AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video

Distance Between Sun and Earth:હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે,હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં કડી છે.

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video
Distance Between Sun and Earth
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 8:44 AM
Share

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી હતી. હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં ચોપાઇ છે.

“जुग सहस्त्र जोजन पर भानु. लील्यो ताहि मधुर फल जानू..”

સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું વર્ણન આ ચોપાઇમાં કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ તેનો અર્થ શું છે અને તે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેવી રીતે દર્શાવે છે.

આ પણ વાંચો : સુર્યને ગળી ગયા હતા બજરંગ બલી, આ રીતે પડ્યુ હનુમાન નામ, જાણો રોચક કથા

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે?

હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે. આ ચોપાઇનો અર્થ એ છે કે હનુમાનજીએ એક યુગ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત ભાનુ (સૂર્ય)ને મીઠા ફળ (કેરી) સમજીને ભક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે યોજન અંતર માટે ઉપયોગમાં લેવાતું પ્રથમ એકમ હતું.

આમાં એક યુગ એટલે 12000 વર્ષ, એક સહસ્ત્ર એટલે 1000 અને એક યોજન એટલે 8 માઈલ. હવે જો જોવામાં આવે તો યુગ x સહસ્ત્ર x યોજન = 12000x1000x8 માઇલ. આમ આ અંતર 96000000 માઈલ છે. આ અંતરને કિલોમીટરમાં જોઈએ તો એક માઈલમાં 1.6 કિમી હોય છે.આ હિસાબે 96000000×1.6 = 153600000 કિમી. આ ગણિતના આધારે ગોસ્વામી તુલસીદાસે પ્રાચીન સમયમાં કહ્યું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

શાસ્ત્રો અનુસાર હનુમાનજી ભગવાન શિવના અવતાર છે અને તેમનામાં જન્મથી જ અનેક દૈવી શક્તિઓ હતી. હનુમાન ચાલીસા અનુસાર બાળપણમાં બાળક હનુમાન સાથે રમતી વખતે સૂર્ય એક મીઠા ફળની જેમ દેખાય. તેને ખાવાની ઈચ્છામાં તેઓ તરત જ ઉડીને સૂર્ય પાસે પહોંચ્યા.

સુરજને ગળી ગયા હતા હનુમાન

હનુમાનજીએ પોતાને એટલા વિશાળ બનાવ્યા કે તેમણે સૂર્યને પોતાના મુખમાં સમાવી લીધા. તેમના આમ કરવાથી સમગ્ર સૃષ્ટિમાં અંધકાર ફેલાઈ ગયો અને બધા દેવી-દેવતાઓ ભયભીત થઈ ગયા. જ્યારે ભગવાન ઈન્દ્રને ખબર પડી કે એક વાનર બાળક સૂર્યને ખાઇ ગયો છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. ઈન્દ્ર હનુમાનજી પાસે પહોંચ્યા અને પોતાના હથિયાર વજ્ર વડે બાલ હનુમાનની હનુ પર પ્રહાર કર્યો. આ ફટકાથી કેસરી નંદનની હનુ પર ઇજા થઇ. આ કારણે તેમને હનુમાન કહેવામાં આવ્યા. હડપચી અથવા ચીનને સંસ્કૃતમાં હનુ કહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">