પિતૃઓને શાંતિ પ્રદાન કરશે અપરા એકાદશી ! આ સરળ ઉપાયો તમને પ્રાપ્ત કરાવશે પૂર્વજોના આશીર્વાદ

માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓનો (pitru devata) વાસ હોય છે. એટલે પિતૃઓની શાંતિ અર્થે અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ. પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને તેની 11 પરિક્રમા કરવી જોઈએ.

પિતૃઓને શાંતિ પ્રદાન કરશે અપરા એકાદશી ! આ સરળ ઉપાયો તમને પ્રાપ્ત કરાવશે પૂર્વજોના આશીર્વાદ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 12, 2023 | 6:30 AM

વૈશાખ માસના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ વખતે 15 મે, સોમવારના રોજ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. અપરા એકાદશી આમ તો અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, સવિશેષ તો તે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે.

કહે છે કે અપરા એકાદશી જીવને પ્રેત યોનિમાંથી મુક્ત કરીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. એ જ દૃષ્ટિએ આ એકાદશી પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારી પણ મનાય છે. આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવીને તમે પિતૃઓને શાંતિ પ્રદાન કરી શકો છો. અને તેમના શુભ આશીર્વાદની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો, તે જ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ.

પિતૃ શાંતિના ઉપાય

⦁ દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલે અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી. આ સાથે જ તેમને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરીને વિષ્ણુ મંત્રનો જાપ કરવો જોઈએ. જો આપ નારાયણને પ્રસન્ન કરો છો તો તેની કૃપા આપના પિતૃઓને પણ પ્રાપ્ત થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

⦁ આ દિવસે શંખમાં તુલસીદળ ઉમેરીને ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

⦁ આ દિવસે પૂજામાં ખાસ ભગવાન વિષ્ણુને 11 સોપારી અર્પણ કરવી અને દરેક સોપારીને અર્પણ કરતા સમયે પિતૃ શાંતિની પ્રાર્થના કરવી.

⦁ આ દિવસે શક્ય હોય તો પિતૃઓને યાદ કરીને પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ કોઈ મંદિરમાં મીઠાઈનું દાન કરો.

⦁ માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. એટલે પિતૃઓની શાંતિ અર્થે અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ.

⦁ પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને તેની 11 પરિક્રમા કરવી જોઈએ.

⦁ કાળા તલને કાળા રંગના વસ્ત્રમાં બાંધીને તેને પીપળાના વૃક્ષ પર લટકાવી દેવા જોઈએ.

⦁ કાળા રંગના વસ્ત્રમાં થોડા અક્ષત, લવિંગ અને મીઠું ઉમેરીને જમીનમાં દાટી દેવું જોઈએ.

⦁ અપરા એકાદશીએ 1 રૂપિયાના સિક્કાને સરસવના તેલમાં ડુબાડીને ત્યારબાદ તેને ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવો જોઈએ.

⦁ એક મુઠ્ઠી અન્નમાં સરસવનું તેલ છાંટીને તેનું કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ.

⦁ પિતૃ શાંતિ અર્થે ચણાની દાળ ગાયને ખવડાવવી અને પીળા રંગના પુષ્પ પવિત્ર જળમાં પ્રવાહિત કરવા.

⦁ આ દિવસે કેળના વૃક્ષની પૂજા કરવી અને કેળના પાન પર હળદરથી તિલક કરવું અત્યંત શુભદાયી મનાય છે.

⦁ વાનરો કે હાથીને કેળા ખવડાવવા જોઈએ અથવા તો કોઈ જરૂરિયાતમંદને કેળાનું દાન કરવું જોઈએ.

⦁ ઘરની દક્ષિણ દિશામાં અક્ષતની પોટલી બાંધીને રાખો. દર શનિવારે આ પોટલી બદલીને તે અક્ષતને મંદિરમાં અર્પણ કરો.

⦁ અપરા એકાદશીના દિવસે પિતૃ પૂજા કરવી અથવા તો કોઇ જાણકાર પાસે પિતૃ પૂજા કરાવવી જોઈએ. આ દિવસે કરેલ પૂજા અત્યંત શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">