Gujarati NewsBhaktiVastu Tips For Relationship: Make mother in law, daughter in law strong with the help of Vastu Shastra, learn easy ways
Vastu Tips : શું સાસુ-વહુ વચ્ચે થાય છે ઝઘડા, તો અજમાવો આ વાસ્તુ ટીપ્સ
વાસ્તુશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ સંબંધોને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. સૌથી સંવેદનશીલ છતાં સુંદર સંબંધોમાંનો એક સંબંધ છે સાસુ અને વહુનો. અહીં વાંચો સાસુ-વહુના સંબંધોને મજબૂત કરવા માટે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ.
Vastu Tips For Relationship
Follow us on
Vastu Tips For Relationship: સંયુક્ત કુટુંબમાં રહેવાનું દરેકને ગમે છે, પરંતુ આજકાલ સાસુ-વહુ વચ્ચે તાલમેલના અભાવે લોકો વિભક્ત કુટુંબને પ્રાથમિકતા આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાસુ અને વહુ વચ્ચે સારા સંબંધનો પાયો ઘણી બાબતો પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, જો પરિવારમાં બે કે તેથી વધુ પુત્રવધૂઓ છે, તો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, બેડરૂમની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. નહિંતર, સાસુ-વહુના સંબંધોમાં હંમેશા તણાવ રહે છે. પરિવારમાં અવારનવાર ઝઘડાઓ પણ થાય છે.
સાસુ-વહુનો સંબંધ માતા-પુત્રીના બંધનનું પરિણામ છે. જન્મ પત્રિકામાં 4 નંબરના ઘરને માતા સાથે જોડીને દર્શાવામાં આવે છે અને રાહુ અને શનિની હાજરી વ્યક્તિના સંબંધોને પ્રતિકૂળ અસર કરી શકે છે. અને સાતમું ઘર પતિને દર્શાવે છે. જે અમુક અંશે સાસુ અને વહુ વચ્ચેના સંબંધોને સુધારવા અને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે સાસુ અને વહુ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો માટે વાસ્તુશાસ્ત્ર શું કહે છે?
પુત્રવધૂએ દરરોજ ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અર્પણ કરવી જોઈએ.
દર ગુરુવારે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.
સ્ત્રીની કુંડળીમાં સાતમું ઘર જીવનસાથીનું હોય છે. અને પતિની કુંડળીમાં ચોથું સ્થાન તેની માતાનું છે. તેથી પુત્રવધૂએ કુંડળીમાં ચોથા ઘરમાં રહેલા ગ્રહની પૂજા કરવી જોઈએ.
શુદ્ધ પાણીથી ભરેલા માટીના વાસણમાં ગુલાબના કેટલાક ફૂલો મૂકો અને તેને ડ્રોઇંગ રૂમમાં રાખો.
ઝઘડા ટાળવા માટે, દરરોજ ગોળ સાથે તૈયાર કરેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવો.
પુત્રવધૂ સાથે મળી પક્ષીઓને અનાજ આપો.
આ ઉપાયો કરવાથી સાસુ અને વહુ વચ્ચેના સંબંધો સુધરવાની સંભાવના છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.