Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના

ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે. નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે.

Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના
ૐના જાપથી પાર પડશે વ્યક્તિના ધાર્યા કામ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:29 PM

ઓમકાર (omkar) એટલે એ નાદ કે જે સ્વયં ‘બ્રહ્મ’ સ્વરૂપ મનાય છે. ‘ઓમ’ એ એક પવિત્ર શબ્દ કે ધ્વનિ માત્ર જ નથી. પરંતુ, તે અનંત શક્તિનો સંપૂટ છે ! ઓમકાર વિના તો સૃષ્ટિની કલ્પના જ શક્ય નથી. વાસ્તવમાં તો ૐ જ બ્રહ્માંડનું પ્રતિક મનાય છે. કહે છે કે જ્યારે બ્રહ્માંડ સ્વયં શૂન્ય હતું ત્યારે ૐના નાદથી જ તો તેનું વિસ્તરણ થયું. ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે.

ૐના ઉચ્ચારણ વિના ન તો કોઈ મંત્ર પૂર્ણ થાય છે. ન તો કોઈ પૂજા સંપૂર્ણ બને છે. પણ, ઘણાં ઓછાને એ વાતનો ખ્યાલ હશે કે સ્વયં ઓમકારમાં જ એક મંત્ર સમાન શક્તિ રહેલી છે. કહે છે કે ત્રણ ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે. માન્યતા અનુસાર ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. ઓમકારના જાપમાં રોગોને રોકવાનું સામર્થ્ય છે ! એટલું જ નહીં, તે સાધકને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પણ પ્રાપ્ત કરાવી શકે છે. અલબત્ કેટલાંક ખાસ નિયમને ધ્યાનમાં રાખીને જ સાધક ૐના જાપથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો, આજે જાણીએ ઓમકાર જાપ માટેના ખાસ ત્રણ નિયમ.

પ્રથમ નિયમ ૐના જાપથી સર્વોત્તમ ફળની પ્રાપ્તિ અર્થે એ જરૂરી છે કે તેનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય. આ માટેનો સર્વ પ્રથમ જ નિયમ છે શાંત સ્થાન ! ૐના જાપ માટે અત્યંત શાંત સ્થાનની પસંદગી કરવી. કારણ કે ૐના જાપથી જે ‘ધ્વનિ’ ઉત્પન્ન થાય છે તેનાથી જ સાધકને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અને શાંત સ્થાનમાં જ ઓમકારનો ધ્વનિ વધુ સ્પષ્ટપણે પ્રસરી શકે છે. જો પ્રકૃતિના સાનિધ્યે જાપ કરી શકાય તો તે વધુ ફળદાયી બની રહેશે. પણ, જો તે શક્ય ન હોય તો ખુલ્લા મેદાન, અગાસી કે બગીચામાં પણ શાંત વાતાવરણમાં ૐનો જાપ લાભદાયી બની રહેશે. પરંતુ, તે પણ શક્ય ન હોય તો ઘરમાં જ શાંતિ જાળવી આસન પર બેસી મંત્રજાપ કરવો.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

બીજો નિયમ ૐના જાપ માટેનો બીજો નિયમ છે યોગ્ય સમય ! દિવસમાં ગમે તે સમયે ઓમકારનો જાપ ન કરવો. જે સમયે ઈશ્વરીય શક્તિ તેના ચરમ પર હોય તે સમયે જાપથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. અને આ સમય એટલે બ્રહ્મમુહૂર્ત. બ્રહ્મમુહૂર્તમાં ઓમકારના જાપથી સાધકને સવિશેષ લાભની પ્રાપ્તિ થશે. પણ, આ સમયમાં જાપ કરવો શક્ય ન હોય તો સવારના સમયે ઓમકારનો જાપ કરવો. જો વહેલી સવારે શક્ય ન બને તો રાત્રિના સમયે પણ જાપ લાભદાયી બની રહેશે. સાધક સૂતા પૂર્વે પણ ૐનો જાપ કરી શકે છે !

ત્રીજો નિયમ ઓમકાર જાપ માટેનો ત્રીજો નિયમ છે સ્પષ્ટ ઉચ્ચારણ ! ઉલ્લેખનિય છે ૐના ઉચ્ચારણનો ધ્વનિ બ્રહ્માંડ સાથે એકરૂપ થાય છે. અને તેનાથી જ સાધકને વિવિધ લાભની પ્રાપ્તિ થાય છે. માટે ક્યારેય મનમાં કે પછી ધીમેથી ઓમકારનો જાપ ન કરવો. ઓમ શબ્દ ધીમેથી બોલવાથી કોઈ લાભ નહીં થાય ! શક્ય હોય તેમ ઊંચા અવાજે અને લયબદ્ધ રીતે ૐનો જાપ કરવો. એટલે કે તે માટે ઘાંટા પાડવાની પણ જરૂર નથી. પણ, આ અવાજ જો નાભિમાંથી નીકળશે તો તે વધુ લાભદાયી બની રહેશે.

માન્યતા અનુસાર આ અત્યંત સરળ એવાં ત્રણ નિયમને ધ્યાનમાં રાખીને જો સાધક ઓમકારનો જાપ કરશે તો ચોક્કસપણે તે મનોવાંચ્છિત ફળને પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચો : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

આ પણ વાંચો : દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">