AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેન્કિંગના શેરોમાં આવી શકે છે ચમક, ઓક્ટોબરમાં RBI વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો

બ્રોકરેજ ફર્મ નોમુરાએ કહ્યું છે કે આરબીઆઈ ઓક્ટોબરમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. મધ્યસ્થ બેંકે ઓગસ્ટમાં તેની નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઈ હવે ઓક્ટોબરમાં નાણાકીય નીતિ રજૂ કરશે.

બેન્કિંગના શેરોમાં આવી શકે છે ચમક, ઓક્ટોબરમાં RBI વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો
RBI
| Updated on: Aug 14, 2024 | 7:11 PM
Share

બેન્કિંગ શેરોની ચમક વધવાની છે. વાસ્તવમાં આરબીઆઈ ઓક્ટોબરમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી ધારણા છે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ કહ્યું છે કે આરબીઆઈ આ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરી શકે છે. તે ઓક્ટોબરમાં વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી શકે છે. તેની અસર બેંકોને થશે. વ્યાજદરમાં ઘટાડાથી લોનની માંગ વધશે. નોમુરાએ કહ્યું છે કે રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે. જુલાઈમાં છૂટક ફુગાવો ઘટીને 3.54 ટકા થયો હતો. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચો છે.

GDP વૃદ્ધિ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં સુસ્ત રહી શકે છે

નોમુરા(Nomura) એ કહ્યું છે કે મોંઘવારી ઘટવાની સાથે GDP વૃદ્ધિ પણ ધીમી પડી રહી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 7.8 ટકા થઈ ગયો છે. માર્ચ ક્વાર્ટરમાં તે 8.6 ટકા હતો. નોમુરાએ કહ્યું કે મંદી છતાં GDP વૃદ્ધિ સારી છે. બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે પેસેન્જર કારના વેચાણ, કંપનીઓની કમાણીમાં ધીમી વૃદ્ધિ અને નિકાસમાં ઘટાડાને જોતાં બીજા ક્વાર્ટર અને ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે.

નાણાકીય વર્ષ 26 માં જીડીપી વૃદ્ધિ 7% થી વધુ રહેવાની ધારણા છે

બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે જો ચોમાસાનો વરસાદ સારો રહેશે તો ગ્રામીણ વિસ્તારોમાં માંગ વધી શકે છે. હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં ધંધો સુસ્ત છે. લોકોની આવક પણ ઘટી રહી છે. નોમુરાનું કહેવું છે કે જો પ્રાઈવેટ કન્ઝમ્પશન અને પ્રાઈવેટ કેપિટલ એક્સપેન્ડીચર નહીં વધે તો મુશ્કેલી થઈ શકે છે. સરકારી ખર્ચમાં વધારો એ આર્થિક વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નોમુરાએ મધ્યમ ગાળામાં ભારત માટે સારી વૃદ્ધિની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય સારું છે. જો સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે તો જીડીપી વૃદ્ધિને સમર્થન મળશે. તે લગભગ 7 ટકા રહી શકે છે. FY25માં GDP વૃદ્ધિ 6.9 ટકા અને FY26માં 7.2 ટકા રહેવાનો અંદાજ છે.

અમેરિકાએ સપ્ટેમ્બરમાં ઇન્ટ્રેસ્ટ રેટ ઘટાડ્યો છે

નિષ્ણાતોનું કહેવું છે કે જુલાઈમાં છૂટક ફુગાવો ઘટીને 4 ટકાની નીચે આવી ગયો છે. અર્થતંત્ર માટે આ સારા સમાચાર છે. તેનાથી વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ અમેરિકામાં પણ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જો ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કરે છે, તો તે ઓક્ટોબરમાં ભારતમાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતામાં વધારો કરશે. વ્યાજદરમાં ઘટાડાથી લોનની માંગ વધશે. ક્રેડિટ ગ્રોથ પહેલેથી જ સારી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">