આ અંગે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ સેબીને વધુ સમય આપવાનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આનાથી તપાસ લંબાશે અને વધારાનો વિલંબ થશે.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">