જો તમે આ નિયમોનું પાલન કરી શકતા હોવ, તો જ મળશે ભગવદ્ ગીતાના પઠનનું પૂર્ણ ફળ !

ભગવદ્ ગીતા (Bhagavad Gita ) ખૂબ જ પવિત્ર ગ્રંથ છે. તેને ક્યારેય ખરાબ હાથોથી ન ઉપાડવી જોઇએ. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પછી જ ગીતાજીનો પાઠ કરવો જોઇએ.

જો તમે આ નિયમોનું પાલન કરી શકતા હોવ, તો જ મળશે ભગવદ્ ગીતાના પઠનનું પૂર્ણ ફળ !
Krishna -Arjun
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:30 AM

હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાના પાઠનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે લોકો નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલ વાતો પોતાના જીવનમાં ઉતારે છે, તેમના માટે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ થઇ જાય છે. મહાભારત ગ્રંથમાં 18માં અધ્યાયમાં 700 શ્વોક છે, જેને ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે. જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સમક્ષ યુદ્ધમાં પોતાના જ સંબંધીઓને જોયા, ત્યારે તે ખૂબ વિચલિત થઇ ગયા. અર્જુને શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી. ત્યારે યુદ્ધમાં તેમના સારથી બનેલ શ્રીકૃષ્ણએ તેમના જ્ઞાનચક્ષુ ખોલીને તેમને ઉપદેશ આપ્યો. જેને ગીતા જ્ઞાન કહે છે. ઘણાં લોકો નિત્ય જ આ ગીતાજીનું પઠન કરે છે. પરંતુ, ગીતાજીના પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે તેના પઠન દરમ્યાન કેટલાંક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો, આજે તે નિયમો વિશે જ જાણીએ.

ગીતા પઠનના નિયમ

⦁ ભગવદ ગીતાનો પાઠ ગમે તે સમયે અને ગમે તે સ્થાન પર કરી શકાય છે. પરંતુ, તેનું પૂર્ણફળ પ્રાપ્ત કરવા માટે તેને પઠન કરવાના નિમયોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ પૂજા પાઠ અને જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે, તે જ પ્રકારે ગીતા પઠન માટે પણ સવારનો સમય શ્રેષ્ઠ છે.

⦁ ભગવદ્ ગીતા ખૂબ જ પવિત્ર ગ્રંથ છે. તેને ક્યારેય ખરાબ હાથોથી ન ઉપાડવી જોઇએ. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પછી જ ગીતાજીનો પાઠ કરવો જોઇએ.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

⦁ ગીતાનો પાઠ કરતાં પહેલા ચા, કોફી, પાણી કે કોઇપણ અન્ય વસ્તુ ગ્રહણ ન કરવી જોઇએ.

⦁ ગીતાનો પાઠ પ્રારંભ કરતાં પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનું ધ્યાન અવશ્ય ધરવું જોઇએ.

⦁ ગીતા પઠન પહેલા તેના વિશેષ અધ્યાય ગીતા માહાત્મ્યને અવશ્ય વાંચવું જોઇએ.

⦁ ગીતા પઠન સમયે સંપૂર્ણ ધ્યાન તેમાં જ એકાગ્ર રાખવું જોઇએ. પાઠ કરતાં સમયે વચ્ચે વાતચીત ન કરવી જોઇએ.

⦁ ગીતા પઠન કરતા સમયે ઊનના આસન પર સ્થાન ગ્રહણ કરવું અને નિત્ય તે જ આસનનો ઉપયોગ કરવો.

⦁ જો તમે ગીતા પાઠ કરો છો, તો સ્વયં જ તેની સાફ-સફાઇનું ધ્યાન રાખવું જોઇએ.

⦁ નિત્ય એક નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થાન પર જ ગીતા પાઠ કરવો જોઇએ. ઓછામાં ઓછું જે અધ્યાય શરૂ કરો તે સમાપ્ત કરીને જ તે સ્થાન પરથી ઉઠવું જોઇએ.

⦁ ગીતાજીનો દરેક શ્લોક વાંચ્યા પછી તેનો સાર અવશ્ય વાંચવો અને સમજવો જોઇએ.

⦁ ગીતા પઠનને એક પુસ્તક તરીકે જ સિમિત ન રાખો. પરંતુ, તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ.

⦁ ગીતા પઠન પહેલા અને પછી ગીતાજીને મસ્તક પર લગાવીને પ્રણામ કરવા જોઇએ.

⦁ ભગવદ ગીતાનો પાઠ કર્યા બાદ તેની આરતી કરવી જોઇએ.

⦁ ગીતા પાઠ નિત્ય કરવાનો એક નિયમ બનાવવો જોઇએ.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">