Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ભારતમાં નહીં મળે Datsun કાર, Nissan એ ભારતમાં બંધ કર્યું વેચાણ, જાણો કેમ લેવાયો નિર્ણય

કંપનીએ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોનો સંતોષ તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બ્રાંડ બંધ થયા પછી પણ તેઓ દેશભરમાં ફેલાયેલા ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાણ પછીની સેવા અને પાર્ટ્સ મેળવવાનું ચાલુ રાખશે.

હવે ભારતમાં નહીં મળે Datsun કાર, Nissan એ ભારતમાં બંધ કર્યું વેચાણ, જાણો કેમ લેવાયો નિર્ણય
Datsun બ્રાન્ડને બંધ કરવાની જાહેરાત કરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:10 AM

જાપાનની ઓટો સેક્ટર(Auto Sector)ની દિગ્ગજ કંપની નિસાને (Nissan) ભારતમાં તેની Datsun બ્રાન્ડને બંધ કરવાની જાહેરાત કરી છે. કંપની વૈશ્વિક સ્તરે તેની વ્યૂહરચના બદલી રહી છે અને બ્રાન્ડને બંધ કરવી આ વ્યૂહરચનાનો એક ભાગ છે. કંપનીએ આ બ્રાન્ડને 9 વર્ષ પહેલા વિશ્વભરમાં ફરીથી લોન્ચ કરી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન બ્રાન્ડ માટે હેતુના અભાવને કારણે નિસાને બ્રાન્ડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ઉપરાંત કંપનીએ રશિયા, ઈન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકામાં આ બ્રાન્ડને બંધ કરી દીધી છે. વાસ્તવમાં ડેટસનના વેચાણના આંકડા છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહ્યા છે. ભારતમાં Datsunનું વેચાણ બાકીના બજાર કરતાં વધુ સારું હતું પરંતુ લોન્ચિંગ સમયે નક્કી કરાયેલા લક્ષ્યોથી દૂર હતું. કંપનીએ વર્ષ 2020માં તેની નવી બિઝનેસ વ્યૂહરચના જાહેર કરી હતી જેમાં કંપનીએ તેના વધુ સફળ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું.

સ્ટોક હશે ત્યાં સુધી Redi-Go મળશે

નિસાન ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચેન્નાઈ પ્લાન્ટમાં Redi-Goનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી મોડલનું વેચાણ ચાલુ રહેશે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોનો સંતોષ તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બ્રાંડ બંધ થયા પછી પણ તેઓ દેશભરમાં ફેલાયેલા ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાણ પછીની સેવા અને પાર્ટ્સ મેળવવાનું ચાલુ રાખશે. કંપનીએ પહેલેથી જ બ્રાન્ડ હેઠળ સ્મોલ કાર ગો અને ગો પ્લસનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કંપનીએ એમ પણ કહ્યું કે તેની વૈશ્વિક પરિવર્તન વ્યૂહરચનાના ભાગરૂપે નિસાન પસંદગીના સેગમેન્ટ્સ અને મોડલ્સ પર તેનું ધ્યાન વધારશે. ભારતમાં કંપનીનું ફોકસ નિસાન મેગ્નાઈટ પર રહેશે જેને અત્યાર સુધીમાં એક લાખ ઓર્ડર મળ્યા છે.

મેગ્નાઈટમાં કંપનીનો વિશ્વાસ

કંપનીને ભારતમાં મેગ્નાઈટ પર પૂરો વિશ્વાસ છે. દેશમાં SUVને સારો પ્રતિસાદ મળ્યો છે અને કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આના પર પોતાનું ફોકસ વધારશે. કંપનીની સ્ટ્રેટેજી મુજબ હવે તે ફક્ત તે જ બ્રાન્ડ્સ પર કામ કરશે. હવેથી કંપની દરેક માટે ફાયદાકારક રહેશે. SUV માટે એક લાખ ઓર્ડર મળ્યા છે અને ગયા મહિનાના અંતમાં જ કંપનીએ ચેન્નાઈ પ્લાન્ટમાંથી 50 હજાર મેગ્નાઈટ તૈયાર કરીને ગ્રાહકોને સોંપી દીધા હતા. મેગ્નાઈટ એ કંપનીની પ્રથમ SUV છે જે 2020ની વૈશ્વિક પરિવર્તન વ્યૂહરચના પછી લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં બનેલી આ SUV હાલમાં 15 દેશોમાં મોકલવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2022 માં જ મેગ્નાઈટને આંતરરાષ્ટ્રીય સ્તરનું NCAP 4 સ્ટાર સુરક્ષા રેટિંગ મળ્યું છે. મેગ્નાઈટ ભારતમાં અત્યાર સુધીની નિસાનની સૌથી સફળ કાર રહી છે. આ કારણોસર કંપની હવે તેનું સંપૂર્ણ ધ્યાન આ SUV પર કેન્દ્રિત કરવા માંગે છે. SUVની કિંમતને કારણે તેને દેશમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

આ પણ વાંચો : શું તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો? જાણો RBI ના નવા નિયમ જે તમને ઘણા મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">