હોસ્પિટલના કયા ચાર્જ ઉપર વસૂલાશે GST ? નાણામંત્રીએ રાજ્યસભામાં કરી જાહેરાત, જાણો વિગતે

|

Aug 03, 2022 | 11:39 AM

GST કાઉન્સિલની 28 થી 29 જૂનની બેઠકમાં, Non-ICU Rooms પર 5% GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે, હવે નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક સ્પષ્ટતા રજૂ કરી છે.

હોસ્પિટલના કયા ચાર્જ ઉપર વસૂલાશે  GST ? નાણામંત્રીએ રાજ્યસભામાં કરી જાહેરાત, જાણો વિગતે
Union Finance Minister Nirmala Sitharaman

Follow us on

GST મીટિંગ પછી, નાણામંત્રી (Nirmala Sitharaman)એ માહિતી આપી હતી કે 18 જુલાઈથી, ઘણી વસ્તુઓની કિંમતો વધશે. 18 જુલાઈથી નક્કી કરાયેલી વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન, લોટ, ચોખા, દાળ જેવી વસ્તુઓ સિવાય, નાણામંત્રીએ મોટી માહિતી આપી છે, હોસ્પિટલના બેડ અથવા ICU પર GSTને લઈને લોકોમાં રહેલી મૂંઝવણને દૂર કરી છે.

નાણામંત્રીએ માહિતી આપી હતી

હકીકતમાં, હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં હોસ્પિટલોના બેડ પર GST લગાવવાના નિર્ણય પર સ્પષ્ટતા કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર દ્વારા હોસ્પિટલ (Hospitals)ના બેડ કે ICU પર કોઈ ટેક્સ લાદવામાં આવ્યો નથી. તેના બદલે, ફક્ત એવા હોસ્પિટલ રૂમ કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિદિન છે, તેના પર જ GST વસૂલવામાં આવ્યો છે. રાજ્યસભામાં મોંઘવારી પર વિરોધના જવાબમાં નાણામંત્રીએ આ વાત કહી છે.

સતત વિરોધ

વાસ્તવમાં, હોસ્પિટલોમાં સારવાર પહેલાથી જ મોંઘી થઈ ગઈ છે.આ પછી 28 થી 29 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં, નોન-આઈસીયુ રૂમ( Non-ICU Rooms) કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે. તેના પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે આ પછી, આ નવો નિયમ 18 જુલાઈ, 2022 થી લાગુ થઈ ગયો છે. પરંતુ ત્યારબાદ આ નિર્ણયની સતત ટીકા થઈ રહી છે. આ પહેલા નાણામંત્રીએ ઘણા ટ્વિટ કરીને લોકોની મૂંઝવણ દૂર કરી હતી. ફરી એકવાર નાણામંત્રીએ આ અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

નિર્ણય પાછો ખેંચવાની માંગ

ઉલ્લેખનીય છે કે, હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને અન્ય હિતધારકો સતત સરકાર પાસે આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. હકીકતમાં, તેઓ દલીલ કરે છે કે હોસ્પિટલના બેડ પર GST લાદવાના નિર્ણયને કારણે, લોકોને સારવાર લેવી મોંઘી થઈ જશે. આ સાથે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની સામે ઘણા પાલન સંબંધિત મુદ્દાઓ ઉભા થશે કારણ કે હેલ્થકેર ઉદ્યોગને અત્યાર સુધી GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ પછી હેલ્થકેર ઈન્ડસ્ટ્રીની સામે ઘણી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

જાણો શું થશે GSTની અસર

જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, તો ધારો કે હોસ્પિટલના બેડનું એક દિવસનું ભાડું 5,000 રૂપિયા છે, તો 250 રૂપિયા GST તરીકે ચૂકવવા પડશે. હવે જો કોઈ દર્દીને 4 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો 5000 ઉપરાંત GST 250 એટલે કે 20,000ના બદલે રૂમનું ભાડું 21,000 રૂપિયા ચૂકવવું પડશે, આ હિસાબે વધુ દર્દીઓ હોસ્પિટલમાં જેટલા દિવસો રહેશે, તેઓ દરરોજ વધુ નાણા ચૂકવવા પડશે.

Next Article