Bhakti : શનિ જયંતીએ આ રીતે કરો શનિપૂજા, શનિદેવ હરશે પનોતીની પીડા !

આ વર્ષે શનિજયંતીના (Shanijayanti) શુભ અવસરે ખાસ સંયોગ બની રહ્યો છે. તે સાથે જ શનિદેવ પણ તેમની કુંભ રાશિમાં જ હશે. અને એટલે જ આ દિવસની શનિપૂજા શ્રેષ્ઠતમ ફળ પ્રદાન કરનારી મનાઈ રહી છે.

Bhakti : શનિ જયંતીએ આ રીતે કરો શનિપૂજા, શનિદેવ હરશે પનોતીની પીડા !
Lord Shani
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 29, 2022 | 8:49 AM

શનિદેવ (Shanidev) ન્યાયના દેવતા છે. શનિદેવ મનુષ્યોને તેમના કર્મો પ્રમાણે ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા શનિ જયંતીને (Shanijayanti) ખાસ દિવસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે વિધિવત્ રીતે શનિ મહારાજની પૂજા કરવાથી કુંડળીમાં (Kundali) રહેલ શનિદોષ (Shanidosh), શનિ પનોતી, સાડાસાતીથી છુટકારો મળે છે. સાથે જ શનિદેવની કૃપા થવાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. વળી, આ વર્ષે શનિજયંતીના શુભ અવસરે ખાસ સંયોગ બની રહ્યો છે. તે સાથે જ શનિદેવ પણ તેમની કુંભ રાશિમાં જ હશે. તો ચાલો, આજે આપણે એ જાણીએ કે આ દિવસે કઇ રીતે વિશેષ પૂજા પાઠ કરીને શનિદેવને રિઝવી શકાશે અને કઇ પૂજાવિધિ દ્વારા શનિદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાશે.

શનિ જયંતીએ મહાસંયોગ

આ વખતે શનિ જયંતીનો દિવસ ખૂબ ખાસ છે. કારણ કે શનિ જયંતીની સાથે સોમવતી અમાસનો પણ શુભ સંયોગ સર્જાયો છે. આ સાથે શનિદેવ તેમની કુંભ રાશિમાં રહેશે. તેની સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. અને એટલે જ આ દિવસની શનિપૂજા શ્રેષ્ઠતમ ફળ પ્રદાન કરનારી મનાઈ રહી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ફળદાયી પૂજાવિધિ

⦁ અમાસની તિથિએ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરવા.

⦁ શનિદેવનું સ્મરણ કરતા વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ એક બાજઠ કે પાટલો લઇ તેને સ્વચ્છ કરી, ઉપર નવું જ કાળા રંગનું વસ્ત્ર પાથરો.

⦁ આ બાજઠ પર શનિદેવની પ્રતિમા કે ચિત્ર મૂકો. જો તે ન હોય તો પ્રતિક રૂપે સોપારીની સ્થાપના કરો.

⦁ તેને પંચદ્રવ્ય અને પંચામૃત વડે સ્નાન કરાવો.

⦁ પ્રભુને સિંદૂર, કુમકુમ, કાજલ લગાવીને નીલા (જાંબલી કે વાદળી) રંગના પુષ્પ અર્પણ કરો.

⦁ શ્રીફળ સહિત બીજા ફળ અર્પણ કરો.

⦁ જો ઇચ્છા હોય તો શનિદેવને સરસવનું તેલ અને તલ પણ અર્પણ કરી શકાય છે.

⦁ ત્યારબાદ દીવો પ્રગટાવીને શનિદેવનું ધ્યાન ધરવું.

⦁ શનિચાલીસાના પાઠ તેમજ શનિ મંત્રોનો જાપ યથાશક્તિ કરવો.

⦁ અંતમાં શનિદેવની આરતી ઉતારવી. સાથે જ પૂજા દરમ્યાન કોઇ ભૂલચૂક થઇ હોય તો તેમની ક્ષમા માંગવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">