Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના

ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે. નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે.

Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના
ૐના જાપથી પાર પડશે વ્યક્તિના ધાર્યા કામ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:29 PM

ઓમકાર (omkar) એટલે એ નાદ કે જે સ્વયં ‘બ્રહ્મ’ સ્વરૂપ મનાય છે. ‘ઓમ’ એ એક પવિત્ર શબ્દ કે ધ્વનિ માત્ર જ નથી. પરંતુ, તે અનંત શક્તિનો સંપૂટ છે ! ઓમકાર વિના તો સૃષ્ટિની કલ્પના જ શક્ય નથી. વાસ્તવમાં તો ૐ જ બ્રહ્માંડનું પ્રતિક મનાય છે. કહે છે કે જ્યારે બ્રહ્માંડ સ્વયં શૂન્ય હતું ત્યારે ૐના નાદથી જ તો તેનું વિસ્તરણ થયું. ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે.

ૐના ઉચ્ચારણ વિના ન તો કોઈ મંત્ર પૂર્ણ થાય છે. ન તો કોઈ પૂજા સંપૂર્ણ બને છે. પણ, ઘણાં ઓછાને એ વાતનો ખ્યાલ હશે કે સ્વયં ઓમકારમાં જ એક મંત્ર સમાન શક્તિ રહેલી છે. કહે છે કે ત્રણ ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે. માન્યતા અનુસાર ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. ઓમકારના જાપમાં રોગોને રોકવાનું સામર્થ્ય છે ! એટલું જ નહીં, તે સાધકને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પણ પ્રાપ્ત કરાવી શકે છે. અલબત્ કેટલાંક ખાસ નિયમને ધ્યાનમાં રાખીને જ સાધક ૐના જાપથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો, આજે જાણીએ ઓમકાર જાપ માટેના ખાસ ત્રણ નિયમ.

પ્રથમ નિયમ ૐના જાપથી સર્વોત્તમ ફળની પ્રાપ્તિ અર્થે એ જરૂરી છે કે તેનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય. આ માટેનો સર્વ પ્રથમ જ નિયમ છે શાંત સ્થાન ! ૐના જાપ માટે અત્યંત શાંત સ્થાનની પસંદગી કરવી. કારણ કે ૐના જાપથી જે ‘ધ્વનિ’ ઉત્પન્ન થાય છે તેનાથી જ સાધકને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અને શાંત સ્થાનમાં જ ઓમકારનો ધ્વનિ વધુ સ્પષ્ટપણે પ્રસરી શકે છે. જો પ્રકૃતિના સાનિધ્યે જાપ કરી શકાય તો તે વધુ ફળદાયી બની રહેશે. પણ, જો તે શક્ય ન હોય તો ખુલ્લા મેદાન, અગાસી કે બગીચામાં પણ શાંત વાતાવરણમાં ૐનો જાપ લાભદાયી બની રહેશે. પરંતુ, તે પણ શક્ય ન હોય તો ઘરમાં જ શાંતિ જાળવી આસન પર બેસી મંત્રજાપ કરવો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીજો નિયમ ૐના જાપ માટેનો બીજો નિયમ છે યોગ્ય સમય ! દિવસમાં ગમે તે સમયે ઓમકારનો જાપ ન કરવો. જે સમયે ઈશ્વરીય શક્તિ તેના ચરમ પર હોય તે સમયે જાપથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. અને આ સમય એટલે બ્રહ્મમુહૂર્ત. બ્રહ્મમુહૂર્તમાં ઓમકારના જાપથી સાધકને સવિશેષ લાભની પ્રાપ્તિ થશે. પણ, આ સમયમાં જાપ કરવો શક્ય ન હોય તો સવારના સમયે ઓમકારનો જાપ કરવો. જો વહેલી સવારે શક્ય ન બને તો રાત્રિના સમયે પણ જાપ લાભદાયી બની રહેશે. સાધક સૂતા પૂર્વે પણ ૐનો જાપ કરી શકે છે !

ત્રીજો નિયમ ઓમકાર જાપ માટેનો ત્રીજો નિયમ છે સ્પષ્ટ ઉચ્ચારણ ! ઉલ્લેખનિય છે ૐના ઉચ્ચારણનો ધ્વનિ બ્રહ્માંડ સાથે એકરૂપ થાય છે. અને તેનાથી જ સાધકને વિવિધ લાભની પ્રાપ્તિ થાય છે. માટે ક્યારેય મનમાં કે પછી ધીમેથી ઓમકારનો જાપ ન કરવો. ઓમ શબ્દ ધીમેથી બોલવાથી કોઈ લાભ નહીં થાય ! શક્ય હોય તેમ ઊંચા અવાજે અને લયબદ્ધ રીતે ૐનો જાપ કરવો. એટલે કે તે માટે ઘાંટા પાડવાની પણ જરૂર નથી. પણ, આ અવાજ જો નાભિમાંથી નીકળશે તો તે વધુ લાભદાયી બની રહેશે.

માન્યતા અનુસાર આ અત્યંત સરળ એવાં ત્રણ નિયમને ધ્યાનમાં રાખીને જો સાધક ઓમકારનો જાપ કરશે તો ચોક્કસપણે તે મનોવાંચ્છિત ફળને પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચો : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

આ પણ વાંચો : દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">