સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ, બેકાબુ બનેલા કામદારોને કાબુમાં લેવા ટિયર ગેસ છોડાયા

હજીરાની AMNS કંપનીમાં કામના કલાકો ઘટાડવા કામદારોની હડતાળ ચાલી રહી છે. આ હડતાળને પગલે મોટી સંખ્યામાં કામદારોનો ઉગ્ર વિરોધ નોંધાયો છે. આ દરમિયાન કંપનીના ગેટ પાસે કામદારોએ કારમાં તોડફોડ કરી મુકી હતી. જે બાદ પોલીસના કાફલા એ ઘટનાસ્થળે પહોંચીને બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડાયા હતા.

| Edited By: | Updated on: Feb 26, 2026 | 3:07 PM

સુરતના હજીરાની AMNS કંપનીમાં કામના કલાકો ઘટાડવા કામદારોની હડતાળ ચાલી રહી છે. આ હડતાળને પગલે મોટી સંખ્યામાં કામદારોનો ઉગ્ર વિરોધ નોંધાયો છે. આ દરમિયાન કંપનીના ગેટ પાસે કામદારોએ કારમાં તોડફોડ કરી મુકી હતી. જે બાદ પોલીસના કાફલા એ ઘટનાસ્થળે પહોંચીને બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડાયા હતા.

સુરતમાં કામદારોની હળતાળ

મળતી માહિતી મુજબ સુરત હજીરાની AMNS કંપનીના કામદારો કામના કલાક 12ના બદલે 8 કલાક કરવા માગણી સાથે વિરોધ પર ઉતર્યા છે. આ સાથે ઓવર ટાઈમના નાણાં ન મળતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પગાર પણ સમયસર ન થતો હોવાનો કામદારો એ આરોપ લગાવ્યો છે.

કામના કલાકો 12ના બદલે 8 કરવાની માંગ

હજીરામાં કામદારોના વિરોધ મુદ્દે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ સ્થિતિ કાબૂમાં હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસમાં જણાવ્યા મુજબ અલગ સ્થળે કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યા છે. તેમજ હાલ પુરતા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

1000 થી વધુ કામદારો હડતાળ માં જોડાયા

હજીરા AMNS કંપનીના કામદારોને ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે. કામદારોના ઉગ્ર વિરોધ અને તોડફોડના કારણે સુરત ક્રાઇમ બ્રાન્ચ DCP સહીત નો કાફલાને ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતુ. કામદારો એ અનેક ગાડીઓ અને ગેટ ની તોડફોડ કરી હતી. 1000 થી વધુ કામદારો હડતાળ માં જોડાયા હતા.

Breaking News : રાજકોટમાં એક અપાર્ટમેન્ટમાં લાગી આગ, આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત થયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us