AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2022 : રાવણને કેટલી પત્નીઓ હતી? જાણો મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે લગ્ન કર્યા

Dussehra 2022 : શું તમે જાણો છો કે રાવણના કેટલા લગ્ન હતા અને કેટલી પત્નીઓ હતી. રામાયણમાં રાવણની પત્ની મંદોદરીનો ઉલ્લેખ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાવણની વધુ બે પત્નીઓ હતી. આવો અમે તમને વિજય દશમીના તહેવાર પર જણાવીએ કે રાવણને કેટલી પત્નીઓ હતી.

Dussehra 2022 : રાવણને કેટલી પત્નીઓ હતી? જાણો મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે લગ્ન કર્યા
Dussehra 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 4:02 PM
Share

Dussehra 2022 : રાક્ષસ રાજા રાવણ અત્યંત વિદ્વાન અને ઘમંડી હતો. રાવણને પોતાની શક્તિઓ અને સોનાની લંકા પર ખૂબ ઘમંડ હતો. શાસ્ત્રો અનુસાર, આસો મહિનાના દસમીના ભગવાન રામે રાવણ (Ravan)નો વધ કર્યો હતો અને તેની પત્ની સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરી હતી. ત્યારથી દશેરાને અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર દશેરાના બરાબર 20 દિવસ પછી આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ(Ram) 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા હતા.

શું તમે જાણો છો કે રાવણે કેટલા લગ્ન કર્યા હતા અને તેની કેટલી પત્નીઓ હતી. વાલ્મીકિની રામાયણમાં માત્ર રાવણની પત્ની મંદોદરીનો જ ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાવણની વધુ બે પત્નીઓ હતી. આજે દશેરાના તહેવાર નિમીતે આપણે જાણીએ કે રાવણને કેટલી પત્નીઓ હતી અને તેમને કેટલા બાળકો હતા.

રાવણની પહેલી પત્નીનું નામ મંદોદરી હતું. મંદોદરી રાક્ષસ રાજા મયાસુરની પુત્રી હતી. ઈન્દ્રજીત, મેઘનાદ, મહોદર, પ્રહસ્ત, વિરૂપાક્ષ, ભીકમ મંદોદરીના સંતાનો હતા. રાવણની બીજી પત્નીનું નામ ધન્યમાલિની હતું. ધન્યમાલિનીએ અતિક્યા અને ત્રિશિરાર નામના બે પુત્રોને જન્મ આપ્યો. મંદોદરી અને ધન્યમાલિની સિવાય રાવણને ત્રીજી પત્ની પણ હતી. ત્રીજી પત્નીનું નામ અજ્ઞાત છે. પ્રહસ્થ, નરાંતક અને દેવતક તેમના બાળકો હતા.

રાવણના મૃત્યુ પછી મંદોદરીનું શું થયું?

ભગવાન રામે રાવણનો વધ કર્યા પછી વિભીષણ લંકાના રાજા બન્યા. એવું કહેવાય છે કે રાવણના મૃત્યુ પછી વિભીષણે તેની ભાભી મંદોદરી સાથે લગ્ન કર્યા હતા. મંદોદરી વિશે એવું કહેવાય છે કે તે એક સતી સ્ત્રી હતી, જે પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતી હતી. તેથી જ રાવણના મૃત્યુ પછી, મંદોદરીએ વિભીષણ સાથેના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો. તેણીએ વિભીષણથી પણ પોતાને અલગ કરી લીધા હતા, પરંતુ થોડા સમય પછી તેણે વિભીષણ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">