AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video

Distance Between Sun and Earth:હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે,હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં કડી છે.

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video
Distance Between Sun and Earth
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 8:44 AM
Share

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી હતી. હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં ચોપાઇ છે.

“जुग सहस्त्र जोजन पर भानु. लील्यो ताहि मधुर फल जानू..”

સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું વર્ણન આ ચોપાઇમાં કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ તેનો અર્થ શું છે અને તે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેવી રીતે દર્શાવે છે.

આ પણ વાંચો : સુર્યને ગળી ગયા હતા બજરંગ બલી, આ રીતે પડ્યુ હનુમાન નામ, જાણો રોચક કથા

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે?

હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે. આ ચોપાઇનો અર્થ એ છે કે હનુમાનજીએ એક યુગ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત ભાનુ (સૂર્ય)ને મીઠા ફળ (કેરી) સમજીને ભક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે યોજન અંતર માટે ઉપયોગમાં લેવાતું પ્રથમ એકમ હતું.

આમાં એક યુગ એટલે 12000 વર્ષ, એક સહસ્ત્ર એટલે 1000 અને એક યોજન એટલે 8 માઈલ. હવે જો જોવામાં આવે તો યુગ x સહસ્ત્ર x યોજન = 12000x1000x8 માઇલ. આમ આ અંતર 96000000 માઈલ છે. આ અંતરને કિલોમીટરમાં જોઈએ તો એક માઈલમાં 1.6 કિમી હોય છે.આ હિસાબે 96000000×1.6 = 153600000 કિમી. આ ગણિતના આધારે ગોસ્વામી તુલસીદાસે પ્રાચીન સમયમાં કહ્યું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

શાસ્ત્રો અનુસાર હનુમાનજી ભગવાન શિવના અવતાર છે અને તેમનામાં જન્મથી જ અનેક દૈવી શક્તિઓ હતી. હનુમાન ચાલીસા અનુસાર બાળપણમાં બાળક હનુમાન સાથે રમતી વખતે સૂર્ય એક મીઠા ફળની જેમ દેખાય. તેને ખાવાની ઈચ્છામાં તેઓ તરત જ ઉડીને સૂર્ય પાસે પહોંચ્યા.

સુરજને ગળી ગયા હતા હનુમાન

હનુમાનજીએ પોતાને એટલા વિશાળ બનાવ્યા કે તેમણે સૂર્યને પોતાના મુખમાં સમાવી લીધા. તેમના આમ કરવાથી સમગ્ર સૃષ્ટિમાં અંધકાર ફેલાઈ ગયો અને બધા દેવી-દેવતાઓ ભયભીત થઈ ગયા. જ્યારે ભગવાન ઈન્દ્રને ખબર પડી કે એક વાનર બાળક સૂર્યને ખાઇ ગયો છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. ઈન્દ્ર હનુમાનજી પાસે પહોંચ્યા અને પોતાના હથિયાર વજ્ર વડે બાલ હનુમાનની હનુ પર પ્રહાર કર્યો. આ ફટકાથી કેસરી નંદનની હનુ પર ઇજા થઇ. આ કારણે તેમને હનુમાન કહેવામાં આવ્યા. હડપચી અથવા ચીનને સંસ્કૃતમાં હનુ કહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">