AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Signs of planets: કુંડળી જોયા વગર પણ જાણી શકો છો ગ્રહો સાથે જોડાયેલા દોષ, જાણો અશુભ ગ્રહોના લક્ષણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વી પર જન્મ લેતાં જ વ્યક્તિ નવગ્રહો સાથે જોડાઈ જાય છે અને તેની કુંડળીના 12 ખાનમાં સ્થિત નવગ્રહો તેના પર જીવનભર તેની શુભ અને અશુભ અસરો દર્શાવે છે. નવગ્રહો સાથે સંકળાયેલા અશુભતાને ઓળખવા માટે આ લેખ અવશ્ય વાંચો.

Bad Signs of planets: કુંડળી જોયા વગર પણ જાણી શકો છો ગ્રહો સાથે જોડાયેલા દોષ, જાણો અશુભ ગ્રહોના લક્ષણ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 7:40 PM
Share

Bad Signs of planets:  જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર વ્યક્તિની કુંડળી (Kundali ) ના 12 ખંડમાં સ્થિત નવગ્રહોની અસર તેના પર જીવનભર રહે છે. ગ્રહોની બદલાતી સ્થિતિને કારણે તેમની શુભ કે અશુભ અસર કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ પર પડી શકે છે. એવું કહેવાય છે કે ખરાબ દિવસો ક્યારેય કોઈને પૂછીને આવતા નથી, પરંતુ કયા ગ્રહના કારણે તમે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તમે તેના વિશે ચોક્કસથી જાણી શકો છો.

તેને જાણીને તે ગ્રહ સંબંધિત પગલાં લઈ શકાય છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ ગ્રહ દશાથી પીડિત હોય છે ત્યારે અબજોપતિ વ્યક્તિ પણ રોડપતિ બની જાય છે. સારો કુસ્તીબાજ નબળો પડી જાય છે. જો કે, તમામ સંકેતો પરથી કોઈ પણ ખાસ ગ્રહ સંબંધિત ખરાબ દશા જાણી શકાય છે. આવો જાણીએ અશુભ ગ્રહોના લક્ષણો વિશે.

સૂર્યની અશુભતાના લક્ષણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ હોય છે ત્યારે વ્યક્તિ પોતાના પિતા સાથે ઝઘડો કરવા લાગે છે અને તે પોતાના પિતાનો વિરોધ કરવા લાગે છે. સૂર્યની અશુભતાના કારણે પિતાને કષ્ટ થાય છે. આત્મવિશ્વાસમાં ઘટાડો, બદનામી, શાસક પક્ષ સાથેની સમસ્યાઓ, હૃદયરોગ, પિત્તના રોગ, આંખનો દુખાવો, ચામડીના રોગ, હાડકાના રોગો વગેરે થાય છે.

ચંદ્ર અશુભતાના લક્ષણો કુંડળીમાં ચંદ્ર અશુભ અથવા નબળો હોય તો વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ રહે છે. તમામ પ્રકારની ચિંતાઓ તેને ઘેરી લે છે. વ્યક્તિ ઊંઘની વિકૃતિઓ, લોહીની વિકૃતિઓ, કફની બીમારી, શરદી અને ફ્લૂ, ચિંતા, શ્વાસની સમસ્યાઓ, આભાસ વગેરેથી પીડાય છે. જો તમારી માતાનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે, તો તે તમારી કુંડળીમાં અશુભ ચંદ્રનો સંકેત છે.

મંગળની અશુભતાના લક્ષણો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ અથવા નબળો હોય તો તેને પોતાના ભાઈઓના વિરોધનો સામનો કરવો પડે છે. તેને સ્થાવર મિલકત, જમીન વગેરે સંબંધિત વિવાદોનો સામનો કરવો પડે છે. અશુભ મંગળને કારણે મિલકતમાં આગ કે ચોરનો ભય રહે છે. મંગળના અશુભ પ્રભાવને કારણે વ્યક્તિમાં અભિમાન અને ક્રોધનો અતિરેક હોય છે. અસ્થિમજ્જાના રોગો, શરીરમાં બળતરા, અલ્સર, ફોડલી, પિમ્પલ્સ વગેરે થાય છે.

