AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crude Oil Import of India: ઓપેક દેશોએ ધર્મેન્દ્ર પ્રધાનની વાત ના સાંભળી, તો ભારતે ક્રૂડ ઓઇલ માટે શોધી લીધું નવું સ્થાન

Crude Oil Import of India: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવા કહ્યું હતું. પરંતુ તેમની આ વાત ના માનતા હવે ભારતે એક નવું ઠેકાણું મેળવી લીધું છે.

Crude Oil Import of India: ઓપેક દેશોએ ધર્મેન્દ્ર પ્રધાનની વાત ના સાંભળી, તો ભારતે ક્રૂડ ઓઇલ માટે શોધી લીધું નવું સ્થાન
Crude Oil Import of India
| Updated on: Mar 25, 2021 | 11:45 AM
Share

Crude Oil Import of India: તાજેતરમાં ભારતે ઓપેક દેશોને સુચન આપ્યું હતું કે તેઓ તેમનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નિયંત્રિત કરી શકાય. જો કે ઓપેક દેશોએ ભારતની આ સલાહની અવગણના કરી હતી, ત્યારબાદ ભારતે તેલની જરૂરિયાતોને પહોંચી વળવા એક નવું ઠેકાણું મેળવી લીધું છે. આ મહિને ગુયાનાના તેલ ઉત્પાદકો પાસેથી ક્રૂડની પ્રથમ બેચ ભારત આવી રહી છે. જે Trafigura ટ્રેડિંગ કંપની દ્વારા લાવવામાં આવી રહી છે. ભારત તેની લગભગ 80 ટકા જેટલી તેલની જરૂરિયાત મધ્ય પૂર્વથી આયાત કરે છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર અને ગ્રાહક દેશ છે. આટલું જ નહીં હવે ભારતમાં પ્રથમ વખત તેલ ગુયાનાથી આવશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર ગુયાના આ તેલનો કાર્ગો એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જે સરકારની માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને સ્ટીલ ટાયકૂન એલએન મિત્તલનું સંયુક્ત વેન્ચર છે. એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડ દ્વારા પંજાબના બઠિંડા દરરોજ 2,26,000 બેરલને શુદ્ધ કરવામાં આવે છે.

ભારતમાં તેલની આયાતમાં ઓપેકનો હિસ્સો એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 સુધી નોંધપાત્ર રીથે ઘટ્યો થયો છે. હાલમાં રિફાઇનરી કંપનીઓ ગુયાનથી ક્રૂડની આયાત કરવાની તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રશિયા વચ્ચે ઓઇલ સપ્લાય કરારના નવીકરણ કરવાની યોજના બનાવી રહી છે. તેમજ આ જ મહિનામાં ઓપેક પ્લસ દેશોએ નિર્ણય લીધો હતો કે ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઘટાડાને એપ્રિલના અંત સુધી ચાલુ રાખવામાં આવશે.

થોડા સમય પહેલા ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવો પર પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવા કહ્યું હતું. જેથી કિંમતો પર કાબૂ આવી શકે. જો કે, ઓપેક દેશોએ તેમની સલાહ સાંભળી ન હતી. તેનાથી ઉલટું સાઉદી અરેબિયાએ એમ પણ કહ્યું હતું કે ભારતે હવે સસ્તા ક્રૂડતેલનો જે ભંડાર કરેલો છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ બાદ પેટ્રોલિયમ મંત્રાલયે રિફાઈનરીઓને ક્રૂડ તેલ માટે માત્ર મધ્ય પૂર્વ પર નિર્ભર નહીં રહીને તેલના અન્ય સ્રોત શોધવા પણ કહ્યું હતું. આ દિશામાં ભારત હવે આગળ વધી રહ્યું છે અને આ મહિને ગુયાનાના તેલ ઉત્પાદકો પાસેથી ક્રૂડની પ્રથમ બેચ ભારત આવી રહી છે

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">