Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ

આ મંદિરની વિશેષતા એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તકના ટેકે આરુઢ થયા છે. એટલે કે અહીં હનુમાનજીની પ્રતિમા ઊંધી છે ! ભક્તો આ પવનસુતને ‘ઉલટે હનુમાન' ના નામે પણ સંબોધે છે.

Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ
સાંવેરમાં ભક્તોને ઊંધા હનુમાનજીના દર્શન !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:41 AM

હનુમાનજી (HANUMANJI) એટલે તો કળિયુગમાં સૌથી ઝડપથી પ્રસન્ન થનારા દેવ. એ જ કારણ છે કે સમગ્ર ભારતમાં પવનસુતના અનેક વિધ સ્થાનકો વિદ્યમાન છે. જેમાં ક્યાંક સિંદૂરી સ્વરૂપે, ક્યાંક સ્વયંભૂ રૂપે, તો ક્યાંક ભવ્ય મૂર્તિ રૂપે અંજનીસુત ભક્તોને દર્શન દઈ રહ્યા છે. પરંતુ, અમારે તો આજે વાત કરવી છે સૌથી અનોખાં જ હનુમાન મંદિરની. એવાં મંદિરની કે જ્યાં હનુમાનજીની સૌથી દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમા કરતાંય અચરજ ભરેલી તો હનુમાનજીના બિરાજમાન થવાની સ્થિતિ છે. તમને કદાચ નવાઈ લાગશે પણ ભારતમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં પવનસુત ઊંધા થઈને બિરાજમાન થયા છે !

મધ્યપ્રદેશના ઈન્દોરમાં સાંવેર કરીને જગ્યા આવેલી છે. ઈન્દોર શહેરથી સાંવેરનું અંતર લગભગ 30 કિ.મી. જેટલું છે. અહીં આવેલું હનુમાન મંદિર લાખો હનુમાન ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થાનક પાતાળ વિજય હનુમાન મંદિરના નામે પ્રસિદ્ધ છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તકના ટેકે આરુઢ થયા છે. એટલે કે અહીં હનુમાનજીની પ્રતિમા ઊંધી છે ! ભક્તો આ પવનસુતને ‘ઉલટે હનુમાન’ ના નામે પણ સંબોધે છે. સિંદૂર લગાવેલી આ પ્રતિમા ખૂબ જ ભાવવાહી વાસે છે.

હનુમાનજી કેમ ઊંધા ? સાંવેરમાં હનુમાજીની ઊંધા મુખવાળી પ્રતિમા સ્થાપિત છે. તેની સાથે એક અત્યંત રસપ્રદ કથા જોડાયેલી છે. રામાયણકાળમાં અહિરાવણ અને મહિરાવણે રામ-લક્ષ્મણનું અપહરણ કરી લીધું. તેમને કેદ કરી અસુરો પાતાળમાં લઈ ગયા. હનુમાનજીએ પાતાળમાં પ્રવેશ કરી અહિરાવણ, મહિરાવણનો વધ કર્યો અને રામ-લક્ષ્મણને મુક્ત કરાવ્યા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

લોકવાયકા એવી છે કે સાંવેર જ એ સ્થાન છે કે જ્યાંથી હનુમાનજીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો. પાતાળ પ્રવેશ સમયે પ્રભુનું મુખ જમીન તરફ અને પગ આકાશ તરફ હતા. બસ, આ જ સ્વરૂપનું મૂર્તિ રૂપ ધરી હનુમાનજી સાંવેરમાં બિરાજમાન થયા છે. એટલે જ તો ભક્તો તેમને ઉલટે હનુમાનજીના નામે સંબોધે છે.

સાંવેરના ઊલટા હનુમાન મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજીની સાથે જ શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ બિરાજમાન છે. અલબત ભક્તોને મન તો સવિશેષ મહિમા હનુમાનજીના ઊંધા રૂપને નિહાળવાનો છે. કહે છે કે અહીં સળંગ પાંચ મંગળવાર અથવા તો શનિવાર ભરવાથી હનુમાનજી ભક્તોની સઘળી મનોકામનાને પૂર્ણ કરે છે. એટલે કે, અહીં હનુમાન પ્રતિમા ભલે ઊંધી હોય, પણ, આ પવનસુત તો ભક્તોને સડસડાટ સીધા પરિણામ પ્રાપ્ત કરાવે છે. ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે.

આ પણ વાંચો : દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

આ પણ વાંચો : અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">