બુધની અશુભતાના લક્ષણો જ્યારે બુધ અશુભ હોય છે ત્યારે વ્યક્તિમાં વાણી દોષ હોય છે. કુંડળીમાં બુધની અશુભતા કરિયર-વ્યવસાયમાં ઇચ્છિત સફળતામાં અવરોધો લાવે છે. ધંધામાં નુકસાન થાય. વ્યક્તિને ચામડીના રોગોની ફરિયાદ થવા લાગે છે અને તેની તર્ક શક્તિ નબળી પડી જાય છે. અશુભ બુધ લકવો, ધાધર, ખંજવાળ, નપુંસકતા, મૂંગાપણું, ગળામાં દુખાવો વગેરે લાવે છે.

ગુરુની અશુભતાના લક્ષણો જ્યારે ગુરૂ અશુભ હોય છે તો કન્યાના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે. તેની પ્રતિષ્ઠા ઘટે છે. નબળા અને પીડિત ગુરુને કારણે સૌભાગ્ય અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. વ્યક્તિને પાચન તંત્ર, કમળો, કીડની વગેરેને લગતી બીમારીઓ હોય છે. તેને નિષ્ફળતા, કલંક, જોડાણ વિચ્છેદ વગેરેનો સામનો કરવો પડે છે.

શુક્રની અશુભતાના સંકેતો શુક્ર અશુભ હોય ત્યારે વ્યક્તિના દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે છે. તેને પ્રેમ સંબંધોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અથવા પ્રેમ સંબંધમાં તમામ પ્રકારના અવરોધો આવે છે. વ્યક્તિને જનન અંગોને લગતા રોગો હોય છે. શુક્રની અશુભતાને કારણે વ્યક્તિનું શરીર નિર્બળ બની જાય છે. શુક્રના દોષને કારણે વ્યક્તિ વ્યભિચારી બની જાય છે. તે જ રીતે, સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે સંબંધ બનાવે છે.

શનિની અશુભતાના સંકેતો જો કુંડળીમાં શનિ સંબંધિત દોષ હોય તો વ્યક્તિને પેટમાં ગેસ સંબંધિત સમસ્યા થવા લાગે છે. તેને પેટ સંબંધિત કોઈને કોઈ સમસ્યા હંમેશા રહે છે. શનિ દોષના કારણે વ્યક્તિએ દરેક પ્રકારની શારીરિક પીડા, પારિવારિક વિખવાદ, સંપત્તિનો વિનાશ, રોગ, અપમાન, રાજ્ય પ્રકોપ વગેરેનો સામનો કરવો પડે છે. વ્યક્તિમાં આળસ આવે છે અને તે ખોટા કામો કરવા લાગે છે.

રાહુના અશુભ સંકેતો એવું માનવામાં આવે છે કે જ્યારે રાહુ કુંડળીમાં અશુભ પરિણામ આપવા લાગે છે, ત્યારે વ્યક્તિને કામમાં નિષ્ફળતા મળવા લાગે છે. તેનું મન ન તો કોઈ કામમાં લાગેલું હોય છે ન પૂજામાં. લોકો દ્વારા છેતરાયા હોવાની તમામ પ્રકારની ચિંતાઓ અને મુશ્કેલીઓ  તેને ઘેરી વળવા લાગે છે. વ્યક્તિ નિઃસંતાન, રાજદંડ, કેદ, શત્રુ, ચોર, ઈજા વગેરેના ભયમાં રહે છે.

કેતુની અશુભતાના લક્ષણો કેતુની અશુભતાના લક્ષણો જ્યારે કેતુ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને શારીરિક નુકસાન થાય છે. વ્યક્તિ ને અચાનક લોકો સાથે ઝઘડા, દુશ્મની વગેરે થવા લાગે છે. કેતુના દોષને કારણે વ્યક્તિ પોતાના સેવકો અને શત્રુઓથી સંકટમાં રહે છે. વ્યક્તિ ખોટા કાર્યો કરવા લાગે છે. તેની આસપાસ જનનાંગોના રોગો શરૂ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sandalwood Remedy: ચંદનનો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત, જાણો ચંદનના ચમત્કારિક ફાયદા

આ પણ વાંચો: પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">