Ambaji શક્તિપીઠના દર્શન સમયમાં ગ્રહણના કારણે થયો છે ફેરફાર, દિવાળીમાં દર્શન માટે જતા પહેલા જાણો સમગ્ર વિગતો
નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે, કારણ કે આગલા દિવસે વેધ લાગેલો હોવાથી અન્નકૂટની વસ્તુઓ ભગવાનને ધરાવી શકાય નહીં.
દિવાળીના (Diwali 2022) દિવસે તેમજ નવા વર્ષના દિવસે લાખો શ્રદ્ધાળુઓ કુળદેવીના દર્શને જતા હોય છે અને નવા વર્ષમાં સામાન્ય રીતે મંદિરોમાં દર્શન માટે ભીડ રહેતી હોય છે, પરંતુ દીવાળીના તહેવારમાં જ સૂર્ય ગ્રહણ હોવાથી અંબાજી (Ambaji Mandir) ખાતે દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેથી આ વર્ષે દીવાળીના દિવસે અંબાજી મંદિર ભાવિકો માટે બંધ રહેશે. જોકે સૂર્યગ્રહણને લઇ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દિવાળીના દિવસે જે સવારની આરતી 7:30 વાગ્યે કરાતી હતી તેના બદલે વહેલી પરોઢીયે સવારના 4:00 આરતી કરવામાં આવશે અને જેનો સવારે 4. 39 ગ્રહણનો વેધ લાગતો હોવાથી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસભર બંધ રહેશે અને સાંજની આરતી જે 6:30 કલાકે કરવામાં આવે છે. તેના બદલે રાત્રિના 9:30 એટલે કે સાડા નવ કલાકે કરવામાં આવશે .
જોકે બેસતા વર્ષના દિવસે એટલેકે તારીખ 26 ના દિવસે સવાર ની આરતી 6:00 કરવામાં આવશે એટલું જ નહી બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે કારણકે અન્નકુટના ધરાવવામાં આવતી મીઠાઈઓ આગળના દિવસમાં બની જતી હોય છે ને તેના ઉપર એના ઉપર ગ્રહણ નો વેધ લાગેલો હોવાથી મીઠાઈને માતાજીના સન્મુખ ધરાવી શકાય નહી. તેના કારણે બેસતા વર્ષના દિવસે અન્નકુટ ધરાવવાનું મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભાઈબીજ થી લાભપાંચમ સુધી સવારની આરતી 6. 30 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ મંદિરમાં સવારની આરતી 7. 30 કલાકે રાબેતા મુજબ રહેશે.
ગ્રહણના દિવસે અંબાજીના દર્શન સમયમાં ફેરફાર
તા 25/10/2022 દિવાળીની સવારે આરતી 4.00 થી 4.30 ( ત્યાર બાદ મંદિર બંધ)
તા.25/10/2022 સાંજની આરતી રાત્રે 9.30 કલાકે
તા. 26/10/2022 નૂતન વર્ષની આરતી 6.00 થી 6.30
તા.27/10/2022 થી 29/10/2022 સુધી સવારે આરતી 6.30 કલાકે
ત્યાર 30 ઓકટોબર બાદ રોજ સવારે 7.30 કલાકે આરતી થશે
સોમનાથ મંદિરના દર્શન સમયમાં પણ થશે ફેરફાર
સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.ગ્રહણ દરમીયાન તા.25 રોજ મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે તેમજ સાયં આરતી 7-30 કલાકે કરાશે. ગ્રહણ દરમીયાન દર્શનનો સમય પ્રાતઃ 6 થી રાત્રે 10 સુધી યથાવત રહેશે