Diamond stone Benefits: રત્નોનો રાજા છે હીરો, જાણો ક્યારે અને કોને ધારણ કરવો જોઈએ આ અણમોલ રત્ન

|

Aug 29, 2021 | 1:25 PM

હીરો પહેરલી વ્યક્તિ પર મેલીવિદ્યા, તંત્ર-મંત્ર, ભૂત-પ્રેત વગેરેની અસર થતી નથી

Diamond stone Benefits: રત્નોનો રાજા છે હીરો, જાણો ક્યારે અને કોને ધારણ કરવો જોઈએ આ અણમોલ રત્ન
Dimond Stone Benefits

Follow us on

Diamond stone Benefits:  જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત નવરત્નોમાંના એક હીરાને તમામ રત્નોનો રાજા માનવામાં આવે છે. હીરાને અંગ્રેજીમાં ડાયમંડ કહેવામાં આવે છે. તેના ઉપરત્નો ઓપલ, ઝરકન, પીરોજ અને કુરંગી છે. શુક્ર ગ્રહનો આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિનું સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. હીરા એક એવું રત્ન છે જે ફક્ત તમારી સુંદરતા જ નથી વધારતું પણ તમારા સૌભાગ્યને પણ વધારે છે.

હીરો પહેરલી વ્યક્તિ પર મેલીવિદ્યા, તંત્ર-મંત્ર, ભૂત-પ્રેત વગેરેની અસર થતી નથી. ઘણા લોકો આ કિંમતી પથ્થરને શોખ તરીકે પહેરે છે, પરંતુ તેને ધારણ કરતાં પહેલા જ્યોતિષ દ્વારા જાણવું જોઈએ કે તે તમારા માટે શુભ રહેશે કે નહીં.

કોને પહેરવો જોઈએ ડાયમંડ
1
કલા જગત સાથે જોડાયેલા લોકો માટે હીરા પહેરવો શુભ છે, જેમ કે જેઓ ફિલ્મો, સંગીત, ચિત્રો વગેરેમાં કામ કરે છે.
2 વૈવાહિક જીવનમાં મધુરતા અને સુખ લાવવા માટે હીરા પહેરવા શુભ છે.
3 જે પુરુષ અથવા સ્ત્રીને પ્રેત બાધા સતાવે છે, તેણે તરત જ હીરો પહેરવો જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

4 જને કુંડળીમાં શુક્ર વક્રી, કમજોર, અસ્થગત અથવા કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહ હોય, તો તેને હીરા પહેરવા જ જોઈએ.
5 જે વ્યક્તિને દરરોજ ઘણા લોકોને મળવાનું હોય તેના માટે હીરા શુભ છે.

 

હીરાનું રત્ન કેવી રીતે પહેરવું
હીરાના રત્ન પહેરતા પહેલા, તેની પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્ણ કરો. આ માટે, જો શુક્રવારે વૃષભ, તુલા અથવા મીન રાશિમાં ચંદ્ર હોય અને જો પૂર્વા ફાલ્ગુની, પુર્વષાધ અથવા ભરાણી આ નક્ષત્રોમાંથી કોઈ હોય, તો તે શુક્રવારે સવારે સૂર્યોદય પછી લગભગ 11 વાગ્યા સુધી સાત રત્તી હીરાને સોનાની વીંટીમાં મઢીને ધારણ કરવી.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

આ પણ વાંચો: WhatsApp New Feature : હવે મેસેજ પર પણ આપી શકશો રિએક્શન, જલ્દી જ લોન્ચ થશે ઇમોજી આઇકોન

 

 

Next Article