AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો

પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે, તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે.

Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો
ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી.
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:17 AM
Share

Bhakti: ચાતુર્માસની(CHATURMAS) શરુઆત થઈ ગઈ છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધીના સમયગાળાને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાનું આપણા ધર્મમાં ખુબ મહત્વ છે. એટલું જ નહીં ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે, ત્યારે કેટલાક વિશિષ્ટ નિયમોના પાલન સાથે જો પ્રભુ ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ વ્યક્તિને ફાયદો થાય છે.

પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે, તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ મળી આવે છે.

ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન વ્રત, પૂજન, હવન, દાન અને ધ્યાન તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને આ સમયમાં જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે, તેને અનેકોગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોવાનું પદ્મપુરાણમાં કહેવાયું છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ચાતુર્માસ દરમિયાન શું કરશો અને કઈ કઈ બાબતો બિલકુલ ન કરવી જોઈએ.

આવો જાણીએ ચાતુર્માસમાં શું કરવું?

1- ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી. 2- ચાતુર્માસમાં વિષ્ણુસહસ્ત્રનામનો જપ કરવામાં આવે તો તે વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. 3- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું. 4- ચાતુર્માસ દરમિયાન શક્ય હોય તે વસ્તુનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું. 5- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો જમીન પર જ સુવું જોઈએ.

ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ ?

1- ચાતુર્માસ દરમિયાન નશીલા પદાર્થોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ. 2- ચાતુર્માસ દમિયાન કોઈની સાથે ગેર વર્તન ન કરવું. 3- ધ્યાન રહે, ચાતુર્માસમાં આપ કોઈ પર ગુસ્સો કે કોઈનું અપમાન ન કરી બેસો. 4- ચાતુર્માસમાં ડુંગળી અને લસણનો ખોરાકમાં બિલકુલ ઉપયોગ ન કરવો. 5- ચાતુર્માસ એટલે વર્ષાઋતુનો સમય અને આ ઋતુમાં પાણી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે હોય છે. 6- સંશોધકોનું એવું માનવું છે કે આ ઋતુમાં લીલા શાકભાજીઓ બેક્ટેરિયા સંક્રમણથી ભરેલા હોય છે. તેથી પાલક, કોઇપણ ભાજી કે કોબી જેવા શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો : જેમના કોઈ ગુરુ નથી તેમણે કોને ગુરુ કરવા ? તુલસીદાસજીએ સ્વયં વર્ણવ્યો ગુરુ મહિમા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">