CORONA ફરી અર્થતંત્રનું દમ ઘૂંટી રહ્યો છે , એપ્રિલ 2021 માં 70 લાખ લોકો બેરોજગાર બન્યા

|

May 04, 2021 | 8:30 AM

દેશમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન અને કરફ્યુનો સહારો લીધો છે.

CORONA  ફરી અર્થતંત્રનું દમ ઘૂંટી રહ્યો છે , એપ્રિલ 2021 માં 70 લાખ લોકો બેરોજગાર બન્યા
એપ્રિલ 2021 દરમિયાન દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવી અને બેકારીનો દર રાષ્ટ્રીય સ્તરે વધ્યો છે.

Follow us on

દેશમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન અને કરફ્યુનો સહારો લીધો છે. આવી સ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ ક્યાં તો અટકી ગઈ છે અથવા ખૂબ ધીમી થઈ ગઈ છે. આને કારણે એપ્રિલ 2021 દરમિયાન દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવી અને બેકારીનો દર રાષ્ટ્રીય સ્તરે વધ્યો છે. હાલમાં આ સ્થિતિમાં કોઈ સુધારણાની અવકાશ નથી. મોટાભાગના રાજ્યો સતત લોકડાઉનનો સમય આગળ વધારી રહ્યા છે.

મે 2021 માં સ્થિતિ વધુ બગડવાની સંભાવના
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) અનુસાર એપ્રિલ 2021 દરમિયાન દેશમાં 70 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. આ સાથે દેશમાં બેરોજગારીનો દર વધીને 7.97 ટકા થઈ ગયો છે જે માર્ચમાં 6.5 ટકા હતો. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે ઠપ્પ ધંધાકીય પ્રવૃત્તિઓને કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીની પરિસ્થિતિ ભયાનક બની છે અને તબીબી આરોગ્ય સેવાઓના મોરચે દબાણ છે. એવી આશંકા છે કે મે મહિનામાં પણ આવી જ સ્થિતિ રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અર્થતંત્ર ફરી ડગમગે તેવા એંધાણ
દેશમાં કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે માર્ચ 2020 માં કડક લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ કારણે લાખો લોકોની નોકરીઓ ગઈ હતી અને કરોડો લોકોની રોજગાર છીનવાઈ ગઈ હતી. આનાથી દેશના જીડીપીમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે રાજ્યોને અંતિમ ઉપાય તરીકે લોકડાઉન લાદવા કહે છે. નવા કેસોની સંખ્યામાં ભારે વધારો થવાને કારણે રાજ્યોએ પડકારનો સામનો કરી રહેલી આરોગ્ય પ્રણાલીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાદવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા ફરી એકવાર પાટા પરથી ઉતરવાની સંભાવના છે.

Next Article