AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો

ઘરની દિવાલો(Wall)  પર લગાવેલા રંગો(Colour) પણ તમારી ખુશીઓ સાથે સંબંધિત છે.તમારી ખુશી સારા નસીબમાં ફેરવાય છે જયારે તમે વાસ્તુ અનુસાર જ્યારે તમે ડ્રોઇંગ રૂમથી બેડ રૂમ સુધી રંગો કરો છો.

Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો
Bedroom Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:00 PM
Share

કુદરતે બનાવેલા તમામ રંગોનું(Colour) અલગ મહત્વ છે. દરેક રંગનું પોતાનું ભાગ્ય અને અલગ પ્રભાવ છે જે માનવ જીવનને અસર કરે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં આ રંગોનું ખૂબ મહત્વ છે. આવી સ્થિતિમાં મનને સુખ અને તાજગીથી ભરપૂર આ રંગો પસંદ કરતી વખતે જો તમે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખશો તો આ રંગો તમારા માટે સારા નસીબ સાબિત થશે.

વાસ્તુ( vastu) અનુસાર, જ્યારે તમે તમારા મકાનની દિવાલોને રંગશો ત્યારે તમને ત્યાં ખૂબ જ સકારાત્મક અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે. ચાલો પહેલા જમીન સાથે સંકળાયેલા રંગો વિશે વાત કરીએ.

જમીનના રંગોનું જીવન પર પ્રભાવ વાસ્તુ અનુસાર, ઘરમાં સફેદ કલર હોય તો તે ઘરમાં રહેતા પરિવારમાં હંમેશા સુખ અને સંપત્તિમાં વધારો થાય છે. જે બનાવેલ ઘરનો રંગ લીલો હોય તેના પર ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે, તેને ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. ઘરમાં પીળો કલર હોય તો આ પરિવારના લોકોને સત્તા, સરકાર વગેરેમાંથી પૈસા મળે છે. પીળા રંગની શુભ અસરને કારણે ઘરના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં પણ ઘણું હોય છે. જે પરિવાર કાળા કલરના ઘરમાં રહે છે તે પરિવારને બાળકોનું સુખ પણ મળે છે. આવા ઘરમાં જન્મેલા બાળકો હંમેશા તેમના પરિવારનું નામ રોશન કરે છે. જે ઘરમાં વાદળી કલર હોય તે ઘરમાં પરિવારના વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા વધે છે અને આવા ઘરના લોકો વિદ્વાન હોય છે. તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે. જે લોકોના ઘરનો રંગ લાલ હોય છે તે ઘર અને પરિવારમાં વારંવાર સંઘર્ષ જોવા મળે છે.

વાસ્તુના આ નિયમ જાણો ઘર બનાવતી વખતે ઘરના મુખ્ય વ્યક્તિએ પોતાની રાશિ અનુસાર રંગો પસંદ કરવા જોઈએ. મકાન બાંધતી વખતે કાળા પથ્થરોનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો રાહુની અસર વધે છે. ઘરની દિવાલો અને જમીન માટે સફેદ રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઇએ, નહીંતર પરિવારના સભ્યો ખૂબ મહત્વાકાંક્ષી બની જાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

આ પણ વાંચો : Breking News : કોવિડ દર્દીઓની સારવાર માટે અત્યંત અસરકારક દવા TOCIRAને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની મંજૂરી

આ પણ વાંચો :Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">