ગયા વર્ષના લાભાર્થીઓને ફરીથી મોરેટોરિયમનો લાભ મળશે ? જાણો બેંકોએ RBI સમક્ષ શું કરી માંગ

કોરોના મહામારીની બીજી લહેરે બેંકિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ વધારી છે. ખાનગી અને સરકાર સંચાલિત બેંકોના આંતરિક અહેવાલ મુજબ એપ્રિલમાં તેમના 22 ટકા છૂટક લેણદારોએ EMI ચૂકવી નથી.

ગયા વર્ષના લાભાર્થીઓને ફરીથી મોરેટોરિયમનો લાભ મળશે ? જાણો બેંકોએ RBI સમક્ષ શું કરી માંગ
બેન્કની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: May 08, 2021 | 10:03 AM

કોરોના મહામારીની બીજી લહેરે બેંકિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ વધારી છે. ખાનગી અને સરકાર સંચાલિત બેંકોના આંતરિક અહેવાલ મુજબ એપ્રિલમાં તેમના 22 ટકા છૂટક લેણદારોએ EMI ચૂકવી નથી. જો ગ્રાહક વધુ બે હપતા ડિફોલ્ટ કરે છે તો લોનની મોટી રકમ NPA જશે.

90 દિવસ EMI ન મળે તો લોન NPA બની જાય છે બે દિવસ પહેલા જાહેર કરેલી RBIની મોરેટોરિયમ યોજનાનો લાભ તે જ લોન લેનારા અને વેપારીઓને મળશે જેમણે ગયા વર્ષે તેનો લાભ લીધો ન હતો કે કોઈ ડિફોલ્ટ કર્યો ન હતો. બેંકિંગના નિયમો અનુસાર જો EMIને 90 દિવસ માટે ચૂકવવામાં આવતી નથી તો લોન નોન પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે જાહેર કરવામાં આવે છે. બેંકોની દેવાની રિકવરીને પણ અસર થઈ છે કારણ કે બીજા વેવમાં ઘણાં બેંક કર્મચારીઓને ચેપ લાગ્યો હતો. વળી ઘણા શહેરોમાં લોકડાઉન થવાને કારણે લોન વિભાગનું કામ અટક્યું છે.

મુદ્દલ ડૂબવા અને બેલેન્સશીટ બગડવાનું જોખમ બેંકના અધિકારીઓ કહે છે કે મોટાભાગની બેંકો હાલમાં 3.૫ થી 4 ટકાના માર્જિન પર કાર્યરત છે. આવી સ્થિતિમાં 20-22 ટકા રકમ ડૂબવાના કારણે વ્યાજ તો જશે પણ મુદ્દલ ગુમાવવા સાથે બેલેન્સશીટ પણ બગડશે. રિઝર્વ બેંકે તાજેતરમાં જારી કરેલ અહેવાલમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર 2021 માં બેંકોની NPA 13 ટકાને પાર કરી શકે છે જ્યારે કેટલાક અહેવાલોમાં તે 18 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગયા વર્ષના લાભાર્થીઓને મોરેટોરિયમનો લાભ પણ મળ્યો હતો બેંકોએ RBIને વિનંતી કરી છે કે બેંકોને નુકસાનથી બચાવવા મોરટોરિયમની સ્થિતિમાં સુધારો કરવા અને ગયા વર્ષના લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા જોઈએ. એક બેંકરે કહ્યું, “જે લોકો ગયા વર્ષે લોકડાઉનને કારણે હપ્તા ચૂકવવામાં અસમર્થ હતા તેઓ શું આ વખતે કોઈપણ આવક વિના પૈસા આપી શકશે?” બીજી બાજુ NPA જાહેર થયા પછી ગ્રાહકની CIBILપણ બગડશે અને તેને ફરીથી લોન નહીં મળે. આનાથી આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી શકે છે અને બેંકોની આવક પર પણ અસર પડે છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">