AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા

મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા,

ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 17, 2021 | 6:56 PM
Share

શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની વાર્તા: મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા, ઉચ્ચ કોટિના સાધુના અને સ્પષ્ટવાદી હતા. એટલે જ દુર્યોધન તેનાથી હંમેશા નારાજ રહેતા હતા અને જ્યારે હોય ત્યારે તેની નિંદા કરતાં હતા. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહથી અનન્ય પ્રેમ હોવાના કારણે તે દુર્યોધન દ્વારા કરવામાં આવતા અપમાનને સહર્ષ સ્વીકારી લેતા હતા.

હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હોવા છતાં તેની રેહણી-કરણી એક સાધુ જેવી જ હતી. ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અનુપમ પ્રિતી હતી. તેની ધર્મ પત્ની પારસંવી પણ પરમ સાધ્વી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દુત બનીને સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર પધાર્યા, ત્યારે દુર્યોધને તેની સંધિનો તો અસ્વીકાર કર્યો ઉપરાંત તેમણે રાત્રિના વિશ્રામ અને ભોજન વગેરે કરવાનો આગ્રહ કર્યો. પરંતુ ભાવ વગરનું દુર્યોધનનું આ આમંત્રણ કૃષ્ણે નકારી કાઢ્યું હતું. કારણ પૂછવા કૃષ્ણે કહ્યું કે,”હે દુર્યોધન! કોઈનો આતિથ્ય સ્વીકારવા માટે કોઈપણ ત્રણ કારણ હોય શકે છે: ભાવ, પ્રભાવ અને અભાવ. અર્થાત તારો એવો ભાવ નથી કે તેનાથી પ્રસન્ન થઈને તારા આમંત્રણને સ્વીકારી લઉં. તારો એવો કોઈ પ્રભાવ પણ નથી કે જેનાથી હું ભયભીત થઈને આમંત્રણ સ્વીકારી લઉં અને મારે તેવો કોઈએ અભાવ પણ નહીં કે જેનાથી મજબૂર થઈને મારે તારું આમંત્રણ સ્વીકારવું પડે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.

દુર્યોધનનો મહેલ છોડીને તે મહાત્મા વિદુરના આશ્રમ પહોંચ્યા. મહાત્મા વિદુર તે સમયે ઘરે ન હતા અને પારસ્વી સ્નાન કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણે દરવાજામાંથી અવાજ આપ્યો, દરવાજો ખોલો, હું શ્રી કૃષ્ણ છું અને મને ખૂબ ભૂખ લાગી છે. ભાવના હેઠળ શ્રી કૃષ્ણનો અવાજ સાંભળતાંની સાથે જ તરત જ તે જ હાલતમાં દરવાજો ખોલવા દોડી આવી. તેમની આ હાલત જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પીતાંબર તેના પર નાખી દીધું. પ્રેમ દિવાની પરસંવીને પોતાના તનની કયા કઈ પડી જ હતી. તેનું ધ્યાન તો દરવાજે ઉભેલા ભૂખ્યા શરૂ કૃષ્ણ પર હતું. તેને શું ખવડાવવું તે જ ગડમથલ મગજમાં ચાલતુ હતું.

હરખમાંને હરખમાં તેને ભગવાન શ્રી કૃષ્ણને ઉંધા બાજોઠ પર બેસાડી દીધા. દોડીને પરસંવિ અંદરથી કૃષ્ણ માટે કેળા લઈ આવી. તે પ્રેમભાવમાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે કેળા છોલી છોલીને તેની છાલ કૃષ્ણને ખવડાવતી રહી. શ્રી કૃષ્ણ પણ કેળાની છાલ ખાઈને પારસણવીના આ વિશિષ્ટ પ્રેમનો આનંદ માણી રહ્યા હતા. મહાત્મા વિદુર આવ્યા ત્યારે તે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈને ઊભા રહ્યા, પછી પારસણવીને ઠપકો આપ્યો તે પછી તેને ખબર પડી અને તેના મનની સરળતાથી જ શ્રી કૃષ્ણ પર જ ઊલટાનું નારાજ થવા લાગ્યા.

છીલકા દિનહે સ્યામ કહં , ભૂલી તન,મન,જ્ઞાન, ખાયે પૈ કયો અપને, ભૂલી ગયે ક્યોં ભાન,

ભગવાન આ સરળ વાણી પર હસી પડ્યા. ભગવાને વિધુરજીને કહ્યું કે,’તમે અત્યંત કટાણે આવ્યા. મને અત્યંત સુખની લાગણી થતી હતી. હું આવા ભોજન માટે હમેશા અતૃપ્ત જ હોવ છું. ત્યારબાદ વિદૂરજીએ ભગવાનને કેળાં ખવડાવવા લાગ્યા. કૃષ્ણે કહ્યું કે,”વિદૂરજી કેળા તો તમે મને બહુ સાવધાનીથી ખવડાવ્યા પણ કોણ જાણે આમાં પેલા એ કેળાની છાલ જેવો સ્વાદ આવતો નથી. આ સાંભળીને વિદૂરની પત્નીની આંખો માંથી ગંગા-જમના વહેવા લાગી. તે સમજી ગઈ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે.

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">