AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaturmas 2023 Date : આજથી શરૂ થયા ચાતુર્માસ, જાણો આગામી પાંચ મહિના શું કરવું અને શું ન કરવું ?

Chaturmas 2023 Date: દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક માસની દેવ પ્રબોધિની એકાદશી સુધી ચાલુ રહશે. આ સમય દરમિયાન શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાં તલ્લીન રહે છે, તેથી શુભ કાર્યો વર્જિત બને છે. આ વખતે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી રહેશે.

Chaturmas 2023 Date : આજથી શરૂ થયા ચાતુર્માસ, જાણો આગામી પાંચ મહિના શું કરવું અને શું ન કરવું ?
Chaturmas 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 7:05 PM
Share

Chaturmas 2023 Date: હિન્દુ ધર્મમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ચાર માસના સમન્વયથી ચાતુર્માસ રચાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક મહિનાની દેવ પ્રબોધિની એકાદશી સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાં તલ્લીન રહે છે, તેથી શુભ કાર્યો વર્જિત રહે છે. આ સમયગાળામાં ભગવાન વિષ્ણુએ અષાઢ મહિનામાં વામનના રૂપમાં અવતાર લીધો હતો. આ વખતે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી રહેશે.

આ પણ વાંચો : Gauri Vrat Poojan: આજથી ગૌરી વ્રતનો પ્રારંભ, શું છે આ વ્રતનો ગૂઢાર્થ અને દિકરીઓના આ વ્રતમાં તમારે શું રાખવું જોઈએ ખાસ ધ્યાન ?

ચાતુર્માસમાં કોની પૂજા કરવામાં આવે છે?

હિંદુ ધર્મમાં ચાતુર્માસના ચાર મહિના સૌથી પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનાના અંતિમ સમયમાં ભગવાન વામન અને ગુરુ પૂજાનું વિશેષ મહત્વ છે. સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણમાં થયો હતો અને તેમના આશીર્વાદ વરસ્યા છે. આસો મહિનામાં દેવી અને શક્તિની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે.

ચાતુર્માસમાં ભોજનના નિયમો

ચાતુર્માસમાં એક જ વખતનું ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં તમે જેટલા વધુ સાત્વિક રહેશો તેટલું સારું રહેશે. શ્રાવણમાં શાકભાજી, ભાદરવમાં દહીં, આસોમાં દૂધ અને કારતક મહિનામાં દાળનો ત્યાગ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન શક્ય તેટલા પાણીનો ઉપયોગ કરો. શક્ય હોય ત્યાં સુધી તમારા મનને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરવું જોઇએ.

ચાતુર્માસ પૂજાના નિયમો

અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરો. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરો. આનાથી લગ્ન, સુખ અને આયુષ્ય પ્રાપ્ત થશે.ભગવાન કૃષ્ણની પૂજા કરો. આ સંતાન અને વિજયનું વરદાન આપશે. આસોમાં દેવી અને શ્રીરામની પૂજા કરો. આ વિજય, શક્તિનું વરદાન આપશે. કારતકમાં શ્રી હરિ અને તુલસીની પૂજા કરો. તેનાથી સુખ અને મુક્તિ-મોક્ષનું વરદાન મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">