શું તમે અનેકવિધ સમસ્યાઓથી છો પરેશાન ? વાસ્તુદોષ નિવારણથી જ મળશે સમસ્યાનું સમાધાન !

|

Jul 03, 2022 | 6:12 AM

ઘર બનાવતી વખતે દિશાઓનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો વાસ્તુદોષ (vastudosh) હોવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ વાસ્તુદોષના લીધે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ તમામ સમસ્યાઓથી મુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે.

શું તમે અનેકવિધ સમસ્યાઓથી છો પરેશાન ? વાસ્તુદોષ નિવારણથી જ મળશે સમસ્યાનું સમાધાન !
Vastu Tips

Follow us on

જ્યોતિષશાસ્ત્રમાં વાસ્તુને બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર (vastushashtra)માં કહેવામાં આવે છે કે જો ગ્રહો અને દિશાઓ અનુસાર ઘરનું નિર્માણ ન કરવામાં આવ્યું હોય તો ઘરમાં વાસ્તુદોષ(vastudosh) લાગે છે. અને તે ઘરમાં હંમેશા દરિદ્રતા, બીમારીઓ અને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો પરિવારજનોને કરવો પડતો હોય છે. એમ પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુદોષ હોય છે ત્યાં માતા લક્ષ્મી (goddess lakshmi) નિવાસ નથી કરતા ! આવી પરિસ્થિતિમાં ઘરમાં પરિવારના સદસ્યોની વચ્ચે કલેશ રહે છે અને ઘરમાં તણાવનો માહોલ રહે છે. આ સંજોગોમાં ઘરમાં વાસ્તુ ઉપાયો કરવા ખૂબ જ જરૂરી બની જાય છે.

ઘર બનાવતી વખતે દિશાઓનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો વાસ્તુદોષ હોવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ વાસ્તુદોષના લીધે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ તમામ સમસ્યાઓથી મુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે. તેનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓનો માહોલ બને છે. સાથે જ પરિવારમાં શાંતિ પણ રહે છે. તો, ચાલો જાણીએ આવા જ સરળ અને પ્રભાવશાળી ઉપાયો કે જે વાસ્તુદોષનું નિવારણ કરે છે.

વાસ્તુદોષ નિવારણના ઉપાય

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

⦁ ઘરના ઉંબરા પર સાથીયો કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ જો ઘરમાં વાસ્તુદોષ હોય તો પૂજા કર્યા બાદ હળદરવાળું પાણી બનાવી તેનો ઘરમાં છંટકાવ કરવો જોઇએ.

⦁ જો રસોડું ખોટી દિશામાં હોય તો સાચી દિશામાં એક અગરબત્તી પ્રગટાવવી. તેનાથી રસોડાનો દિશા સંબંધી વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની પ્રતિમા લગાવવી જોઇએ.

⦁ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઇએ. તુલસીના છોડની યોગ્ય સારસંભાળ રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ ઘરમાં રહેલ નળ અને ટાંકીઓમાંથી પાણી ટપકતું હોય તો તે સારું નથી મનાતું. એટલે આ સમસ્યાનો તરત જ ઉકેલ લાવવો જોઇએ.

⦁ ઘરમાં પૂજા સ્થાન હંમેશા ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વમાં હોવું જોઇએ.

⦁ ઘરમાં મનીપ્લાન્ટનો છોડ રાખવો જોઇએ.

⦁ જો ઘરના નિર્માણ વખતે કોઇ વાસ્તુદોષ રહી ગયો હોય તો ઘરના મુખ્ય દ્વારના ઉંબરાની નીચે ચાંદીના તારને દાટી દેવો જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article