Devshayani Ekadashi: દેવશયની એકાદશીની સંધ્યાએ તુલસીજી સન્મુખ કરી લો બસ આ એક કામ, તમામ સંકટોનું શમન કરી શ્રીવિષ્ણુ અપાવશે આર્થિક લાભ!

Devshayani Ekadashi: દેવશયની એકાદશીના (Devshayani Ekadashi) દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવું. તે બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. શાસ્ત્રો અનુસાર જે પણ જાતક અષાઢ માસમાં બંને પક્ષની એકાદશીએ આંબળાના રસને જળમાં ઉમેરીને સ્નાન કરે છે તેમના જીવન દરમિયાનના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે.

Devshayani Ekadashi: દેવશયની એકાદશીની સંધ્યાએ તુલસીજી સન્મુખ કરી લો બસ આ એક કામ, તમામ સંકટોનું શમન કરી શ્રીવિષ્ણુ અપાવશે આર્થિક લાભ!
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 28, 2023 | 11:47 AM

Devshayani Ekadashi: સનાતન હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીની (Devshayani Ekadashi) આગવી જ મહત્તા છે. આ જ તિથિથી ચાતુર્માસનો પણ પ્રારંભ થતો હોય છે. આ વખતે આ એકાદશી તારીખ 29 જૂન, ગુરુવારના રોજ છે. કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજી બંન્ને ભક્તો પર તેમની કૃપા વરસાવતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ તિથિ પર એવાં કયા ઉપાયો અજમાવવા જોઈએ કે જેથી પ્રભુ આપની સઘળી મનશાઓની પૂર્તિ કરી દે.

ચાતુર્માસનો પ્રારંભ

વર્ષની સર્વોત્તમ એકાદશીઓમાં સ્થાન ધરાવતી દેવપોઢી એકાદશીનું વ્રત આ વખતે 29 જૂન, ગુરુવારના રોજ રાખવામાં આવશે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં ચાલ્યા જાય છે. અને પછી ચાર માસ બાદ કારતક સુદ એકાદશીએ પ્રભુ જાગે છે. આ ચાર માસ સુધી ભગવાન શિવ સમસ્ત સંસારની જવાબદારી નિભાવે છે. એક માન્યતા અનુસાર આ ચાર માસ પર્યંત ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલિને ત્યાં નિવાસ કરે છે. કથાનકો તો અનેક છે પરંતુ, આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૃથ્વી પર હાજરી ન હોઈ કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. અલબત્, આ તિથિ અત્યંત ફળદાયી છે. માન્યતા અનુસાર જો યોગ્ય વિધિ-વિધાનને અનુસરવામાં આવે તો આ તિથિ શ્રદ્ધાળુઓને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારી બની રહે છે. એટલું જ નહીં, આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવી તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો.

વિષ્ણુજીનો અભિષેક

ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિથી ભક્તોના જીવનમાં ખુશહાલી આવે છે અને તેમને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે દેવશયની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ લઇને તેમાં જળ ભરીને શ્રીહરિ પર તે જળનો અભિષેક કરો. આ ઉપાયથી ભક્તોને અવશ્ય લાભની પ્રાપ્તિ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અભિષેકથી અખૂટ ધાન્યના આશીર્વાદ

હરિશયની એકાદશીના દિવસે ગાયના કાચા દૂધમાં કેસર મિશ્રિત કરવું. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ પર તેનો અભિષેક કરવો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં રહે છે.

સમસ્યામાંથી મુક્તિ અર્થે

વિવિધ સમસ્યાઓથી મુક્તિ અર્થે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યારબાદ તેમને ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. તેની સાથે તેમને પીળા રંગના ફળ અને પીળા રંગની મીઠાઈ પણ અર્પણ કરવી જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી સફળતાની પ્રાપ્તિ તો થાય જ છે. સાથે જ, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આર્થિક લાભ અર્થે

એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનલાભની પ્રાપ્તિ થાય છે.

મહાલક્ષ્મીની સવિશેષ કૃપા અર્થે

દેવશયની એકાદશીના દિવસે ।। ૐ નમો નારાયણાય ।। અથવા ।। ૐ નમો ભગવતે વાસુદેવાય ।। મંત્રના જાપ કરવા જોઇએ. તુલસીની માળાથી આ મંત્રોના 108 વાર જાપ કરવો ખૂબ જ ફળદાયી મનાય છે. વિષ્ણુના જાપથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને ભક્તોને ધનપ્રાપ્તિના આશિષ પ્રદાન કરે છે.

આંબળા દૂર કરશે પાપ !

દેવશયની એકાદશીના દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવું અત્યંત ફળદાયી મનાય છે. તે બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. શાસ્ત્રો અનુસાર જે પણ જાતક અષાઢ માસમાં બંને પક્ષની એકાદશીએ આંબળાના રસને જળમાં ઉમેરીને સ્નાન કરે છે, તેના જીવન દરમિયાનના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે.

સંકટથી મુક્તિ અર્થે

દેવપોઢી એકાદશીનું વ્રત સાધકને અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. પણ કહે છે કે આ દિવસે તુલસીજી સંબંધિત એક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના સંકટોનું શમન થઈ જાય છે. દેવપોઢી એકાદશીએ સાંજના સમયે તુલસીક્યારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. ત્યારબાદ ।। ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ।। મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની 11 પરિક્રમા કરવી. પ્રદક્ષિણા બાદ તુલસીજી સન્મુખ બેસીને શ્રીવિષ્ણુનું સ્મરણ કરવું. માન્યતા અનુસાર દેવપોઢી એકાદશીની સાંજે આસ્થા સાથે તુલસીજીનો આ સરળ પ્રયોગ કરવાથી ઘરના દરેક સંકટ અને પરેશાની દૂર થાય છે. નાણાની તંગી પણ દૂર થાય છે. અને સાથે જ વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">