Sharadpurnima 2022 : શરદપૂર્ણિમાના દિવસે આ એક વસ્તુથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી, જાણો કેવી રીતે પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ

જ્યોતિષશાસ્ત્ર (Jyotishshashtra) અનુસાર શરદપૂર્ણિમાની (Sharadpurnima) રાત્રે શ્રીસૂક્તના પાઠ, કનકધારા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અને ભગવાન કૃષ્ણના મધુરાષ્ટકમના પાઠ કરવાથી આપને કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે સાથે માતા લક્ષ્મીની કૃપા આપના પર અવિરત વરસતી રહે છે.

Sharadpurnima 2022 : શરદપૂર્ણિમાના દિવસે આ એક વસ્તુથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી, જાણો કેવી રીતે પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ
Goddess lakshmi (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 06, 2022 | 6:28 AM

આસો માસની પૂર્ણિમાની (Purnima) તિથીએ શરદપૂનમની (Sharadpurnima) ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મીની (Goddess lakshmi) પૂજા કરવાનું દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરવા નીકળે છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંથી (Moon) નિકળતા કિરણો અમૃત સમાન હોવાની માન્યતા છે. આ જ કારણથી આ દિવસે દૂધ-પૌંઆ બનાવવામાં આવે છે અને રાત્રે ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. જેના કારણે દૂધ-પૌંઆમાં ચંદ્રના કિરણો પડે જેનાથી તે દૂધ-પૌંઆ અમૃત સમાન બને છે. શરદપૂર્ણિમાનું વ્રત મનોકામના પૂર્તિ કરનાર માનવામાં આવે છે. શરદપૂર્ણિમાની રાત્રે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવાથી આપ જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે.

દેવા મુક્તિ અર્થે

કહેવાય છે કે શરદપૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે એટલે જ આ પૂર્ણિમાને દેવામુક્તિ પૂર્ણિમા પણ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાત્રે શ્રીસૂક્તના પાઠ, કનકધારા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અને ભગવાન કૃષ્ણના મધુરાષ્ટકમના પાઠ કરવાથી આપને કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કમાણીના અલગ રસ્તા ખુલે છે જેના દ્વારા દેવાની ચુકવણી કરીને દેવામાંથી મુક્તિ મેળવી શકાય.

મનોકામના પૂર્તિ અર્થે

શરદપૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી માતા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સાથે જ માતા લક્ષ્મીને લાલ અને પીળા રંગના પુષ્પ તેમજ ભોગ અર્પણ કરવામાં આવે છે. માતા લક્ષ્મીને શણગારની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે છે. કમલગટ્ટા કે સ્ફટિકની માળાથી નીચે આપેલ મંત્રની માળા કરવાથી આપની મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે. ૐ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન મહાલક્ષ્મ્યૈ અસ્માંક દારિદ્રય નાશય પ્રચુર ધન દેહિ દેહિ ક્લીં હ્રીં શ્રીં ૐ ||

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ધનપ્રાપ્તિ અર્થે

શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી વ્યક્તિને ધનલાભ થાય છે સાથે જ શરદપૂર્ણિમાની રાત્રે હનુમાનજીની સમક્ષ ચારવાટનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. કહેવાય છે કે લક્ષ્મીમાતાને સોપારી ખૂબ પ્રિય છે. શરદપૂર્ણિમાના દિવસે સવારે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમાં સોપારી અવશ્ય રાખો. પૂજા કર્યા બાદ સોપારીને લાલ દોરાથી ઢાંકીને અક્ષત, કંકુ, પુષ્પથી પૂજન કરીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">