AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રવેશ પૂર્વે બૂટ-ચંપલને બહાર ઉતારી દેવાની પ્રથા હોય છે. પણ, તમને નવાઈ લાગશે કે અહીં તો મંદિરમાં ભક્તો ચંપલની જોડીઓ કે ચંપલના હાર લઈને આવે છે.

Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !
અહીં મંદિરમાં ચંપલની માળા અર્પણ કરવાની પ્રથા !
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 30, 2021 | 10:39 AM
Share

ભલે દરરોજ ન જઈ શકાય, પણ, શુભ અવસરે તો મંદિરમાં (Temple) તમે ચોક્કસથી જતા જ હશો. તે સમયે દેવી-દેવતાને અર્પણ કરવા માટે નાળિયેર, મીઠાઈ કે ફૂલહાર પણ તમે જરૂરથી સાથે લેતાં જ હશો. પણ, શું તમે ક્યારેય કોઈ એવાં મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં શ્રદ્ધાળુઓ ચંપલ લઈને મંદિરે જતા હોય ! એટલું જ નહીં, દેવીની સન્મુખ ચંપલનો હાર અર્પણ કરતા હોય ! આવો, આજે આપણે કરીએ સૌથી અનોખાં જ સ્થાનકની વાત.

કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં લકમ્મા દેવીનું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે એકવાર ‘ફૂટવેર ફેસ્ટિવલ’ એટલે કે ચંપલના ઉત્સવનું આયોજન થાય છે. સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રવેશ પૂર્વે બૂટ-ચંપલને બહાર ઉતારી દેવાની પ્રથા હોય છે. પણ, તમને નવાઈ લાગશે કે આ ચંપલ ઉત્સવના અવસરે તો લકમ્મા દેવીના મંદિરમાં ભક્તો ચંપલની જોડીઓ કે ચંપલના હાર લઈને આવે છે અને દેવીની સન્મુખ તેને ધરી પોતાની મનશા અભિવ્યક્ત કરે છે. માન્યતા એવી છે કે આ ભેટથી પ્રસન્ન થઈને દેવી ઝડપથી ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે.

ક્યારે ઊજવાય છે ઉત્સવ ? દર વર્ષે દિવાળીના છઠ્ઠા દિવસે આ ચંપલ ઉત્સવનું આયોજન થાય છે. લોકો સમગ્ર વર્ષ આ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે ભક્તો ચંપલની માળાઓ લઈને મંદિરે આવે છે. તે માળા સાથે દેવી સન્મુખ કામના અભિવ્યક્ત કરે છે અને પછી મંદિર બહારના વૃક્ષ પર તે માળા લગાવીને પરત ફરે છે.

શું છે માન્યતા ? ગુલબર્ગમાં આવેલું લકમ્મા દેવીનું સ્થાનક લગભગ 600 વર્ષ પ્રાચીન છે. માન્યતા અનુસાર અહીં દેવીને ચંપલની માળા અર્પણ કરવાથી તે ઝડપથી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલું જ નહીં, દેવી દુષ્ટ શક્તિઓથી ભક્તોની રક્ષા કરતાં હોવાની પણ માન્યતા છે. જે લોકોને પગની કે ઘૂંટણની પીડા હોય તેવાં શ્રદ્ધાળુઓ તો ખાસ અહીં માને ચંપલ અર્પણ કરવા આવે છે. કહે છે કે તેનાથી દેવી પીડામાંથી ઝડપથી રાહત અપાવે છે.

કેવી રીતે શરૂ થઈ પ્રથા ? પૂર્વે જ્યારે બલિપ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે, દેવીને અહીં બળદની બલિ આપવામાં આવતી. ત્યારબાદ આ પ્રથા બંધ થતાં અહીં ચંપલ ઉત્સવની શરૂઆત થઈ. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવના અવસરે મંદિરમાં આવે છે. અને હરખભેર દેવીને ચંપલની ભેટ ધરે છે.

આ પણ વાંચો :રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">