FOREX RESERVE: ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 581.131 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું

|

Dec 25, 2020 | 11:49 PM

કોરોના રોગચાળા અને આર્થિક મંદીના દોર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશના વિદેશી મુદ્રા ભંડાર (FOREX RESERVE)માં 18 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 2.563 અબજ ડોલરનો વધારો થયો છે.

FOREX RESERVE: ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 581.131 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો

Follow us on

કોરોના રોગચાળા અને આર્થિક મંદીના દોર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશના વિદેશી મુદ્રા ભંડાર (FOREX RESERVE)માં 18 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 2.563 અબજ ડોલરનો વધારો થયો છે. ભંડાર હવે 581.131 અબજ ડોલરની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. અગાઉના અઠવાડિયામાં વિદેશી વિનિમય ભંડારમાં 77.8 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા સંપત્તિ (FCA)માં વધારો મુદ્રા ભંડોળના વધારાને કારણે થયો હતો.

 

FCAમાં 537.727 અબજ ડોલર થયું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિદેશી મુદ્રા સંપત્તિ કુલ વિદેશી વિનિમય ભંડારનો નોંધપાત્ર ભાગ છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર FCAમાં 1.382 અબજ ડોલર વધીને 537.727 અબજ ડોલર થયું છે. FCA  ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોનો પણ સમાવેશ છે.

 

સોનાના ભંડારનું મૂલ્ય 1.008 અબજ ડોલર વધ્યું

18 ડિસેમ્બરના રોજ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન દેશના સોનાના ભંડારનું મૂલ્ય 1.008 અબજ ડોલર વધીને 37.020 અબજ ડોલર થયું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં દેશને વિશેષ અધિકાર પ્રાપ્ત થયા છે. જે 1.2 કરોડ ડોલર વધીને 1.515 અબજ ડોલર થઈ ગયો છે અને આ IMFના સંચિત ભંડારમાં પણ 16 કરોડ ડોલરનો વધારો થઈને 4.870 અબજ ડોલર થયો છે.

 

અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો

કોરોના વાઈરસના આક્રમણ પછી ભારતીય અર્થવ્યવસ્થા મોટાભાગના અનુમાનો સામે ઝડપથી સુધરી રહ્યો છે. RBI બુલેટિનમાં જણાવાયું છે કે ત્રીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા સકારાત્મક શ્રેણીમાં આવી શકે છે. આ બુલેટિન જણાવે છે કે એવા ઘણા ઉદાહરણો છે જે સૂચવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ-19ની મારથી ઝડપથી સુધરી રહી છે.

Next Article