AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પનોતી નિવારશે ‘મહાકાય’ મારુતિ! જાણો ‘ઝંડ’ હનુમાનનો મહિમા

બોડેલીના ઝંડ હનુમાન મંદિરે 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. આ મહાકાય મારુતિ પનોતીમાંથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા છે. કહે છે કે વનવાસ દરમિયાન પાંડવો પણ અહીં આવ્યા હતા.

પનોતી નિવારશે ‘મહાકાય’ મારુતિ! જાણો ‘ઝંડ’ હનુમાનનો મહિમા
ઝંડ હનુમાનજી
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 31, 2021 | 8:26 AM
Share

છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં ઝંડ (ZAND) નામે ગામ આવેલું છે. જાંબુઘોડા અભ્યારણ્ય વચ્ચે આવેલું આ નાનકડું ગામ લાખો હનુમાન ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તેનું કારણ છે અહીં વિદ્યમાન થયેલું પવનસુતનું ‘ઝંડ’ રૂપ !

‘ઝંડ’નો અર્થ થાય છે ‘મહાકાય’, અને તેના નામની જેમ જ અહીં પ્રસ્થાપિત થયું છે મારુતિનું અત્યંત ‘મહાકાય’ સ્વરૂપ. અહીં કષ્ટભંજન કોઈ મંદિરના ગર્ભગૃહમાં નહીં, પરંતુ, વિશાળ પરિસરમાં જ ભક્તોને દર્શન આપી રહ્યા છે. અહીં વિશાળ શિલા પર લગભગ 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. કહે છે કે ઝંડ હનુમાનજીની આ વિશાળ પ્રતિમા અહીં સ્વયંભૂ જ મળી આવી હતી.

આ મૂર્તિની સૌથી મોટી વિશેષતા એ છે કે હનુમાનજીના પગ નીચે પનોતી દબાયેલી છે. એટલે કે અહીં દર્શનથી પનોતીમાં રાહત મળતી હોવાની માન્યતા છે. એ જ કારણ છે કે અભ્યારણ વચ્ચે સ્થિત આ સ્થાનક સુધી પહોંચવાનો માર્ગ ઘણો વિકટ હોવા છતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે.

ભક્તોનું માનીએ તો ઝંડ હનુમાનજી એ તો ‘જાગતા હનુમાન’ છે. એટલે કે, એવાં હનુમાન કે જે શ્રદ્ધાળુઓને સદૈવ તેમના પરચા પૂરે છે. ઝંડ હનુમાન ભાવિક ભક્તોના મનોરથોને તો પૂર્ણ કરે જ છે. પણ, જો ભક્તો કોઈ ભૂલ કરી બેસે તો તેમને દંડ પણ કરે છે. અલબત્ આ જ વાત તેમના અહીં હાજરા હજૂર હોવાની સાક્ષી પૂરી રહી છે.

the glory of ‘Zand’ Hanuman

ભીમની ઘંટી !

ઝંડ હનુમાનજીના મંદિરની નજીક પાંડવકાલીન ભીમની ઘંટી અને અર્જુન કૂવો આવેલો છે. ભક્તો આસ્થા સાથે તેના પણ દર્શન કરે છે. માન્યતા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો જ્યારે આ ધરા પર આવ્યા ત્યારે, ભીમસેન આ જ ઘંટીમાં અનાજ દળતા હતા ! તો, દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી આ ભૂમિમાંથી જળ પ્રગટ કર્યું હતું. દ્રૌપદીએ એ જળથી તેમની તરસ છિપાવી હતી, એ જ સ્થાન પર કૂવાનું જળ ગ્રહણ કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

આ પણ વાંચો   અકસ્માતથી બચાવતા વારાહી માતા, ભક્તો માતાની સમીપે કરાવે છે નવા વાહનોની પૂજા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">