
આજના યુગમાં દરેક બેંક ખાતાધારકના ખિસ્સામાં ડેબિટ કાર્ડ (Debit Card) હોય છે પરંતુ 95% ભારતીયોને એ ખબર નથી હોતી કે, તેમનું આ કાર્ડ એક ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી (મફત વીમો) પણ છે. વાત એમ છે કે, બેંક પોતાના ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ કે પ્રીમિયમ વગર લાખો રૂપિયાનો જીવન વીમો અને અકસ્માત કવર પૂરું પાડે છે.
જો તમે પણ તમારા કાર્ડનો ઉપયોગ ફક્ત શોપિંગ કે રોકડ ઉપાડવા માટે જ કરો છો, તો આ સમાચાર તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંક તમારા કાર્ડની ‘કેટેગરી’ મુજબ વીમાની રકમ નક્કી કરે છે. આ રકમ 1 લાખ રૂપિયાથી શરૂ કરીને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.
આમાં પર્સનલ એક્સિડન્ટ (મૃત્યુ) ની સાથે સાથે ઘણી વખત એર એક્સિડન્ટ અને કાર્ડ ફ્રોડ જેવી સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.
આ ફ્રી ઇન્શ્યોરન્સનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે તમારું કાર્ડ એક્ટિવ સ્થિતિમાં હોય. બેંકનો એક એક્ટિવિટી પીરિયડ (Activity Period) હોય છે.
દુર્ઘટના થવાની તારીખથી છેલ્લા 60 થી 90 દિવસની અંદર તે કાર્ડ દ્વારા ઓછામાં ઓછું એક સક્સેસફૂલ ટ્રાન્ઝેક્શન (ATM, POS અથવા Online) થયેલું હોવું જરૂરી છે. જો કાર્ડ મહિનાઓથી ખાનામાં બંધ પડ્યું હોય, તો ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ (નામંજૂર) થઈ શકે છે.
કોઈપણ અણધારી ઘટના કે દુર્ઘટનાના કિસ્સામાં, પરિવારના સભ્યો (વારસદાર/નોમિની) એ નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
મોટાભાગના લોકો માહિતીના અભાવે આ વીમાની રકમને બેંકમાં જ છોડી (ક્લેમ કરતા નથી) દે છે. તમારી બેંકની વેબસાઇટ પર જઈને અથવા કસ્ટમર કેર સાથે વાત કરીને આજે જ જાણી લો કે, તમારા કાર્ડ પર કેટલો વીમો મળે છે. આ એક નાનકડી જાણકારી મુશ્કેલ સમયમાં તમારા પરિવારનો મોટો સહારો બની શકે છે.