ગીર સોમનાથમાં આવેલા ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઈ બાંભણીયાનું મોત પાકિસ્તાનના કરાચી જેલમાં થયું હતું. 1 ઓક્ટોબરે તે માછીમારી કરવા ગયા હતા અને ઘરે પરત ફર્યા નહોતા કારણ કે તેમની ધરપકડ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવી હતી. તેઓને પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવાયા હતા. જેલમાં ભીખાભાઈને કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે ભીખાભાઈના મોતની જાણ તેમના પરીવારને થઈ ત્યારે પરીવારે માગણી કરી હતી કે ભીખાભાઈના મૃતદેહને વહેલીતકે ભારત લાવવામાં આવે. બાદમાં પરીવારે વિદેશ મંત્રાલય સાથે પણ લેખિતમાં પત્ર વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ભીખાભાઈના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. આમ તેમના પાર્થિવ દેહને પાકિસ્તાનના કરાચીથી દોહા અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવશે. બુધવારના રોજ ભીખાભાઈનો પાર્થિવ દેહ વતનમાં પહોંચશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:14 am, Fri, 19 April 19