AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!

Lord Shiva worship tips : આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!
Lord-shiva-worship
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 11:37 PM
Share

શિવનો મતલબ જ કલ્યાણકારી. દેવોના દેવ મહાદેવ હંમેશા તેમના ભક્તોના કલ્યાણ માટે તેમની કૃપા વરસાવે છે. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન ( Lord shiva worship tips )કરવા આસાન નથી, પરંતુ જો તેઓ એક વખત કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિ કે ભક્તનું જીવન સફળ થઈ જાય છે. ભોલેનાથની ભક્તિમાં તે શક્તિ છે, જેને અપનાવવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. મોટાભાગના લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને મોક્ષ અથવા મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન શિવ ( Lord shiva )ને ભક્તિ અને ઉપાસના ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે. લોકો જ્યોતિષીય ઉપાયો અપનાવીને શિવને પ્રસન્ન કરે છે.

આ લેખમાં અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

બિલી પત્રનો ગુચ્છો

ઘણી વખત લોકો માત્ર બીલીના પાન ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો બીલી પત્રનો ગુચ્છો પણ ભગવાનને પ્રિય છે.  પાન ચઢાવવાનો પણ નિયમ છે. શાસ્ત્રો અનુસાર ત્રણ પાનનો ગુચ્છો અર્પણ કરવો શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તેના મૂળ ભાગમાં ઇશ્વરનો વાસ છે. આ પાન માત્ર રવિવારે તોડવા જોઈએ, કારણ કે શિવજીને તેમને સોમવારે સવારે જ અર્પણ કરવા જોઈએ. બેલપત્ર ક્યારેય અશુદ્ધ થતી નથી. તમે તેને ધોઈને પણ અર્પણ કરી શકો છો.

ગંગા જળ

ભગવાન શિવની સાથે હંમેશા રહેનાર ગંગા જળનો ભોલેનાથને પ્રસન્ન કરી શકે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે જે મોક્ષ ગંગાને પોતાના વાળમાં આશ્રય આપ્યો છે, તેનું શિવ પૂજનનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને ગંગાજળ અર્પિત કરવાથી જીવન સંબંધિત તમામ દોષો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરના ઝઘડાઓને સમાપ્ત કરવા માટે સતત 5 સોમવાર સુધી શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરો.

મોસમી ફળ

ભગવાન શિવને દરરોજ જળ અર્પણ કરવા ઉપરાંત મોસમી ફળો ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે. આ ફળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી ઘરમાં પૈસાની ઉણપ દૂર થશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">