
પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકાર દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી ઈવી પોલિસીને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જે આગામી 01 જુલાઈથી સમગ્ર દિલ્હીમાં લાગુ થઈ જશે. આ નવી નીતિ હેઠળ ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ઈ-ટુ-વ્હીલર, ઈ-ઓટો અને ઇલેક્ટ્રિક ટ્રક ખરીદનારાઓ માટે પણ સરકારે તગડી સબસિડી અને ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે.
નવી ઈવી પોલિસી અનુસાર, જે ઇલેક્ટ્રિક કારની એક્સ-શોરૂમ કિંમત 30 લાખ રૂપિયા કે તેથી ઓછી હશે, તેના પર ગ્રાહકોએ 01 રૂપિયો પણ રોડ ટેક્સ કે રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો નહીં પડે. આ નિયમને કારણે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ખર્ચ સીધો ઓછો થઈ જશે અને ગ્રાહકોને મોટો ફાયદો થશે.
સરકારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો માટે ત્રણ વર્ષના ગાળા માટે ખાસ પ્રોત્સાહન રાશિ નક્કી કરી છે:
જો કોઈ વાહન માલિક પોતાનું BS-IV (બીએસ-4) કે તેનાથી પણ જૂનું ફોર-વ્હીલર વાહન સ્ક્રેપ કરીને નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશે, તો સરકાર તેને અલગથી 01 લાખ રૂપિયાનું ‘સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવ’ આપશે. આ ઉપરાંત, N1 કેટેગરીના ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર પણ 01 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાઇબ્રિડ વાહનો પર કોઈ જ સબસિડી આપવામાં આવશે નહીં.
પ્રદૂષણ પર સંપૂર્ણ લગામ કસવા માટે સરકારે ભવિષ્યનો એક કડક રોડમેપ પણ તૈયાર કર્યો છે:
દિલ્હીના મુખ્યમંત્રી એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ચાર વર્ષમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને નાબૂદ કરવા માટે સરકાર 15,000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવા જઈ રહી છે. સરકારનું લક્ષ્ય 31 માર્ચ 2030 સુધીમાં દિલ્હીને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત શહેર બનાવવાનું છે. ગ્રાહકોની સુવિધા માટે સબસિડીની અરજી કરવા એક ઓનલાઈન પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.