AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરની મહિલાઓ સતત રહે છે પરેશાન ? ભૂલોથી ભરેલું હોઈ શકે છે તમારા ઘરના રસોડાનું વાસ્તુ

રસોડામાં (kitchen) વાસ્તુદોષ હોય તો તેનાથી પરિવારજનોના સંબંધોમાં તિરાડ પડી શકે છે. ત્યાં સુધી કે બાળકોના વિવાહમાં પણ અડચણો આવી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરનું રસોડું ખોટી દિશામાં બનેલું હોય તો તેની નકારાત્મક અસર સૌપ્રથમ ઘરની મહિલાઓ પર પડે છે !

ઘરની મહિલાઓ સતત રહે છે પરેશાન ? ભૂલોથી ભરેલું હોઈ શકે છે તમારા ઘરના રસોડાનું વાસ્તુ
Rasoi ghar
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 25, 2023 | 6:27 AM
Share

ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર બનેલું હોય તો જ તેમાં ખુશીઓનું આગમન થતું હોય છે. એમાં પણ, ઘરનું રસોડું વાસ્તુ અનુસાર હોય તે ખૂબ જ જરૂરી છે. કહે છે કે ઘરના રસોડામાં જો વાસ્તુદોષ હોય તો તેની સૌથી વિપરીત અને સર્વ પ્રથમ અસર ઘરની મહિલા પર જોવા મળે છે.

એટલું જ નહીં, પરિવારજનોને અનેકવિધ સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારે આવો જાણીએ કે રસોડાના વાસ્તુદોષને લીધે કેવી-કેવી મુશ્કેલીઓ આપને પરેશાન કરી શકે છે તેમજ કોઈપણ પ્રકારની તોડફોડ વિના કઈ રીતે રસોડાના વાસ્તુદોષને દૂર કરી શકાય ?

રસોડું અને વાસ્તુ

⦁ રસોડાને ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર રસોડામાં જો કોઇ દોષ હોય તો ઘરમાં ક્યારેય શાંતિ નથી રહેતી.

⦁ રસોડામાં વાસ્તુદોષ હોય તો તેનાથી પરિવારજનોના સંબંધોમાં તિરાડ પડી શકે છે. ત્યાં સુધી કે બાળકોના વિવાહમાં પણ વિઘ્ન આવી શકે છે.

⦁ શાસ્ત્રો અનુસાર ઘરનું રસોડું ખોટી દિશામાં બનેલું હોય તો તેની નકારાત્મક અસર સૌપ્રથમ ઘરની મહિલાઓ પર પડે છે.

⦁ આજના સમયમાં જગ્યાના અભાવમાં અને સુવિધા અનુસાર લોકો રસોડાનું નિર્માણ કરાવતા હોય છે. જે ઘણાં વાસ્તુદોષોને આમંત્રણ આપી દે છે.

⦁ જો રસોડું ખોટી દિશામાં બની ગયું હોય અને તોડફોડ કરવી શક્ય ન હોય તો રસોડાની આંતરિક વ્યવસ્થામાં પરિવર્તન કરીને પણ વાસ્તુદોષ દૂર કરી શકાય છે અને તે કરવું અનિવાર્ય પણ મનાય છે.

કેવું હોવું જોઇએ ઘરનું રસોડું ?

⦁ ઘરમાં રસોડાની દિશા દક્ષિણ-પૂર્વ હોવી જોઇએ. રસોડા માટે આ દિશા સર્વશ્રેષ્ઠ મનાય છે. શાસ્ત્રો અનુસાર રસોડું જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલું હોય તો તે સૌથી મોટો વાસ્તુદોષ ગણાય છે. તેના કારણે ઘરના લોકો રોગ, કલેશ અને કંકાસમાં જ રહે છે.

⦁ રસોડામાં ગેસ અગ્નિ ખૂણામાં રાખવો જોઇએ.

⦁ રસોડામાં ભોજન કરતી વખતે મુખ હંમેશા પૂર્વ દિશામાં રહે તે રીતે ગોઠવણ કરવી જોઈએ. તે ઉત્તમ મનાય છે. તેનાથી પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

⦁ જો ફ્રિજ રસોડામાં રાખેલું હોય તો તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું. ઇશાન કે નૈઋત્ય ખૂણામાં રેફ્રિજરેટરનું સ્થાન ક્યારેય ન રાખવું. આ પ્રકારની ગોઠવણ વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં નથી આવતી.

રસોડાનો વાસ્તુદોષ દૂર કરવાના ઉપાયો

⦁ જો આપનું રસોડું વાસ્તુ અનુસાર સાચી દિશામાં નથી તો રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં એક લાલ રંગનો બલ્બ લગાવી દો. તેને હંમેશા ચાલું જ રહેવા દો. માન્યતા છે કે આ ઉપાયથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

⦁ રસોડાના વાસ્તુદોષને દૂર કરવા રસોડાની દિવાલો પર આછા નારંગી રંગનો રંગ કરાવો. આ ઉપાય શુભતામાં વૃદ્ધિ કરશે સાથે જ સકારાત્મક ઊર્જાને પ્રવાહિત કરશે.

⦁ કેટલાક લોકો સજાવટ માટે રસોડામાં કાળા રંગનો પત્થર લગાવે છે. વાસ્તવમાં કાળા રંગનો પત્થર રસોડામાં નકારાત્મક ઊર્જા લાવે છે. આ પ્રકારના દોષ માટે પત્થર તોડયા વિના ત્યાં તમે સ્વસ્તિક બનાવી દો. માન્યતા અનુસાર તેનાથી વાસ્તુદોષની ખરાબ અસર ઓછી થઇ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">