Mahashivratri 2021: મહાશિવરાત્રી પર શિવ યોગની સાથે સાથે હશે ધનિષ્ઠા નક્ષત્ર, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

|

Feb 17, 2021 | 4:41 PM

Mahashivratri 2021: મહાશિવરાત્રી 2021માં 11 માર્ચ (ગુરુવાર)ના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર અનેક શુભ સંયોગ રચાશે.

Mahashivratri 2021: મહાશિવરાત્રી પર શિવ યોગની સાથે સાથે હશે ધનિષ્ઠા નક્ષત્ર, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

Follow us on

Mahashivratri 2021: મહાશિવરાત્રી 2021માં 11 માર્ચ (ગુરુવાર)ના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર અનેક શુભ સંયોગ રચાશે. જ્યોતિષીઓના કહેવા મુજબ મહાશિવરાત્રી પર શિવયોગ સાથે આત્મીય નક્ષત્ર હશે અને મકર રાશિમાં ચંદ્ર બેસશે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતીય પંચાંગ (અમાવસ્યંત પંચાંગ) અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ બંને તારીખ એક જ દિવસે આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત કરે છે, તેને જીવનમાં સુખ-શાંતિ મળે છે. તેમજ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને અવિવાહિત લોકોના વિવાહના યોગ પણ બને છે.

 

મહા શિવરાત્રી 2021 શુભ મુહૂર્ત

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

નિશિથ કાળ પૂજા મુહૂર્ત: 24:06: 41થી 24:55:14.
અવધિ: 0 કલાક 48 મિનિટ.
મહાશિવરાત્રી પારણા મુહૂર્તા: 06: 36: 06થી 15:04:32.

 

મહાશિવરાત્રીના દિવસે કાળસર્પ દોષને પૂજાથી દૂર કરવામાં આવે છે

ધાર્મિક વિધિ વિધાન દ્વારા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે ચંદ્ર અશુભ હોવાથી પૈસાની ખોટની સંભાવના છે. આ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

 

મહાશિવરાત્રીનું મહત્વ

એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મનપસંદ વરને મેળવવાનો આશીર્વાદ મળે છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

 

મહાશિવરાત્રી વ્રત પૂજા પદ્ધતિ

1. માટી અથવા તાંબાના લોટામાં પાણી અથવા દૂધ ભરીને બીલીપત્ર, ધાતુરના ફૂલ, ચોખા વગેરેને શિવલિંગ પર ચઢાવવા જોઈએ.

2. મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણ અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવનો પંચકક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ. વળી, મહાશિવરાત્રી પર રાત્રી જાગરણનો પણ મહિમા છે.

3. શાસ્ત્રો અનુસાર નિશીથ કાળ દરમિયાન મહાશિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે.

 

આ પણ વાંચો: Holi 2021 Dhruv Yog: આ હોળીએ બને છે ધ્રુવ યોગ, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Next Article