AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણામંત્રી નિર્મલા સીતારમણ જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, વધુ લોન આપવા અંગે થશે ચર્ચા

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સોમવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSB) ના વડાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન, તેઓ અર્થતંત્રની રીકવરી માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ પર બેંકોના પ્રદર્શનની સમીક્ષા કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, વધુ લોન આપવા અંગે થશે ચર્ચા
Finance Minister Nirmala Sitharaman (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:55 PM
Share

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સોમવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSB)ના વડાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન, તેઓ અર્થતંત્રની રીકવરી માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ પર બેંકોના પ્રદર્શનની સમીક્ષા કરશે. સામાન્ય બજેટ 2022-23ની રજૂઆત બાદ આ પ્રથમ સમીક્ષા બેઠક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અર્થતંત્રની પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવવા બેન્કોને ઉત્પાદક ક્ષેત્રોને વધુ ધિરાણ આપવા વિનંતી કરવામાં આવશે. નોંધપાત્ર રીતે આ સમયે, રશિયા-યુક્રેન યુદ્ધ સહિત વિવિધ કારણોસર આર્થિક મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ગયા અઠવાડિયે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે નાણા મંત્રાલયની સાપ્તાહિક ઉજવણી દરમિયાન બેંકોએ દેશભરમાં લોન મેળાઓનું આયોજન કર્યું હતું, જ્યાં યોગ્ય લોન લેનારાઓની સ્થળ પર જ લોન મંજૂર કરવામાં આવી હતી.

સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે

સૂત્રોએ જણાવ્યું કે નાણામંત્રી બેંકોની ક્રેડિટ ગ્રોથ, એસેટ ક્વોલિટી અને બિઝનેસ ગ્રોથ પ્લાન વિશે પણ માહિતી લેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ, ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) સહિત વિવિધ સરકારી યોજનાઓમાં પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે.

બજેટમાં ECLGSને એક વર્ષ માટે માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો હતો. આ સિવાય આ યોજના માટે ગેરંટી કવર 50,000 કરોડ રૂપિયા વધારીને 5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. હોટેલ્સ અને સંલગ્ન ક્ષેત્રો, પ્રવાસ, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોને પણ ECLGS 3.0 હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક દરમિયાન બેંકોની મૂડીની જરૂરિયાત અને નાણાકીય સમાવેશ અભિયાનની પણ સમીક્ષા કરવામાં આવશે. નોંધનીય છે કે આ બેઠક એવા સમયે આયોજિત કરવામાં આવી રહી છે, જ્યારે તમામ પબ્લિક સેક્ટરની બેંકોએ સતત બીજા નાણાકીય વર્ષમાં નફો કર્યો છે.

PSBના નાણાકીય સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે એક વ્યાપક વ્યૂહરચના અમલમાં મૂકી છે, જેમાં NPAની પારદર્શક સ્વીકૃતિ, સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્સનું રિઝોલ્યુશન, PSBsમાં મૂડીનો સમાવેશ, નાણાકીય વાતાવરણમાં વ્યાપક સુધારણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના સંઘે GST દરોને તર્કસંગત બનાવવા માટે GST કાઉન્સિલના પ્રયાસોની પ્રશંસા કરી છે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને દરોને તર્કસંગત બનાવવા વિનંતી કરી છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">