આખરે કેન્દ્રીય કર્મચારીઓ( central government employees)ના પગાર વધારા માટેના ઇન્તેજારનો અંત આવ્યો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) માં 17 ટકાથી વધારીને 28 ટકાના કરવાના નિર્ણય(Increases DA 28%)ને મંજૂરી આપી છે. સુત્રોએ પુષ્ટિ આપી છે કે કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષથી અટકાવી રખાયેલા DA વધારવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ ઘણા સમયથી DA માં વધારાની ઘોષણાની રાહ જોતા હતા તેમના માટે આ જાહેરાત ખુશબર સમાન છે. કેન્દ્રીય કર્મચારીઓને DA માં વધારાથી પગારમાં સારો લાભ મળશે.
7th Central Pay Commission (7th CPC) અંતર્ગત મોંઘવારી ભથ્થાનો લાભ જુલાઈથી આપવામાં આવશે તેવા અનેક મીડિયા અહેવાલો અગાઉ આવ્યા હતા. કેબિનેટ દ્વારા આ વધારાને મંજૂરી આપવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને DA નો લાભ સપ્ટેમ્બરથી મળશે કે કેમ તે હજુ સ્પષ્ટ થઇ નથી.
અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કર્મચારીઓ માટે ઘણી મંજૂરીઓ જરૂરી હોવાથી DA માં વધારો આપવામાં થોડો સમય લાગશે. આવા કોઈપણ વિલંબ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઇ 2021 થી એરીયર્સ મળવાની સંભાવના છે.
DA ના ત્રણ બાકી હપતાના વધારાને કેબિનેટ દ્વારા મંજૂરી મળવાની બાકી હતી . એક ગયા વર્ષનો અને આ વર્ષના બે હપ્તા બાકી છે. બાકી રહેલ ત્રણ હપ્તાના ભાગ રૂપે 11 ટકા DA વધારાને મંજૂરી આપવામાં આવી છે.
DA અને DR અટકાવાયું છે
નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટિવ મશીનરી (JCM) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું એક સંગઠન છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને DAના ત્રણ હપ્તા મળવાના બાકી છે. કોરોના રોગચાળાને કારણે સરકારે DA તેમજ પૂર્વ કર્મચારીઓના DRના નાણાં આપ્યા ન હતા. કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DR 1 જાન્યુઆરી 2020, 1 લી જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી બાકી છે.
કોરોનાના કારણે નિર્ણય લેવાયો હતો
COVID-19 ના કારણે નાણાકીય તણાવ ઓછો કરવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડી.એ. અને પેન્શનરો માટે ડી.આર. માં વધારો જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના સમયગાળા માટે અટકાવી દેવામાં આવ્યો હતો . આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2021 માં 25,000 કરોડ રૂપિયાની બચત કરાઈ હતી.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે. તે કર્મચારીના મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે. દેશમાં મોંઘવારીના પ્રભાવને ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવે છે. તે સમયાંતરે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આ લાભ મળે છે.
Published On - 3:10 pm, Wed, 14 July 21