31 માર્ચે પણ બાબા રામદેવની કંપનીને પડ્યો ફટકો, બે દિવસમાં થઇ ગયું આટલું મોટું નુકસાન

|

Apr 01, 2021 | 11:39 AM

યોગગુરુ રામદેવની કંપની રૂચી સોયા ભારતીય શેર બજારના બીએસઈ સૂચકાંકમાં લીસ્ટેડ છે. આ કંપનીના શેરના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે.

31 માર્ચે પણ બાબા રામદેવની કંપનીને પડ્યો ફટકો, બે દિવસમાં થઇ ગયું આટલું મોટું નુકસાન
Baba Ramdev

Follow us on

નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ આ વર્ષે શેર માર્કેટ માટે સારો દિવસ નહોતો. શેરબજારની સાથે યોગગુરુ રામદેવની કંપનીને પણ આ દિવસે ઘણું નુકસાન થયું છે.

યોગગુરુ રામદેવની કંપની રૂચી સોયા ભારતીય શેર બજારના બીએસઈ સૂચકાંકમાં લીસ્ટેડ છે. આ કંપનીના શેરના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં શેરનો ભાવ રૂપિયા 641.35 છે. તે જ સમયે, કંપનીની માર્કેટ મૂડી 18,973.76 કરોડ રૂપિયા છે. સપ્તાહના અંતિમ દિવસે રૂચિ સોયાની માર્કેટ મૂડી 19,145 કરોડ રૂપિયા હતી. આ દ્રષ્ટિકોણથી માર્કેટ મૂડીમાં 172 કરોડનો ઘટાડો થયો છે.

ગયા સોમવારે શેરબજારમાં હોળીનાં કારણે વેપાર થયો ન હતો. તેનો અર્થ એમ છે કે બાબા રામદેવને આ નુકસાન બે વ્યાવસાયિક દિવસનું છે. આપને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદે રૂચી સોયાને વર્ષ 2019 માં 4,350 કરોડમાં અધિગ્રહણ કરી લીધી હતી. આ પછી, રૂચી સોયાના શેરનો ભાવ 29 જૂન 2020 ના રોજ રૂ. 1,535 ના સ્તરે પહોંચ્યો હતો. આ રીતે જોવા જઈએ તો રૂચી સોયાના શેરના ભાવમાં અડધાથી વધુ ઘટાડો થયો છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

શું છે શેરબજારના હાલ

વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બીએસઈ સેન્સેક્સ નાણાકીય વર્ષના અંતિમ દિવસે 627 પોઇન્ટ તૂટ્યો હતો. 30 શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ 627.43 અંક એટલે કે 1.25 ટકા તૂટીને 49,509.15 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 154.40 પોઇન્ટ એટલે કે 1.04 ટકા તૂટીને 14,690.70 પર બંધ રહ્યો છે.

એચડીએફસી બેંક અને એચડીએફસીમાં સેન્સેક્સના શેરમાં ઘટાડો થયો છે. તેમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, કોટક બેંક, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે નફાકારક શેરોમાં આઇટીસી, બજાજ ફિનઝર્વ, એચયુએલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ટીસીએસ હતા.

હકીકતમાં કોવિડ -19 કેસમાં વધારો થવાથી રોકાણકારો ચિંતામાં મુકાયા છે. આ જ કારણ છે કે નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેર બજારને પણ નુકસાન થયું છે.

 

આ પણ વાંચો: Corona Vaccine: વેકિસન લીધા બાદ પણ કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, જાણો શું છે કારણ

Next Article