AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી

અમદાવાદની એક પેઢીનું નામ હિંડનબર્ગના રિપોર્ટમાં આવતા અદાણી ટોટલ ગેસ ઓડિટરે રાજીનામું આપ્યું. આ અંગે ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 7:24 AM
Share

અદાણી ગ્રૂપ વિશે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મની નિમણૂક પર સવાલો ઉભા થયા છે. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ છોડી દીધી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે M/s. Shah Dhandharia & Co. LLP એ રિઝાઇન આપ્યું છે.

અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની

હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટોટલ ગેસના સ્વતંત્ર ઓડિટર શાહ ધાંધરિયા એક નાની કંપની છે. તેની કોઈ વેબસાઈટ નથી. તેના માત્ર ચાર ભાગીદારો અને 11 કર્મચારીઓ છે. એક રેકોર્ડ મુજબ, તેણે 2021 માં દર મહિને 32,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની છે જેનું માર્કેટ કેપ રૂ. 64 કરોડની આસપાસ છે.

માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું

અદાણી ટોટલ ગેસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ M/s. Shah Dhandharia & Co. LLPએ રાજીનામું આપ્યું છે. આ 2 મેથી લાગુ થઈ ગયું છે. કંપનીએ ઓડિટરના રાજીનામાનો પત્ર પણ જોડ્યો છે. ઓડિટર કહે છે કે તેને 26 જુલાઈ, 2022ના રોજ પાંચ વર્ષની બીજી મુદત આપવામાં આવી હતી અને તેણે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું છે. તે કહે છે કે તે અન્ય અસાઇનમેન્ટમાં વ્યસ્ત છે, તેથી તેણે રાજીનામું આપ્યું છે. મહત્વનુ છે કે તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે અદાણી એન્ટરપ્રાઇઝને પણ રીઝાઇન આપશે કે નહીં. અદાણી એન્ટરપ્રાઈઝ 4 મેના રોજ તેના નાણાકીય પરિણામો પર વિચાર કરશે.

આ પણ વાંચો : અહીં સૂર્ય દિવસમાં 16 વખત ઉગે છે, ઠંડી એવી છે કે લોહી જામી જાય છે અને ગરમી એવી કે ચામડી બળી જાય

આ બાબતે પીઆઈએલ કરાઇ હતી દાખલ

24 જાન્યુઆરીના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવ વધારવામાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેના કારણે અદાણી ગ્રૂપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ઘટાડો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે આ માટે 2 મે સુધીનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ તેને વધુ છ મહિના લંબાવવા વિનંતી કરી છે. આ અંગે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ સેબીને વધુ સમય આપવાનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આનાથી તપાસ લંબાશે અને વધારાનો વિલંબ થશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">