AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 JUNE PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 26 જૂન, સોમવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

26 JUNE PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 26 જૂન, સોમવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!
26 June 2023 Panchang
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 6:30 AM
Share

આજે 26 જૂન, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : 25 JUNE PANCHANG : આજે અભિજીત મુહૂર્ત ક્યારે ? 25 જૂન, રવિવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી! 

ગુજરાતી પંચાંગ

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના શુક્લ પક્ષની આઠમ (2:04 AM સુધી) છે. ત્યારબાદ નવમીનો પ્રારંભ થશે.

વાર:- સોમવાર

યોગ:- વ્યતિપાત (06:07 AM સુધી)

કરણ:- વિષ્ટિ/ભદ્રા (01:19 pm સુધી)

નક્ષત્ર:- ઉતરા ફાલ્ગુની 06:08 AM સુધી બાદમાં હસ્ત નક્ષત્ર

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:56 કલાકે

સૂર્યાસ્ત:- 07:29 કલાકે

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે કન્યા રાશિ ,કન્યા રાશિના નામાક્ષર છે (પ,ઠ,ણ) એટલે કે આજે જન્મ લેનારા બાળકોના નામ આ અક્ષર પરથી રાખી શકાશે.

અભિજીત મુહૂર્ત

આજનું એટલે કે તારીખ 26 જૂન, 2023ના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:15 થી 1:10 PM સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ સમયકાળમાં દેવતાઓ અમૃત વર્ષા કરતાં હોય છે. અને એટલે જ આ સમય દરમિયાન કરવામાં આવનાર કાર્ય વ્યક્તિને સફળતાની પ્રાપ્તિ કરાવે છે.

રાહુ કાળ

આજે 26 જૂન,2023ના રોજનો રાહુ કાળ બપોરે 07:38 થી 09:19 સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">