AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Astro Remedies: શનિવારે શનિદેવના આ 7 ઉપાય કરવાથી ઢૈયા અને સાડાસાતીની અસરથી મળશે મુક્તિ

શનિવારના દિવસે ભગવાન શનિની કૃપા મેળવવા માટે વ્યક્તિએ પીપળાની પૂજા કરવી જોઈએ. હિંદુ માન્યતા અનુસાર શનિવારે જળ ચઢાવવાથી અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

Saturn Astro Remedies: શનિવારે શનિદેવના આ 7 ઉપાય કરવાથી ઢૈયા અને સાડાસાતીની અસરથી મળશે મુક્તિ
Shanidev
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:45 AM
Share

શનિદેવ જેનાથી વ્યક્તિ ઘણીવાર ડરે છે, તેને જ્યોતિષમાં ન્યાયના દેવતા કહે છે. જે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સજા આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શનિ સંબંધી કોઈ ખામી હોય છે, તેમને જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ દિવસોમાં શનિ (Shani Dev) સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તેમાંથી મુક્તિ મેળવવા અને શનિની કૃપા મેળવવા માટે નીચે આપેલા સરળ સનાતની ઉપાયો અજમાવો.

1. શનિવારના દિવસે ભગવાન શનિની કૃપા મેળવવા માટે વ્યક્તિએ પીપળાની પૂજા કરવી જોઈએ. હિંદુ માન્યતા અનુસાર શનિવારે જળ ચઢાવવાથી અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

2. હિંદુ માન્યતા અનુસાર શનિ સાથે સંબંધિત દોષોને દૂર કરવા અને તેમની કૃપા મેળવવા માટે શિવજી અને હનુમાનજીની પૂજા ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

3. શનિવારે કોઈ ખાસ વ્યક્તિને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિ સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે જો શનિવારે કાળી છત્રી, કાળા જૂતા, ખીચડી, ચાની પત્તી વગેરે વિકલાંગ વ્યક્તિને દાન કરવામાં આવે તો શનિ દોષ દૂર થાય છે.

4. શનિ સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું દાન કરવાની જેમ તેમના માટે કરવામાં આવેલ છાયા દાનનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. એક વાડકી અથવા વાસણમાં સરસવનું તેલ મુકો અને તેમાં તમારો ચહેરો જોઈને શનિ માટે પછી તે તેલનું દાન કરો.

5. હિંદુ માન્યતા અનુસાર ગૌસેવા કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમારી કુંડળીમાં શનિદોષ છે અને તમે તેનાથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે દરરોજ અથવા ખાસ કરીને શનિવારે કાળી ગાયની પૂજા કરવી જોઈએ. શનિ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે કાળી ગાયને સરસવના તેલમાં બનાવેલી રોટલી ખવડાવવી જોઈએ.

6. જો તમે કુંડળીમાં શનિ સંબંધિત દોષને દૂર કરવા માંગો છો, તો શનિવારે તમારે કાળી કીડીઓને ખાવા માટે લોટ, ખાંડ અને કાળા તલ મિક્સ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતથી સંબંધિત કષ્ટોમાં ઘટાડો થાય છે.

7. શનિ સાથે સંબંધિત દોષ દૂર કરવા માટે વ્યક્તિએ શનિવારે ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી જોઈએ અને આ દિવસે ઘરનો બધી કચરો, તૂટેલી અને ક્ષતિગ્રસ્ત વસ્તુઓને બહાર ફેંકી દેવી જોઈએ.

આ પણ વાંચો : Horoscope Today Video : આ ત્રણ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે ઈચ્છિત પરિણામ મળશે, જાણો કઈ કઈ રાશિ છે

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">