Corona Vaccine: વેકિસન લીધા બાદ પણ કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, જાણો શું છે કારણ
વિશ્વભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં ઘણા કેસ એવા સામે આવ્યા છે જેમાં વેક્સિન લીધા બાદ કેટલાકને કોરોના આવ્યો હોય.
18 માર્ચે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીની કંપની સિનોફાર્મ દ્વારા બનાવેલા કોરોનોવાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અને 20 મી તારીખની તપાસમાં ઇમરાન કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. અને ત્યાર બાદ તુરંત લોકોએ વેક્સિન પર સવાલ કરવાના શરુ કરી દીધા હતા. જો કે, તમને જણાવી દઈએ કે વેક્સિન એક ટ્રેનર જેવી હોય છે. સૂક્ષ્મજંતુ સામે લડવામાં તમારી રોગપ્રતિકારક શક્તિને ટ્રેન કરવામાં ઘણા અઠવાડિયા લાગે છે.
વેક્સિન બાદ પણ થઇ શકે છે કોરોના
ઇમરાન ખાનને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાને બે દિવસ જ થયા હતા. હકીકતમાં, ખાનના ડોઝ લેતા પહેલાના ઘણા દિવસોથી સુધી તેના શરીરમાં વાયરસ હતો. એવું સંભવ છે. તેથી, ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનો અર્થ એ નથી કે તેની વેક્સિન નિષ્ફળ થઈ રહી છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન ઉભો થાય છે કે કોરોના શું વેક્સિન પછી પણ કોરોના થઇ શકે છે?
આનો અર્થ વેક્સિન નિષ્ફળતા નથી
જવાબ છે – હા, યોગ્ય રસીકરણ પછી પણ, લોકો કોરોનાવાયરસથી બીમાર હોવાની આશંકા છે. હવે વિશ્વભરમાં ઘણા લાખો લોકોને રસી આપવામાં આવી છે, અને આવામાં તેવા કિસ્સા સામાન્ય છે. આવું કેમ થાય છે, અને તેને રસી નિષ્ફળતા તરીકે બતાવવું ઠીક છે કે નહીં ચાલો જાણીએ.
જાણો શું છે બ્રેક થ્રુ કેસ
એ કોરોના ચેપ કેસ જે કોરોના વેક્સિન બાદ પણ આવે છે તેને ‘બ્રેક થ્રુ કેસ’ કહે છે. પરંતુ આ માટેની એક શરત પણ છે – બંને રસી લીધાના ઓછામાં ઓછા 14 દિવસ બાદ કેસ આવવો જોઈએ.
એન્ટિબોડીઝ બનવા માટે સમય જોઈએ
જોહન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના અમેશ એ. અદલજાએ જણાવ્યું છે કે “વેક્સિન માટેની અંતિમ સમય સીમા જરૂરી છે કારણ કે તમારા શરીરમાં SARS-CoV-2 (કોરોનાવાયરસ) ની રોકથામ માટે એન્ટિબોડીઝ વિકસાવવા માટે પૂરતો સમય હોવો જોઈએ.” ફોર્બ્સમાં સાયન્ટિસ્ટ વિલિયમ એ. હેસેલટાઇને લખેલી કોલમમાં ઇઝરાયલી સંશોધનનો ઉલ્લેખ કર્યો છે તે કહે છે કે જે લોકો સામાન્ય અને રસીનો પ્રથમ ડોઝ લે છે તે લોકો પ્રથમ 12 દિવસમાં સમાન રીતે સંક્રમિત થવાની સંભાવના છે. રસીના 17 દિવસ પછી પણ 60 થી 80 ટકા સંભાવના છે કે તેમણે કોરોનાનો ચેપ લાગે.
કોઈ વેક્સિન 100 ટકા પરફેક્ટ નથી
હકીકતમાં બ્લૂમબર્ગના ફાર્મા ઉદ્યોગ વિશ્લેષક સેમ ફઝલીએ કહ્યું હતું કે એક વેક્સિન હતી વાયરસ સામે 100% ઇમ્યુનિટી પૂરી પાડતી હતી. તે એટલું સારું હતું કે તેણે શીતળાના વાયરસનો સંપૂર્ણપણે નાશ કરી દીધો. પરંતુ એક વંધ્યીકૃત રોગપ્રતિકારક શક્તિ શોધી કાઢવી દુર્લભ છે જે ફક્ત રોગને જ ના અટકાવે છે, પણ ચેપને સંપૂર્ણપણે રોકે.
અપેક્ષા કરતા સારા પરિણામ
વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસના સંદર્ભમાં 50% અસરકારક થવાની અપેક્ષા રાખી હતી. સદભાગ્યે, બધી માન્ય રસીનો અસરકારકતા દર 95% રહ્યો. તેમ છતાં, શ્રેષ્ઠ રસી તમને ખાતરી આપી શકતી નથી કે તમે બીમાર નહીં થાઓ.
આ પણ વાંચો: કોરોનાને લઈને કેન્દ્રએ પંજાબ સરકાર પર ઉઠાવ્યા સવાલ, તો પંજાબના CMએ કેન્દ્ર પર કર્યો પલટવાર