AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો

ઘરની દિવાલો(Wall)  પર લગાવેલા રંગો(Colour) પણ તમારી ખુશીઓ સાથે સંબંધિત છે.તમારી ખુશી સારા નસીબમાં ફેરવાય છે જયારે તમે વાસ્તુ અનુસાર જ્યારે તમે ડ્રોઇંગ રૂમથી બેડ રૂમ સુધી રંગો કરો છો.

Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો
Bedroom Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:00 PM
Share

કુદરતે બનાવેલા તમામ રંગોનું(Colour) અલગ મહત્વ છે. દરેક રંગનું પોતાનું ભાગ્ય અને અલગ પ્રભાવ છે જે માનવ જીવનને અસર કરે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં આ રંગોનું ખૂબ મહત્વ છે. આવી સ્થિતિમાં મનને સુખ અને તાજગીથી ભરપૂર આ રંગો પસંદ કરતી વખતે જો તમે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખશો તો આ રંગો તમારા માટે સારા નસીબ સાબિત થશે.

વાસ્તુ( vastu) અનુસાર, જ્યારે તમે તમારા મકાનની દિવાલોને રંગશો ત્યારે તમને ત્યાં ખૂબ જ સકારાત્મક અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે. ચાલો પહેલા જમીન સાથે સંકળાયેલા રંગો વિશે વાત કરીએ.

જમીનના રંગોનું જીવન પર પ્રભાવ વાસ્તુ અનુસાર, ઘરમાં સફેદ કલર હોય તો તે ઘરમાં રહેતા પરિવારમાં હંમેશા સુખ અને સંપત્તિમાં વધારો થાય છે. જે બનાવેલ ઘરનો રંગ લીલો હોય તેના પર ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે, તેને ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. ઘરમાં પીળો કલર હોય તો આ પરિવારના લોકોને સત્તા, સરકાર વગેરેમાંથી પૈસા મળે છે. પીળા રંગની શુભ અસરને કારણે ઘરના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં પણ ઘણું હોય છે. જે પરિવાર કાળા કલરના ઘરમાં રહે છે તે પરિવારને બાળકોનું સુખ પણ મળે છે. આવા ઘરમાં જન્મેલા બાળકો હંમેશા તેમના પરિવારનું નામ રોશન કરે છે. જે ઘરમાં વાદળી કલર હોય તે ઘરમાં પરિવારના વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા વધે છે અને આવા ઘરના લોકો વિદ્વાન હોય છે. તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે. જે લોકોના ઘરનો રંગ લાલ હોય છે તે ઘર અને પરિવારમાં વારંવાર સંઘર્ષ જોવા મળે છે.

વાસ્તુના આ નિયમ જાણો ઘર બનાવતી વખતે ઘરના મુખ્ય વ્યક્તિએ પોતાની રાશિ અનુસાર રંગો પસંદ કરવા જોઈએ. મકાન બાંધતી વખતે કાળા પથ્થરોનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો રાહુની અસર વધે છે. ઘરની દિવાલો અને જમીન માટે સફેદ રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઇએ, નહીંતર પરિવારના સભ્યો ખૂબ મહત્વાકાંક્ષી બની જાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

આ પણ વાંચો : Breking News : કોવિડ દર્દીઓની સારવાર માટે અત્યંત અસરકારક દવા TOCIRAને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની મંજૂરી

આ પણ વાંચો :Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

Follow Us
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">