Akshaya Tritiya 2021 Shubh Muhurat: આજના દિવસે સોનાની ખરીદી અને લક્ષ્મી પૂજાનું અનેરું છે મહત્વ, જાણો આજનું સૌથી શુભ મુહૂર્ત
Akshaya Tritiya 2021 Shubh Muhurat: અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજને દેવી લક્ષ્મીની આરાધનાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે.
Akshaya Tritiya 2021 Shubh Muhurat: અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજને દેવી લક્ષ્મીની આરાધનાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આજે અક્ષય તૃતીયનો પર્વ છે. આ દિવસ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયનું મહત્વ એટલા માટે છે કે આ દિવસે દાન અને પૂજાના ફળ બમણા પ્રાપ્ત થાય છે.
આજના દિવસે સોના-ચાંદીથી બનેલા ઝવેરાત ખરીદવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આજે કરેલી આ ખરીદી આવનારા વર્ષોમાં સમૃદ્ધિને અનેકગણી વધારે છે.
શું છે આજના પર્વના શુભ મુહૂર્ત આ વર્ષે તૃતીયા તિથિ આજે 14 મે ની સવારે 05:38 વાગ્યાથી શરૂ થઈ 15 મે ના રોજ સવારે 07:59 વાગ્યે પૂર્ણ થશે
અક્ષય તૃતીય તિથિએ પૂજા કરવાનો ખૂબ જ શુભ સમય સવારે 05:38 થી બપોરે 12:18 સુધીનો છે. ખરીદી સહીત તમામ શુભકાર્ય માટેનો સમયગાળો 06 કલાક 40 મિનિટનો છે.
Akshaya Tritiya 2021 Date | Friday, May 14, 2021 |
Akshaya Tritiya Puja Muhurat | 05:38 AM to 12:18 PM, May 14 |
Tritiya Tithi Begins | 05:38 AM on May 14, 2021 |
Tritiya Tithi Ends | 07:59 AM on May 15, 2021 |
લોકડાઉનમાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો તેમના પોર્ટફોલિયોમાં સોનાનો સમાવેશ કરવા ઇચ્છતા રોકાણકારો ઘણા ફાયદાઓ સાથે ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું વિચારી શકે છે. આજે તકનીકી રીતે સમજદર રોકાણકારો ધન એકઠું કરવા સ્માર્ટ અને કાર્યક્ષમ રીતની શોધમાં હોય છે ડિજિટલ ગોલ્ડ આ દિશામાં સારું પગલું ગણાય છે.