Budget 2023 : બજેટ માટે નાણામંત્રી માંગી રહ્યા છે સૂચન, આ રીતે જણાવો તમારો અભિપ્રાય

|

Jan 03, 2023 | 6:55 PM

તમે www.mygov.in પર જઈને તમારા વિચારો અને સૂચનો રજૂ કરી શકો છો. મુખ્ય પૃષ્ઠ પર જ તમને બજેટ 2023-24માં વિચારો શેર કરવા માટેની લિંક મળશે. તમારા વિચારો મોકલવા માટે તમારે અહીં લોગિન કરવું પડશે. જો તમે પહેલાથી રજીસ્ટર્ડ નથી તો તમારે પ્રક્રિયા કરવી પડશે.

Budget 2023 : બજેટ માટે નાણામંત્રી માંગી રહ્યા છે સૂચન, આ રીતે જણાવો તમારો અભિપ્રાય
You can submit your ideas and suggestions for the budget

Follow us on

આગામી બજેટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા મંત્રી નિર્મળ સીતારમણ બજેટ તૈયાર કરવા માટે દેશભરના ઉદ્યોગો અને અગ્રણી સંસ્થાઓ સાથે પ્રી-બજેટ બેઠકો કરી રહ્યા છે. બજેટમાં સામાન્ય લોકોની ભાગીદારી વધારવા માટે સરકારે હવે સામાન્ય લોકો પાસેથી સૂચનો અને વિચારો માંગ્યા છે. જો તમારી પાસે પણ આવનારા બજેટને લઈને કોઈ સલાહ કે  સારો વિચાર હોય તો તમે તેને સરકાર સુધી પહોંચાડી શકો છો.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ દ્વારા બજેટ પ્રક્રિયામાં ભાગ લેવાની રીત શેર કરી.

તમે તમારો અભિપ્રાય કેવી રીતે આપી શકો

તમે www.mygov.in પર જઈને તમારા વિચારો અને સૂચનો રજૂ કરી શકો છો. મુખ્ય પૃષ્ઠ પર જ તમને બજેટ 2023-24માં વિચારો શેર કરવા માટેની લિંક મળશે. તમારા વિચારો મોકલવા માટે તમારે અહીં લોગિન કરવું પડશે. જો તમે પહેલાથી રજીસ્ટર્ડ નથી તો તમારે પ્રક્રિયા કરવી પડશે. તમે મોબાઇલ અથવા ઇમેઇલ દ્વારા પણ લોગ ઇન કરી શકો છો. તમારે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરવો પડશે અને OTPની મદદથી તમે તમારું સૂચન મોકલી શકો છો. ભારતના નાગરિકો 24મી નવેમ્બરથી તેમના સૂચનો મોકલી રહ્યા છે. જો તમે પણ તમારું સૂચન મોકલવા માંગતા હોય તો 10મી ડિસેમ્બર સુધીમાં મોકલી શકો છો.

દર વર્ષે  પ્રક્રિયા કરવામાં આવે છે

સૂચનો માંગવાની સાથે સરકારે લખ્યું છે કે દેશમાં જનભાગીદારી વધારવા માટે નાણા મંત્રાલય દર વર્ષે ભારતના નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે અને તમે જાણો છો કે સરકારે બજેટમાં ઘણા સૂચનો પણ ઉમેર્યા છે. સરકારના મતે ભારતના નાગરિકોએ એવા સૂચનો આપવા જોઈએ જે ભારતને વિશ્વની મોટી આર્થિક શક્તિ બનાવવામાં મદદ કરશે. સામાન્ય બજેટ આવતા વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં રજૂ કરવામાં આવશે. નાણામંત્રીએ પહેલેથી જ કહ્યું છે કે આ વર્ષનું બજેટ વૃદ્ધિને વેગ આપવા અને ફુગાવાને ઘટાડવાના નાજુક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  જો તમારી પાસે બજેટલક્ષી સારા વિચાર હોય તો તરત જ તમારું સૂચન નાણામંત્રીને મોકલો.

Published On - 7:55 am, Wed, 30 November 22

Next Article