સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર

|

Sep 16, 2019 | 1:01 PM

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. […]

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર

Follow us on

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. તો બીજી તરફ મંદીની અસરમાં ભારતને પણ નુકસાન ઉઠાવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને PSA હેઠળ કેદ કરાયા, જાણો શું છે આ કાયદો

નિષ્ણાતોના મત પ્રમાણે સઉદી અરબના પ્લાન્ટમાં તેલનો જથ્થાનું પ્રમાણ સામાન્ય થવામાં ઘણા સપ્તાહ લાગી શકે છે. આગામી એક સપ્તાહમાં તેલની કિંમતમાં 15થી 20 ડોલર પ્રતિ બેરલ વધારો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું છે આરામકો તેલ કંપની

આરામકો દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદન કરતી કંપની છે. શનિવારે સઉદી અરબમાં આરામકોના અબક્રાઈક અને ખુરાઈસમાં તેલના પ્લાન્ટ પર 10 ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલા બાદ સઉદી અરબના કુલ ખનિજ તેલના ઉત્પાદનના જથ્થામાં આશરે અડધો હિસ્સો એટલે 57 લાખ પ્રતિ બેરલ ઉત્પાદન રોકાઈ ગયું છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં કાચા તેલ(ખનિજ)નો રોજ 10 કરોડ બેરલ ઉત્પાદન થાય છે. જેનું 10 ટકા ઉત્પાદન એકમાત્ર સાઉદી અરબમાં થાય છે. ઈતિહાસમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાનું નુકસાન પણ મોટું થવાનું છે. તો સાથે ખાડીના દેશમાં તણાવની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતને શું થશે અસર

આરામકોએ કહ્યું કે, તે ભારત સહિત દુનિયાના દેશેને ખનિજ તેલનો જથ્થો પૂરો પાડવામાં અસર થવા દેશે નહીં. ભારત માટે તેલની પૂર્તિનો સવાલ નહીં પરંતુ દુનિયાના બજારમાં ભાવ વધારાની અસર થશે. ભારતમાં પેટ્રોલની કિંમત આંતરરાષ્ટ્રિય ખનિજના તેલની કિંમત પર નિર્ભર રહે છે. ભારત પહેલા જ મંદીની અસરથી પીડાઈ રહ્યું છે. આ હુમલાની અપ્રત્યક્ષ રીતે ભારતને અસર જરૂર થવાની છે. તેલની કિંમતમાં પ્રતિ ડોલર વધારાથી ભારતને વાર્ષિક આયાત બિલમાં 10,700 કરોડ રૂપિયા વધી શકે છે. તો બીજી તરફ ચાઈના-અમેરિકાના ટ્રેડ વોરની અસરનું ભોગી ભારત થઈ રહ્યું છે.

અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. પરંતુ ઈરાન કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અસલમાં યમનના હૂતી વિદ્રોહિયો દ્વારા આ હુમલાની જવાબદારી લેવાઈ છે. પરંતુ અમેરિકાએ કહ્યું કે, આ હુમલો યમન તરફથી કરાયો હોવાના કોઈ પુરાવા નથી. અને હૂતી લોકો તરફથી ઈરાને આ હુમલો કર્યો છે.

Next Article