AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન સહીત ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર

કેન્દ્ર સરકાર, દેશમાં ઉત્પાદન અને પાર્ટસના સ્થાનિક સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની મોટી જાહેરાત કરી શકે છે.

Budget 2022: સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન સહીત ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર
Electronic gadgets can be cheap after budget
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:01 PM
Share

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Minister of Finance) મંગળવારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં દેશનું બજેટ (Budget) રજૂ કરશે. નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ થનારા આ બજેટ પાસેથી દેશના તમામ વર્ગોને મોટી અપેક્ષાઓ છે. દેશના સામાન્ય લોકો ઇચ્છે છે કે તેમની આવક વધે અને ખર્ચમાં ઘટાડો થાય. આ દરમિયાન એક સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ બજેટમાં ઈલેક્ટ્રોનિક્સને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હાં, સમાચાર મુજબ કેન્દ્ર સરકાર કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટીમાં સુધારો કરી શકે છે. જો આમ થાય તો ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સાથે સાથે દેશની સામાન્ય જનતાને પણ વધતી મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અપીલ કરી હતી.

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો થઈ શકે છે

હિંદુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, બે વ્યક્તિઓએ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને લઈને સરકારના મૂડ વિશે માહિતી આપી છે. અહેવાલમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર, દેશમાં ઉત્પાદન અને પાર્ટસના સ્થાનિક સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની મોટી જાહેરાત કરી શકે છે.

આ સાથે કસ્ટમ ડ્યુટીની સમગ્ર વ્યવસ્થાને પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક ઉત્પાદન સરળ બનશે અને અનુપાલનનું ભારણ ઘટશે. દેશમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઓડિયો ગેજેટ્સ અને સ્માર્ટવોચ અને સ્માર્ટ બેન્ડ જેવા પહેરી શકાય તેવા ગેજેટ્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું પણ વિચારી રહી છે.

ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં આવશે જબરદસ્ત વૃદ્ધિ

અહેવાલ મુજબ, આ તે નવા ક્ષેત્રોમાંનું એક હોવાની સંભાવના છે જ્યાં સરકાર મોબાઇલ ફોન ઉત્પાદન અને નિકાસમાં સફળતાની તર્જ પર નિકાસને વેગ આપવાની અપેક્ષા રાખે છે. આ સાથે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ સેક્ટરની નિકાસમાં જબરદસ્ત વધારો થવાની અપેક્ષા છે.

અહેવાલ મુજબ, સરકારની આ યોજના નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોની નિકાસ વધારીને 8 અબજ ડોલર થવાની અપેક્ષા છે. બીજી બાજુ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ પણ તે જ સમયે 9 અરબ ડોલરથી લગભગ બમણી થઈને 17.3 અરબ ડોલર થઈ શકે છે.

2026 સુધીમાં ઉત્પાદન 300 અબજ ડોલર થઈ જશે

જણાવી દઈએ કે કેન્દ્રીય રેલ્વે, સંચાર, માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કહ્યું હતું કે આપણો દેશ ઈલેક્ટ્રોનિક્સ ઘટકોના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આપણો દેશ મોબાઈલ ફોનના ઉત્પાદન અને નિકાસમાં પણ ઘણી પ્રગતિ કરી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતમાં બેટરી પેક, ચાર્જર, યુએસબી કેબલ, કનેક્ટર્સ, ઇન્ડક્ટિવ કોઇલ, મેગ્નેટિક્સ અને ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જેવા ઘટકોનું હાલની ક્ષમતા અને નીતિઓ સાથે પણ ઉત્પાદન કરી શકાય છે.

ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતની વર્તમાન ઉત્પાદન ક્ષમતા આશરે 75 અબજ ડોલરની છે, જે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં વધીને 300 અબજ ડોલર થઈ શકે છે. આ સાથે, આપણો દેશ સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના પાવર હાઉસ તરીકે ઉભરી શકે છે. ભારતની ઘટકોની ઉત્પાદન ક્ષમતા 25 અબજ ડોલર છે, જે વિશ્વના 12 ટકા હીસ્સો છે.

આ પણ વાંચો : Budget 2022: બજેટ વિશે લોકો ગૂગલ પર શું કરી રહ્યા છે સર્ચ ? જાણો બજેટ વિશે મહત્વપૂર્ણ બાબતો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">