ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા

મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા,

ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 17, 2021 | 6:56 PM

શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની વાર્તા: મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા, ઉચ્ચ કોટિના સાધુના અને સ્પષ્ટવાદી હતા. એટલે જ દુર્યોધન તેનાથી હંમેશા નારાજ રહેતા હતા અને જ્યારે હોય ત્યારે તેની નિંદા કરતાં હતા. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહથી અનન્ય પ્રેમ હોવાના કારણે તે દુર્યોધન દ્વારા કરવામાં આવતા અપમાનને સહર્ષ સ્વીકારી લેતા હતા.

હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હોવા છતાં તેની રેહણી-કરણી એક સાધુ જેવી જ હતી. ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અનુપમ પ્રિતી હતી. તેની ધર્મ પત્ની પારસંવી પણ પરમ સાધ્વી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દુત બનીને સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર પધાર્યા, ત્યારે દુર્યોધને તેની સંધિનો તો અસ્વીકાર કર્યો ઉપરાંત તેમણે રાત્રિના વિશ્રામ અને ભોજન વગેરે કરવાનો આગ્રહ કર્યો. પરંતુ ભાવ વગરનું દુર્યોધનનું આ આમંત્રણ કૃષ્ણે નકારી કાઢ્યું હતું. કારણ પૂછવા કૃષ્ણે કહ્યું કે,”હે દુર્યોધન! કોઈનો આતિથ્ય સ્વીકારવા માટે કોઈપણ ત્રણ કારણ હોય શકે છે: ભાવ, પ્રભાવ અને અભાવ. અર્થાત તારો એવો ભાવ નથી કે તેનાથી પ્રસન્ન થઈને તારા આમંત્રણને સ્વીકારી લઉં. તારો એવો કોઈ પ્રભાવ પણ નથી કે જેનાથી હું ભયભીત થઈને આમંત્રણ સ્વીકારી લઉં અને મારે તેવો કોઈએ અભાવ પણ નહીં કે જેનાથી મજબૂર થઈને મારે તારું આમંત્રણ સ્વીકારવું પડે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દુર્યોધનનો મહેલ છોડીને તે મહાત્મા વિદુરના આશ્રમ પહોંચ્યા. મહાત્મા વિદુર તે સમયે ઘરે ન હતા અને પારસ્વી સ્નાન કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણે દરવાજામાંથી અવાજ આપ્યો, દરવાજો ખોલો, હું શ્રી કૃષ્ણ છું અને મને ખૂબ ભૂખ લાગી છે. ભાવના હેઠળ શ્રી કૃષ્ણનો અવાજ સાંભળતાંની સાથે જ તરત જ તે જ હાલતમાં દરવાજો ખોલવા દોડી આવી. તેમની આ હાલત જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પીતાંબર તેના પર નાખી દીધું. પ્રેમ દિવાની પરસંવીને પોતાના તનની કયા કઈ પડી જ હતી. તેનું ધ્યાન તો દરવાજે ઉભેલા ભૂખ્યા શરૂ કૃષ્ણ પર હતું. તેને શું ખવડાવવું તે જ ગડમથલ મગજમાં ચાલતુ હતું.

હરખમાંને હરખમાં તેને ભગવાન શ્રી કૃષ્ણને ઉંધા બાજોઠ પર બેસાડી દીધા. દોડીને પરસંવિ અંદરથી કૃષ્ણ માટે કેળા લઈ આવી. તે પ્રેમભાવમાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે કેળા છોલી છોલીને તેની છાલ કૃષ્ણને ખવડાવતી રહી. શ્રી કૃષ્ણ પણ કેળાની છાલ ખાઈને પારસણવીના આ વિશિષ્ટ પ્રેમનો આનંદ માણી રહ્યા હતા. મહાત્મા વિદુર આવ્યા ત્યારે તે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈને ઊભા રહ્યા, પછી પારસણવીને ઠપકો આપ્યો તે પછી તેને ખબર પડી અને તેના મનની સરળતાથી જ શ્રી કૃષ્ણ પર જ ઊલટાનું નારાજ થવા લાગ્યા.

છીલકા દિનહે સ્યામ કહં , ભૂલી તન,મન,જ્ઞાન, ખાયે પૈ કયો અપને, ભૂલી ગયે ક્યોં ભાન,

ભગવાન આ સરળ વાણી પર હસી પડ્યા. ભગવાને વિધુરજીને કહ્યું કે,’તમે અત્યંત કટાણે આવ્યા. મને અત્યંત સુખની લાગણી થતી હતી. હું આવા ભોજન માટે હમેશા અતૃપ્ત જ હોવ છું. ત્યારબાદ વિદૂરજીએ ભગવાનને કેળાં ખવડાવવા લાગ્યા. કૃષ્ણે કહ્યું કે,”વિદૂરજી કેળા તો તમે મને બહુ સાવધાનીથી ખવડાવ્યા પણ કોણ જાણે આમાં પેલા એ કેળાની છાલ જેવો સ્વાદ આવતો નથી. આ સાંભળીને વિદૂરની પત્નીની આંખો માંથી ગંગા-જમના વહેવા લાગી. તે સમજી ગઈ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">