Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો

પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે, તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે.

Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો
ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી.
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:17 AM

Bhakti: ચાતુર્માસની(CHATURMAS) શરુઆત થઈ ગઈ છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધીના સમયગાળાને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાનું આપણા ધર્મમાં ખુબ મહત્વ છે. એટલું જ નહીં ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે, ત્યારે કેટલાક વિશિષ્ટ નિયમોના પાલન સાથે જો પ્રભુ ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ વ્યક્તિને ફાયદો થાય છે.

પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે, તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ મળી આવે છે.

ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન વ્રત, પૂજન, હવન, દાન અને ધ્યાન તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને આ સમયમાં જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે, તેને અનેકોગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોવાનું પદ્મપુરાણમાં કહેવાયું છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ચાતુર્માસ દરમિયાન શું કરશો અને કઈ કઈ બાબતો બિલકુલ ન કરવી જોઈએ.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આવો જાણીએ ચાતુર્માસમાં શું કરવું?

1- ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી. 2- ચાતુર્માસમાં વિષ્ણુસહસ્ત્રનામનો જપ કરવામાં આવે તો તે વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. 3- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું. 4- ચાતુર્માસ દરમિયાન શક્ય હોય તે વસ્તુનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું. 5- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો જમીન પર જ સુવું જોઈએ.

ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ ?

1- ચાતુર્માસ દરમિયાન નશીલા પદાર્થોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ. 2- ચાતુર્માસ દમિયાન કોઈની સાથે ગેર વર્તન ન કરવું. 3- ધ્યાન રહે, ચાતુર્માસમાં આપ કોઈ પર ગુસ્સો કે કોઈનું અપમાન ન કરી બેસો. 4- ચાતુર્માસમાં ડુંગળી અને લસણનો ખોરાકમાં બિલકુલ ઉપયોગ ન કરવો. 5- ચાતુર્માસ એટલે વર્ષાઋતુનો સમય અને આ ઋતુમાં પાણી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે હોય છે. 6- સંશોધકોનું એવું માનવું છે કે આ ઋતુમાં લીલા શાકભાજીઓ બેક્ટેરિયા સંક્રમણથી ભરેલા હોય છે. તેથી પાલક, કોઇપણ ભાજી કે કોબી જેવા શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો : જેમના કોઈ ગુરુ નથી તેમણે કોને ગુરુ કરવા ? તુલસીદાસજીએ સ્વયં વર્ણવ્યો ગુરુ મહિમા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">