Jyotish upay : આજથી જ કરો ચોખાના આ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર

હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ (Jyotish upay ) કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના મહત્વના કારણે તેને ભગવાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે. તમે ચોખા સાથે અનેક પ્રકારના ઉપાય પણ કરી શકો છો.

Jyotish upay : આજથી જ કરો ચોખાના આ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર
Rice Jyotish upay
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 2:41 PM

જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પ્રયત્નોમાં લાગેલા હોય છે. લોકો દરેક સુખ-સુવિધા મેળવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ કેટલાક લોકોને સફળતા મળતી નથી. જીવનની આ ભાગદોડમાં, લોકો ઘણા પ્રયત્નો પછી પણ તેમના જીવનમાં અવરોધો કેમ આવે છે તે શોધી શકતા નથી. શા માટે પૈસાની અછત તેમને વારંવાર પરેશાન કરે છે? અથવા જો પૈસા હાથમાં આવે, પણ તે ટકે નહીં. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં આ સમસ્યા વિશે ઘણી મહત્વની વાતો જણાવવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Upay) અનુસાર કુંડળીમાં રહેલા ગ્રહ દોષ તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે. આ ખામીઓ તમને માત્ર આર્થિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ પરેશાન કરી શકે છે. ક્યાંક ને ક્યાંક તમને કોઈક પ્રકારની ખામીના કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં દોષોને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાં ચોખાના ઉપાયો પણ સામેલ છે.

હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના મહત્વના કારણે તેને ભગવાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે. તમે પણ ચોખાના કેટલાક ઉપાય કરીને તમારા જીવનમાં આવતા અવરોધોને દૂર કરી શકો છો. તેમના વિશે જાણો…

પૂર્ણિમાના દિવસે ચોખાનો ઉપાય

જો કોઈ કારણસર તમારા જીવનમાં અશાંતિની સ્થિતિ આવી રહી છે અને તમે શાંતિ ઈચ્છો છો તો તેના માટે તમારે પૂર્ણિમાના દિવસે ચોખાનો ઉપાય કરવો જોઈએ. આ દિવસે ચોખાની ખીર બનાવીને ચંદ્રદેવને અર્પણ કરો. ચંદ્રદેવની પૂજા કરવાથી તે પ્રસન્ન થશે અને તમને ધન સહિત અનેક લાભ મળશે.

આ પણ વાંચો

મીઠાઈ અને પીળા ચોખા

ભગવાન વિષ્ણુને ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને ખુશ કરવા માટે તમે ગુરુવારે ચોખાનો ઉપાય કરી શકો છો. તેના માટે ગુરુવારે પીળા ચોખા તૈયાર કરો અને તેમાં મીઠાઈની સાથે કેસરનો ઉપયોગ કરો. આવું કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે. ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવાથી તમને પૈસાની કમી નહીં આવે અને શક્ય છે કે તમારું સૂતેલું નસીબ જાગી જાય.

ચોખાનું દાન

જો કોઈના પૂર્વજો ક્રોધિત હોય તો તે ગમે તેટલા પ્રયત્નો કરે, તેને પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ લાગે છે. જો તમે પિતૃ દોષ દૂર કરવા માંગો છો, તો તમારે તેના માટે ચોખાનું દાન કરવું જોઈએ. વાસ્તવમાં દાન કરવું શુભ છે અને તેના દ્વારા પુણ્ય પણ મેળવી શકાય છે. મંગળવારે રાંધેલા ભાત અને કઢીનો ભંડારો કરવો. જો તમે શનિદોષથી બચવા માંગતા હોવ તો ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરો. બીજી તરફ સૂર્ય દોષથી બચવા માટે ચોખામાં થોડી હળદર ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">