તમે તમારા સંતાનોની થાળીમાં 3 રોટલી એકસાથે નથી પીરસી રહ્યા ને ? આ કાર્ય મનાય છે અશુભ !

|

Feb 02, 2023 | 6:41 AM

એક માન્યતા અનુસાર મૃત્યુ પામનાર વ્યક્તિના નામથી પીરસેલી થાળીમાં 3 રોટલી (Rotali) રાખવામાં આવે છે. જેના કારણે જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી રાખવી શુભ માનવામાં નથી આવતી !

તમે તમારા સંતાનોની થાળીમાં 3 રોટલી એકસાથે નથી પીરસી રહ્યા ને ? આ કાર્ય મનાય છે અશુભ !
Roti

Follow us on

પહેલાના સમયમાં દાદી કે માતા જ્યારે જમવાનું પીરસતા હતા ત્યારે તે ક્યારેય થાળીમાં 3 રોટલી એકસાથે ન હતા પીરસતા ! આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે અને આજે પણ ઘણી માતાઓ આ પ્રથાનું પાલન કરે છે. પણ, કેટલીક ગૃહિણીઓ જે આ વાતથી અજાણ છે તે પરિવારના તમામ સભ્યોની થાળીમાં તેમજ પોતાના જ બાળકોની થાળીમાં ત્રણ રોટલી એકસાથે પીરસી દે છે. પણ, એક માન્યતા અનુસાર આવું કરવું અશુભ મનાય છે ! આખરે, થાળીમાં એકસાથે 3 રોટલી શા માટે નથી પીરસાતી ? ચાલો, આજે તેની પાછળ છૂપાયેલા રહસ્યને જાણીએ.

તીન તીગડા કામ બીગડા !

થાળીમાં 3 રોટલી એકસાથે ન પીરસવા પાછળ અલગ અલગ મત જોવા મળે છે. તેની પાછળનું સાચું કારણ તો તેને અનુસરનારા લોકો પણ ભાગ્યે જ જાણતા હશે. પરંતુ, ઘણા પરિવારોમાં હંમેશા એવી માન્યતા જોવા મળે છે કે થાળીમાં એકસાથે 3 રોટલી ક્યારેય નહીં પીરસવી. એટલું જ નહીં, મમ્મી જો બાળકોને 3 રોટલી ખાતા જોઇ પણ લે છે તો તરત જ તેને ખખડાવી દે છે ! ન માત્ર રોટલી જ પરંતુ, પરાઠા, પૂરી કે પૂડલા પણ એકસાથે નથી પીરસવામાં આવતા. તેની સાથે કેટલીક માન્યાતઓ જોડાયેલી છે જેમ કે તીન તીગડા કામ બીગડા !

શું છે રહસ્ય ?

⦁ 3 ની સંખ્યા એ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ધાર્મિક કાર્યોમાં ત્રણની સંખ્યાને વધારે શુભ માનવામાં નથી આવતી. માન્યતા અનુસાર ત્રણની સંખ્યાને પૂજાપાઠમાં અને સામાન્ય જીવનમાં પણ દૂર રાખવામાં આવે છે. કહે છે કે તેની આપના જીવન પર ખરાબ અસર પડે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

⦁ એક માન્યતા અનુસાર મૃત્યુ પામનાર વ્યક્તિના નામથી પીરસેલી થાળીમાં 3 રોટલી રાખવામાં આવે છે. જેના કારણે જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી રાખવી શુભ માનવામાં નથી આવતી. એ જ કારણ છે કે, પરિવારમાં લોકો એક જ પ્લેટમાં ગમે તેટલી રોટલી, પૂરી કે પૂડલા પીરસે પણ તેની સંખ્યા 3 તો નથી જ રાખતા !

⦁ એક માન્યતા તો એવી પણ છે કે જમવામાં 3 રોટલી એકસાથે ક્યારેય ન ખાવી જોઇએ. કારણ કે, શરીરના વજનને યોગ્ય અને કંટ્રોલમાં રાખવા માટે 2 રોટલી જ પૂરતી છે. એક વાટકી દાળ, 50 ગ્રામ ભાત, 2 રોટલી અને 1 વાટકી શાક ખાવું આરોગ્ય માટે લાભદાયી છે.

⦁ રોટલી સિવાય પણ ભારતીય પરિવારોમાં બીજી પણ ઘણી ખાવાની વસ્તુઓ છે કે જેની સાથે કોઇને કોઇ માન્યતાઓ જોડાયેલી છે. આ દરેક ધાર્મિક માન્યતાઓનું વર્ષોથી અલગ અલગ કારણોને લીધે પાલન કરવામાં આવે છે. આવી પ્રથાઓ સદીઓથી બંધ આંખે મનાતી રહી છે. અલબત્, તેનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article