ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર, FAME II સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. 31 જાન્યુઆરી સુધી આ યોજના હેઠળ 13.41 લાખ ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર, FAME II સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Electric vehicle
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 8:15 PM

સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉત્પાદન માટે FAME યોજનાના બીજા તબક્કા માટે નાણાકીય ખર્ચ રૂ. 1,500 કરોડથી વધારીને રૂ. 11,500 કરોડ કર્યો છે. વર્ષ 2019માં શરૂ થનારી FAME 2 સબસિડી યોજના જે અત્યાર સુધી માત્ર 10,000 કરોડ રૂપિયાની હતી, જે આ વધારા પછી 11,500 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને તેનો સીધો ફાયદો મળશે. જો કે, આ યોજના 31 માર્ચ 2024 સુધી જ અમલમાં રહેશે.

સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. 31 જાન્યુઆરી સુધી આ યોજના હેઠળ 13.41 લાખ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને કુલ 5,790 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. જેમાં 11.86 લાખ ટુ-વ્હીલર, 1.39 લાખ થ્રી-વ્હીલર અને 16,991 ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે.

વધુમાં સરકારે 7,432 ઇલેક્ટ્રિક વાહન પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો અને વિવિધ શહેરો, રાજ્ય પરિવહન ઉપક્રમો અને રાજ્ય સરકારની સંસ્થાઓમાં ઇન્ટ્રાસિટી પરિવહન માટે 6,862 ઇલેક્ટ્રિક બસો માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી તરીકે રૂ. 800 કરોડ મંજૂર કર્યા છે. આ નવા સુધારેલા ખર્ચ પછી સબસિડી માટે રૂ. 7,048 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ટુ-વ્હીલર્સને રૂ. 5,311 કરોડ મળશે. ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટેની કુલ ગ્રાન્ટ પણ 4,048 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

FAME II સબસિડીની મુદત વધશે ?

FAME II સબસિડી એક મુદત-મર્યાદિત યોજના છે જે 31 માર્ચ 2024 સુધી અથવા ભંડોળ રહે ત્યાં સુધી લાગુ રહેશે. ગયા અઠવાડિયે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સરકારે આગામી નાણાકીય વર્ષ માટે FAME યોજના માટે રૂ. 2,671 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.

જોકે, અત્યાર સુધી સરકાર દ્વારા FAME સબસિડીની સમય મર્યાદા વધારવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બજેટ દરમિયાન યોજનાની રકમ આગામી નાણાકીય વર્ષ સુધી લંબાવવામાં આવી હોવાથી તે એક સંકેત તરીકે માનવામાં આવે છે કે સરકાર FAME IIની સબસિડી યોજનાની સમય મર્યાદા વધારી શકે છે.

દેશમાં ખાસ કરીને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણ ઝડપથી વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોનું કુલ વેચાણ 2022માં 1.02 મિલિયનથી 2023 માં 1.53 મિલિયન યુનિટ સુધી પહોંચવાની અપેક્ષા છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગનું માનવું છે કે જો સરકાર FAME II સબસિડીના ત્રીજા તબક્કાને આગળ ધપાવે છે, તો તે ઉદ્યોગના વિકાસમાં વધુ મદદ કરશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">