AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!

Lord Shiva worship tips : આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!
Lord-shiva-worship
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 11:37 PM
Share

શિવનો મતલબ જ કલ્યાણકારી. દેવોના દેવ મહાદેવ હંમેશા તેમના ભક્તોના કલ્યાણ માટે તેમની કૃપા વરસાવે છે. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન ( Lord shiva worship tips )કરવા આસાન નથી, પરંતુ જો તેઓ એક વખત કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિ કે ભક્તનું જીવન સફળ થઈ જાય છે. ભોલેનાથની ભક્તિમાં તે શક્તિ છે, જેને અપનાવવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. મોટાભાગના લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને મોક્ષ અથવા મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન શિવ ( Lord shiva )ને ભક્તિ અને ઉપાસના ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે. લોકો જ્યોતિષીય ઉપાયો અપનાવીને શિવને પ્રસન્ન કરે છે.

આ લેખમાં અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

બિલી પત્રનો ગુચ્છો

ઘણી વખત લોકો માત્ર બીલીના પાન ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો બીલી પત્રનો ગુચ્છો પણ ભગવાનને પ્રિય છે.  પાન ચઢાવવાનો પણ નિયમ છે. શાસ્ત્રો અનુસાર ત્રણ પાનનો ગુચ્છો અર્પણ કરવો શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તેના મૂળ ભાગમાં ઇશ્વરનો વાસ છે. આ પાન માત્ર રવિવારે તોડવા જોઈએ, કારણ કે શિવજીને તેમને સોમવારે સવારે જ અર્પણ કરવા જોઈએ. બેલપત્ર ક્યારેય અશુદ્ધ થતી નથી. તમે તેને ધોઈને પણ અર્પણ કરી શકો છો.

ગંગા જળ

ભગવાન શિવની સાથે હંમેશા રહેનાર ગંગા જળનો ભોલેનાથને પ્રસન્ન કરી શકે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે જે મોક્ષ ગંગાને પોતાના વાળમાં આશ્રય આપ્યો છે, તેનું શિવ પૂજનનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને ગંગાજળ અર્પિત કરવાથી જીવન સંબંધિત તમામ દોષો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરના ઝઘડાઓને સમાપ્ત કરવા માટે સતત 5 સોમવાર સુધી શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરો.

મોસમી ફળ

ભગવાન શિવને દરરોજ જળ અર્પણ કરવા ઉપરાંત મોસમી ફળો ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે. આ ફળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી ઘરમાં પૈસાની ઉણપ દૂર થશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">